SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ સ્વસ્થ ચિત્તે એટલે કે શાંતચિત્તે આપના સ્થાને જાઓ. કારણ કે રાજ્યને સૂનું મૂકીને આવ્યા છો. આથી કહું છું કે તમારો માર્ગ કુશલ બનો, નિષ્કટક બનો.” એ પ્રમાણે રાજાને કહીને પુત્ર ગાંગેયને કહે છે : “હે વત્સલ ! ગાંગેય ! પિતાના મનોરથને પૂર્ણ કર, પિતા સાથે સ્વસ્થાને જા. જેથી તને રાજ્ય સંપત્તિ પ્રાપ્ત થાય. તમારા બંનેનો યોગ (મેળાપ) પ્રશંસનીય છે. આથી આવા પ્રકારનો પિતાનો અને તારા જેવા પુત્રનો યોગ (મેળાપ) બુધ અને ચંદ્રની જેમ બની રહો.” ત્યારે ગાંગેય બોલ્યો : “હે માતા, તને છોડવા માટે ઉત્સાહ થતો નથી, તમે જ પિતા છો અને તમે જ માતા છો. મેં પૂર્વે તે જોયું છે, બીજું કાંઈ નહિ.” તારી સેવાવિનાનો મારો એકપણ દિવસ ન થાઓ એ પ્રમાણે કહીને આંસુ વહાવતો તે માતાના પગમાં પડ્યો. હવે પુત્રને ઉઠાડીને આંસુ લૂછીને માતાએ કહ્યું : “હે પુત્ર ! તું ડરપોકતાને છોડ અને અસહાય એવા તારા પિતાને સહાય કરનારો થા. વૃદ્ધપણામાં પુત્ર જ પિતાની ચિંતાના ભારને હરનારો થાય છે. તારા પિતા તને તેવી રીતનું વાત્સલ્ય આપશે કે જેથી તું અહીંયા રહેલી મને યાદ પણ નહીં કરે.” એ પ્રમાણે યુક્તિ-પ્રયુક્તિથી બોધ પમાડલો પુત્ર પિતાની સાથે હસ્તિનાપુર નગરમાં સારી રીતે આવી ગયો. ત્યારે મહાઅમાત્યોએ અને નગરજનોએ ઉડતી ધજાઓ અને તોરણયુક્ત નગરને શણગાર્યું. રાજાએ પણ શુભ મુહૂર્ત યોગ્ય એવા પુત્ર ગાંગેયને યુવરાજ પદે બેસાડ્યો-સ્થાપ્યો. કારણ કે યોગ્ય પુત્ર અને શિષ્યને વડિલો મોટાઈ પણાને અપાવે છે. હવે પિતાની આજ્ઞાથી પૃથ્વીને એક છત્રી કરતો વિનીત આત્મા પિતાના જેવો વિનયને ફેલાવે છે, ધારણ કરે છે. એક વખત રાજા શાન્તનુએ સ્વૈરવિહારી થઈને યમુના નદીને કાંઠે વિહરતાં-ફરતાં નાવમાં બેઠેલી સુંદર એવી કોઈ નાવિક કન્યાને જોઈ, તેના રૂપમાં મોહ પામેલો રાજા તેની નજીક આવીને કામ (વાસના)થી ઉત્સુક થયેલા મનવાળો થઈને તેને વારંવાર પૂછ્યું : “હે સુંદરી! તું કોણ છે, કોની પુત્રી છે, તારું શું નામ છે ?” તે કન્યાએ કહ્યું: “હે રાજા ! હું કાલિન્દી કુલવાસી જમના નદીના કાંઠે વસનારા નાવના અધિપતિની પુત્રી સત્યવતી નામની કન્યા છું. પિતાના આદેશરૂપ ધર્મથી હું નાવને ચલાવું છું. કારણ કે કુલવાન કન્યા પિતાના આદેશને (આજ્ઞાને) વશ હોય છે.” તેની વાત સાંભળીને નીતિમાં નિપુણ રાજા તેના પિતાની પાસે ગયો. તે નાવિક પણ સ્વાગતપૂર્વક પ્રશ્ન કરે છે. “હે સ્વામિન્ અહીંયા આવવાનું શું પ્રયોજન છે.” રાજાએ કહ્યું : “હે ભદ્ર ! સત્યવતી નામની તારી પુત્રી તું આપ. તે મારી સદ્ધર્મચારિણી બને.” વિનયપૂર્વક નાવિકે કહ્યું: “ગૃહે આવેલો તમારા જેવો અર્થી...(ઇચ્છનારો) કોને મળે છે ? પરંતુ આ સત્યવતી કન્યા તમને આપવા માટે મારૂં મન ઉત્સાહિત થતું નથી. કારણ કે વિદ્યાધરીઓથી ગુણગાન ગવાતો તારો પુત્ર ગાંગેય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy