SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૬ પાંડવ ચરિત્રમ્ આ પ્રકારના વિવિધ શૃંગારો વડે શણગારાયેલી કન્યા રાજીમતિ શોભતી હતી. અપ્સરાના રૂપને જીતનારી, રંભાથી અધિક અને ઇન્દ્રાણીથી પણ અધિક રૂપવાન તે કન્યાને તે શિવાદેવી આદિ યાદવ સ્ત્રીઓએ વહુ (રાજીમતિ)ને માયરામાં મણિમય સિંહાસન પર સ્થાપીને (બેસાડીને) હર્ષપૂર્વક સમ્યક લક્ષ્મી નિકેતન વરના ઉતારે વરની નેમિકુમારની) પાસે આવી. પછી શિવાદેવી વગેરે તે સ્ત્રીઓએ નેમિકુમારને તૈયાર કર્યા (શણગાર્યા). તે આ પ્રમાણે ચંદનથી વિલેપનવાળા અને મોતીના આભૂષણથી શોભતા નેમિકુમારે નેત્રને સુંદર લાગે એવા પાનેતર કપડા પહેર્યા. મસ્તક ઉપર શ્વેત છત્ર ધરેલા, બાર સ્ત્રીથી વિઝાતા ચામરવાળા શ્રેષ્ઠ રથમાં બેઠેલા તે નેમિકુમારે (વરે) લગ્ન માટે પ્રયાણ કર્યું. કેટલાક ગજ પર બેઠેલા, કેટલાક રથમાં બેઠેલા, કેટલાક ઘોડા પર બેઠેલા, મોટી લક્ષ્મીવાળા કુમારો સાથે ચાલ્યા. હાથી પર બેઠેલા બલભદ્ર અને કૃષ્ણ નેમિની પાછળ શોભે છે. તેની પાછળ હાથી પર બેઠેલા સમુદ્રવિજયાદિ યાદવો શોભે છે. એ પ્રમાણે બીજા પણ રાજાઓ ઘોડા, હાથી, રથ પર બેઠેલા પરસ્પર વાતો કરતા દેવોની જેમ દીપે છે. તેઓની પાછળ વાહનોમાં બેઠેલા અમાત્ય આદિ ચાલે છે. એ પ્રમાણે મોતીઓથી મઢેલી શિબિકામાં બેઠેલા કુન્તી, શિવા વગેરે શોભે છે. વળી વાહનમાં બેઠેલી યાદવ સ્ત્રીઓ વિવાહ યોગ્ય ધવલ-મંગલ ગીતગાન ગાવામાં તત્પર (લીન) બનેલી તેની પાછળ જાય છે. હાથીઓના ગર્જરવ, અશ્વોના હૈષારવ, રથોના ચિત્કાર, સુભટોનો જયજયનાદ, ઘંટોના અવાજ, વાજિંત્રોના નાદ, અલંકારોના ધ્વનિ, પવનથી ઉડતા વસ્ત્રોના ફૂત્કારપૂર્વક, નારીઓના ધવલ-મંગલ ગીતોના અવાજ સાથે ગવૈયા વડે ગવાતા ગુણરાશિયુક્ત અવાજોના અવાજ સાથે રસ્તામાં ચાલતી ઉગ્રસેનના મહેલ તરફ જતી નેમિની લગ્નની જાને નેમિના લગ્નની વિશ્વને આ રીતે જાણ કરી. - શ્રી નેમિને જોવા માટે લાખો ઝરોખામાં નીકળેલા સ્ત્રીઓના મુખથી ત્યારે જાણે લાખો ચંદ્ર આકાશમાં ઉત્પન્ન થયા ન હોય ! કેટલીક નારીઓ મંગલ ગીતોને ગાતી હતી. કેટલીક માતાપિતાને પ્રશંસતી હતી, કેટલીક ઝરૂખામાં રહેલી નારીઓ લાજ સાથે વધાવતી હતી. શ્રી નેમિની આગળ દાન-માન વડે ખુશ કરાયેલા ભાટચારણો મંગલ ગીત ગાતા હતા. એ પ્રમાણે ગવાતા ગુણસમૂહવાળા શ્રી નેમિશ્વર ઉગ્રસેનના મહેલની નજીકની ભૂમિના ભાગ સુધી આવ્યા, ત્યારે તેનો મનોહર કોલાહલ (અવાજ) સાંભળીને રાજીમતિ મેઘના ગર્જરવથી મોરની જેમ આનંદને પામી, પછી તેની સખી ચંદ્રાનના પ્રિયના દર્શન માટે ઝરૂખામાં રહેલી રાજીમતિને બોલાવીને નેમિકુમારને બતાવે છે. તેણી (રાજીમતિ) આઠ ભવથી ભરથાર બનેલા શ્રી નેમિકુમારને પ્રેમપૂર્વક જોઈને આ પ્રમાણે વર્ણન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy