SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૫૪) સર્ગ - ૧૬ અનુક્રમે કૃષ્ણ બોલાવેલા પાંડવો તોરણોથી શોભતી દ્વારિકામાં આવ્યા. એ પ્રમાણે બીજા પણ રાજાઓ નેમિકુમારના લગ્ન મહોત્સવમાં દ્વારકામાં આવ્યા. પરિવાર સહિત આમંત્રણ આપેલા બધા પાંડવાદિ રાજાઓની સામે જઈને કૃષ્ણ મહામહોત્સવપૂર્વક નગરીમાં પ્રવેશ કરાવ્યો. પછી આવેલા તે રાજાઓનો લગ્ન સંબંધી ક્રિયાઓના આરંભ સાથે રહેવા માટેનો સુંદર ઉતારો, ખાનપાનાદિ દ્વારા કૃષ્ણ સત્કાર કર્યો. પછી શિવાદેવી સમુદ્રવિજયની સાથે યુધિષ્ઠિરયુક્ત એવા કૃષ્ણના મહેલે જઈને માતા, ભાઈ સાથે યુધિષ્ઠિરને તોરણથી શોભતા પોતાના મહેલમાં લાવ્યા. તે પછી શિવાદેવી કુન્તીના ચરણમાં મસ્તક નમાવીને અવસરોચિત બોલ્યા. જેમ કે હે દેવી! તમારા આશીર્વાદ રૂપ વૃક્ષ, પલ્લવથી આવા પ્રકારની પુત્રોની માતા શબ્દને હું ધારણ કરૂં છું. હે પિતૃસ્વસઃ (ફોઈબા) ! તમારા ભત્રીજાના લગ્નને ઉચિત બધા માંગલિક કાર્ય કરો. નણંદ શિવાદેવીના આવા પ્રકારના વચનોથી પાંડવોની માતા કુન્તી અમૃત વડે સિંચાયેલી વલ્લરી (વેલડી)ની જેમ અત્યંત પ્રફુલ્લિત મનવાળી થઈ. પછી કુન્તી, શિવા, દેવકી, રોહિણી આદિ બધી દેવીઓ ઊંચા, મધુર સ્વરે (રાગે) ધવલ મંગલ ગાવા લાગી. એવી જ રીતે રેવતી, રુક્મિણી, સત્યભામા વગેરે નેમિકુમારની ભાભીઓ ધવલ મંગલ ગાવા લાગી. હવે બધી તે સ્ત્રીઓએ સુવર્ણમય જ્ઞાનપીઠે બાજોઠ ઉપર પૂર્વાભિમુખ (પૂર્વ દિશા તરફ મુખ રાખીને) નેમિકુમારને બેસાડીને ધવલ મંગલપૂર્વક સ્નાન કરાવ્યું (નવડાવ્યા). સ્નાન કરાવ્યા પછી સિંહાસન પર બેસાડ્યા. હાથમાં આપેલું બાણ સાથે ધનુષ્યને ધારણ કરતા નેમિપુત્રને જોતી એવી શિવામાતાના નેત્રો તૃપ્તિને પામ્યા. એટલે કે શિવામાતા સંતોષને પામી. તે પછી વધૂને શણગાર કરવા માટે સ્નેહ કલ્લોલથી પ્રફુલ્લિત મનવાળા થયેલા શિવા-કુન્તી આદિ ઉગ્રસેન રાજાના મહેલ પ્રતિ ચાલ્યા. ત્યાં જઈને રાજીમતિ કન્યાને સ્નાન પીઠ પર બેસાડીને તેવી જ રીતે નવડાવીને વસ્ત્ર નેપથ્ય આદિ અલંકાર પહેરાવીને લક્ષ્મીદેવી જેવી કરીને સિંહાસન પર બેસાડીને હાથમાં તીર આપીને દૃષ્ટિદોષ દૂર કરવા માટે વૃદ્ધ સ્ત્રીઓએ મંગલ કર્યા. વળી પણ શ્વેત, રેશમી વસ્ત્ર પહેરાવીને અંતઃપુરની શણગારનારીઓએ બાજોઠ પર બેસાડીને સોળ શણગારથી સજાવી. જેમ કે (૧) સ્નાન, (૨) સુંદર વસ્ત્ર, (૩) મસ્તકે તિલક, (૪) આંખમાં અંજન, (૫) કાને કુંડળ, (૬) નાકમાં નથણી, (૭) મોતીનો હાર, (૮) પુષ્પહાર, (૯) કડાં, (૧૦) ઝંકાર કરતાં ઝાંઝર, (૧૧) ચંદનનું વિલેપન, (૧૨) વક્ષાભૂષણ (૧૩) કંદોરો, (૧૪) તાંબૂલ, (૧૫) કરકંકણ અને (૧૬) હાથના બાજુબંધ. આ સ્ત્રીઓના સોળ શણગાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy