SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૬ ૩િપ૩). પાંડવ ચરિત્રમ્ પછી કૃષ્ણ પરિવાર સાથે દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો. દ્વારકામાં પ્રવેશ કરેલા કૃષ્ણ ચતુર પ્રધાનોને મૂકીને નેમિને યોગ્ય સર્વને સંમત ઉગ્રસેન રાજાની પુત્રી અપ્સરાના રૂપને જીતનારી રાજીમતિની માંગણી કરી. તેણી પણ નેમિના ગુણોને સાંભળીને અને દર્શનથી પણ વિશેષ પ્રકારે અનુરાગી થઈ. તે ઉગ્રસેન રાજા વિશેષપણે હર્ષ પામ્યા અને કૃષ્ણના મંત્રીએ માંગેલી રાગિણી થયેલી રાજીમતિને નેમિકુમારને આપી... હવે કૃષ્ણ લગ્નનું મુહૂર્ત પૂછતાં જ્યોતિષીએ કહ્યું કે : “હે દેવ ! હાલ વર્ષાકાળ ચાલુ છે. વર્ષાકાળમાં બુદ્ધિમાન પુરુષોએ વિવાહ આદિ શુભકાર્યો ન કરવા જોઈએ. તો પછી લગ્ન જેવો મહામહોત્સવ કેવી રીતે થાય ? વર્ષાકાળ વીત્યા પછી લગ્નમહોત્સવ કરવો.” તે સાંભળીને સમુદ્રવિજયે કહ્યું : “હે કૃષ્ણ ! નેમિએ કોઈપણ રીતિએ લગ્ન માટે માનેલું ફોગટ ન બને. એથી લગ્ન જલ્દી જુઓ. ભાવિમાં જે થવાનું હોય તે થાઓ.” તે સાંભળીને જ્યોતિષીએ કહ્યું : “તો પછી ત્રાવણ સુદ-૬ના રોજ લગ્ન આવે છે, તે લગ્નના દિવસ ઉપર સ્વજનને બોલાવવા માટે સ્થાને સ્થાને પોતાના પુરુષોને મોકલ્યા. તે તે પુરુષોએ ત્યાં જઈને તેઓને કહ્યું કે – લગ્ન માટેનો અપાયેલો દિવસ નજીક હોવાથી જલ્દીથી તમને આમંત્રણ આપવા માટે કૃષ્ણ મને તમારી પાસે મોકલ્યો છે.” એમ કહીને કોરકે કસ્તુરી અને કેશરથી લખાયેલા શબ્દવાળી કુમકુમ પત્રિકા યુધિષ્ઠિરને આપી. નેહરૂપ ચૂર્ણ લગાવેલી ન હોય તેમ કપૂર છાંટેલી તે પત્રિકાને યુધિષ્ઠિરે સભામાં વાંચી બતાવી. સ્વસ્તિશ્રી દ્વારકાપુરીથી સ્નેહપૂર્વક કૃષ્ણ ગજપુરે (હસ્તિનાપુર) યુધિષ્ઠિરને ભેટીને કુશલ લેમ પૂછે છે. જેવી રીતે અહીં અમે કુશળ છીએ. આપના તરફથી પણ કુશળ સમાચારથી અમને ખુશી થશે અને અહીંયા મેં અને સમુદ્રવિજયે ભેગા થઈને ઘણા આગ્રહથી જિતેન્દ્રિય નેમિકુમારને અનિચ્છાએ પણ વિવાહ કરવા નક્કી કરાવ્યું છે. તેથી અત્યંત સૌજન્યતાપૂર્વક પરિવાર સહિત અને નાના ભાઈઓ સાથે લગ્નના પ્રસંગ પર શીઘ અહીંયા આવી ઉપસ્થિત થવું. વળી ભત્રીજાના વિવાહ કાર્યમાં અધિકારિણી દેવી કુન્તીને પણ સાથે લાવવી. એવા પ્રકારની પત્રિકા વાંચીને અને કોરકે કહેલું સાંભળીને તેને દાન, માનાદિ વડે સંતોષીને પાંચેય પાંડવો, માતા અને પત્નીઓ સાથે સૈન્યયુક્ત સબલ વાહનો સાથે હસ્તિનાપુરથી પ્રયાણ કર્યું. એવી રીતે બીજા પણ કૃષ્ણ બોલાવેલા રાજાઓ પરિવાર સાથે દ્વારકા તરફ ચાલ્યા. સત્કાર કરાયેલા કોરકે દ્વારકા નગરીમાં આવીને પાંડવોના આગમનની વાત કરી. તે સાંભળીને કૃષ્ણ તોરણ, ધ્વજ પતાકાથી શોભતી, સર્વ મંદિર ધવલ-મંગલોથી અલંકૃત, ઊંચા (મોટા) કદલી (કેળ)ના સ્થંભોથી શોભતી એવા પ્રકારની સુંદર રમણીય દ્વારિકાને રચી (કરી). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy