SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િપ૬) સર્ગ - ૧૬ જેમ કે શું આ પાતાલકુમાર છે ? શું આ કામદેવ છે? અથવા સુરેન્દ્ર છે. વળી શું આ સાક્ષાત્ મહાદેવ છે કે પુણ્યનો પૂંજ છે ? નેમિને જોઈને રાજીમતિ કેવી થઈ ? તે કહે છે. આશ્ચર્યથી સ્થિર, રોમાંચયુક્ત, પરસેવાયુત કંપતું, નવા નવા ઉલ્લસિત ભાવવાળું તેનું શરીર થઈ ગયું. પોતાના પ્રાણનાથ નેમિનાથને જોતી રાજીમતિ તે જ વખતે શ્યામ મુખવાળી (ઉદાસી) બની. તે રાજીમતિને શ્યામ મુખી જોઈને સખીઓ બોલી, હે સખી ! તું શ્યામ મુખવાળી કેમ દેખાય છે? હર્ષના સ્થાને ખેદનું કારણ શું છે ? રાજીમતિએ કહ્યું : “હે સખી ! મારી જમણી આંખ અને જમણી જાંઘ ફરકે છે. હું નિર્માગિણી છું. તમને શું કહું ?” સખી બોલી : “હા હા સખી! તને આ દુર્નિમિત્ત કેમ ઉભું થયું આવી પડ્યું) આનંદને સ્થાને વિષાદ (ખંદ-દુઃખ) ઉત્પન્ન થયો. ચિંતાને કર નહિ. પુણ્ય પ્રભાવે કુળદેવીઓ સારૂ કરશે.” રાજીમતિ બોલી : “હે સખી ! મારૂં એવું પુણ્ય નથી કે આ નેમિકુમાર મારી સાથે લગ્ન કરે.” એ પ્રમાણે જ્યાં બોલી ત્યાં શું થયું? રથમાં બેઠેલા શ્રી નેમિકુમાર રાજીમતિની દૃષ્ટિમાં આવ્યા ત્યારે ઉગ્રસેન રાજાના મહેલની નજીક રહેલ ઉદ્યાનમાં પકડી રાખેલા પશુઓ નેમિને જોઈને મોટા અવાજે પોકાર કરે છે. તે પશુઓના દર્દભર્યા અવાજ સાંભળીને નેમિએ સારથિને કહ્યું: “હે સારથિ ! શું આ પશુઓનો આર્ત (દર્દ) ભર્યો અવાજ કેમ સંભળાય છે ?” નેમિને સારથિએ કહ્યું : “હે સ્વામિન્ ! આ પશુઓ તમારા લગ્નપ્રસંગે માંસ વડે મહેમાન ગતિ કરવા લાવેલા છે તેઓના માંને પકવીને યાદવો ખાશે.” તે સાંભળી નેમ વિચારે છે : અરેરે ! અપવિત્ર ચિત્તવાળાનું ચરિત્ર સાંભળી શકાય તેમ નથી. જેઓ પોતાના આનંદ માટે બીજા પ્રાણીઓના દુઃખનું કારણ બને છે, તે ઉત્સવ ઉત્સવ નથી.” હે સાથે ! જ્યાં આ પશુઓ પોકાર કરે છે, ત્યાં મને લઈ જા. જેથી એ પશુઓ છોડાવાય. પછી તે સારથિ નેમિનો રથ ત્યાં લઈ ગયો. નેમિકુમારને જોઈને એક હરણે પોતાની ડોક હરણીની ડોક (ગળા) પર મૂકીને મોટા અવાજે આ પ્રમાણે કહ્યું : જેમ કે હણો નહિ, હણો નહિ. આ મારા હૃદયને હરનારી હરિણીને. હે સ્વામિ ! અમને મરણથી પણ પ્રિયતમાનો વિરહ દુઃસહીય છે. આવા વચન સાંભળી હરિણી હરણને કહેવા લાગી : “આ પ્રસન્ન વદનવાળા, ત્રણ ભુવનના સ્વામી, અકારણબંધુ, સર્વ જીવોનું રક્ષણ કરનારા હે વલ્લભ! તેમને વિનંતી કરો હે પ્રભુ! ઝરણાના પાણી પીનારા, વનના ઘાસને ખાનારા, વનમાં રહેનારા, નિરપરાધિ એવા અમારા જીવનનું રક્ષણ કરો, રક્ષણ કરો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy