SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૪૦ સર્ગ - ૧૪ બધી વસ્તુ મારી જ છે. કારણ કે તમારા અને મારી વચ્ચે કાંઈ જ (જરા જેટલું પણ) અંતર નથી. તમે આપેલી આ બધી જ વસ્તુ મારી થયેલી છે. તેને તમે જ શોભાવો (રાખો). એમ કહીને કૃષ્ણ તે બધું યુધિષ્ઠિરને આપ્યું. પછી યુધિષ્ઠિર આદિ સર્વની અનુજ્ઞા લઈને દ્વારકા તરફ પ્રયાણ કર્યું. યુધિષ્ઠિર પણ કેટલેક સુધી બંધુ કૃષ્ણની સાથે જઈને પરાણે પાછા વળ્યા. રસ્તામાં કૃષ્ણ, યુધિષ્ઠિરાદિની પ્રશંસા કરતાં સ્વર્ગપુરી સમાન પોતાની નગરી દ્વારિકામાં આવી ગયા. યુધિષ્ઠિરે પોતાના સેવક રાજાદિઓને દાન-સન્માનાદિ વડે સંતોષીને સ્વગૃહે મોકલી આપ્યા. એ પ્રમાણે પાંડવોથી સન્માનિત થયેલા ચિત્રાંગદાદિ વિદ્યાધરો પણ પોતપોતાના સ્થાનમાં ગયા. જુગાર ખેલવાના વ્યસનથી અભિભૂત થયેલા પાંડવોએ પોતાના દેશમાંથી બધા વ્યસનોને દૂર કર્યા. એકનો પણ અપરાધ થતાં જ જ્ઞાતિનો ઉચ્છેદ કરતા હતા. તેવી રીતે પોતાના દેશમાં અમારિ પડહ વગડાવ્યો તથા પોતાના દેશમાં દાનનો મહિમા પ્રવર્તાવ્યો તથા પોતાના દેશમાં વિવિધ ખાદ્ય પદાર્થોની વિવિધ દાનશાળાઓ બનાવી તથા યુધિષ્ઠિરે સમસ્ત જિનમંદિરની યાત્રા યોજી. કારણ કે મહાત્માઓ (મહાન પુરુષો) ઉદાર લક્ષ્મી મેળવીને પુણ્યઅર્જનમાં પ્રયત્ન કરે છે. ત્યાં રહેલ નાસિક નગર શ્રી ચંદ્રપ્રભજિન મંદિરમાં દરરોજ પૂજા, પૂજન, મહામહોત્સવ કરાવ્યો. એ પ્રમાણે પુણ્ય સંચય કરનારા પાંચેય પાંડવો અને તે તે પ્રકારના પુણ્ય વડે દરરોજ સર્વ ભૂવલય ઉપર સમસ્ત રાજાઓ વડે પ્રશંસનીય પુણ્ય અને યશ પ્રાપ્ત કરતા હતા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાડવ ચરિત્રમાં જરાસંઘ વધ વર્ણન નામનો ચૌદમો સર્ગ પૂર્ણ થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy