SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િ૩૯) સર્ગ - ૧૪ પાંડવ ચરિત્રમ્ - હસ્તિનાપુરમાં પાંડવના પ્રવેશ દિવસે નગરજનોએ દેવવિમાનથી પણ અધિક સુંદર મોતીઓવાળા ઘણા (મંચો) માંચડા બનાવ્યા. પ્રત્યેક દુકાને, પ્રત્યેક ઘરે લોકોએ તોરણો બાંધ્યા. પોતપોતાના ઘર, દુકાનોમાં કુમકુમના છાંટણા કર્યા. અર્થાત્ કુમકુમ વડે ચિત્રો ચીતર્યા. નગરપ્રવેશ સમયે પાડુરાજાએ પાંડવો માટે સ્થાને-સ્થાને નગરની ગણિકાઓ પાસે નાટક કરાવ્યા. પછી જયકુંજર હાથી પર બેઠેલા યુધિષ્ઠિર રાજા રાવણ હાથી પર બેઠેલા ઇન્દ્રની જેમ શોભતા હતા. ઘોડા પર બેઠેલા આગળ પાડુરાજા શોભતા હતા. વિષ્ણુ (કૃષ્ણ) બલભદ્ર, નેમિ, પ્રદ્યુમ્ન, શાસ્નાદિ હાથી પર બેઠેલા શોભતા હતા. ભીમાદિ ભાઈઓથી લઈ જવાતા, ચારણો વડે પ્રશંસા (સ્તુતિ) કરાતા, વારાંગનાઓ વડે છત્ર ધારણ કરાતા, સુંદર વારાંગનાઓ વડે વીંઝાતી ચામરવાળા, અમૃતભરી દૃષ્ટિ વડે પ્રજા (લોકો) વડે જોવાતા, લોકોના ઓવારણાને લેતાં, હર્ષથી ખૂલેલી આંખો વડે નગરજનોથી ગવાતા ગુણવાળા, લાખો ઝરૂખામાં આવેલી સ્ત્રીઓથી જોવાતા યુધિષ્ઠિરે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. પછી પહેલાં જિનમંદિરે જઈને જિનેશ્વરોને નમીને પછી સાધુ પાસે જઈને ત્યાં પણ ધર્મોપદેશ સાંભળીને પછી પોતાના ઘરના દ્વારે મંગળ ઉપચારો વડે પ્રવેશ કરીને સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સામે રાજા યુધિષ્ઠિરને પાડુરાજા, બલભદ્ર અને કૃષ્ણ રાજ્ય પર બેસાડ્યા. ત્યારે યુધિષ્ઠિર રાજાએ યથાયોગ્ય સર્વરાજ લોકોને દાન આપ્યું. તે વખતે સર્વ રાજસમૂહે યુધિષ્ઠિર રાજાને હાથી, ઘોડા, રથ અને રત્નો ભેટારૂપે આપ્યા. ત્યારે નગરની નારીઓ આવી આવીને મનોહર ગીત, નૃત્ય, વાજિંત્રરૂપ સુંદર સંગીતત્રિક રચવા લાગી. યુધિષ્ઠિર ઉપર અત્યંત રાગવાળી પ્રજાને જોઈને કૃષ્ણ તેવા પ્રકારના પુત્ર જન્મદાત્રી માતા કુત્તીની પ્રશંસા કરી. યુધિષ્ઠિર તે દિવસથી લઈને જેવી કુન્તીની અને પાડુની ભક્તિ કરતા હતા, તેવી જ ભક્તિ ગાંધારી અને ધૃતરાષ્ટ્રની પણ કરતા હતા. હવે યુધિષ્ઠિર પોતાના ભાઈઓને આત્મતુલ્ય માને છે. બંધુઓ સાથે યુધિષ્ઠિર પાંચ બાણોની જેમ શોભે છે. યુધિષ્ઠિરના ઘરે રહીને કેટલાક દિવસ પછી પોતાના સ્થાનમાં જવા માટે કૃષ્ણ ફરી યુધિષ્ઠિરને પૂછ્યું : હે યુધિષ્ઠિર ! આપની આજ્ઞા હોય તો હું દ્વારિકા જાઉં. કૃષ્ણ કહેલું સાંભળીને યુધિષ્ઠિરે વિનયપૂર્વક નમીને સભામાં બધાના દેખતાં અંજલિ જોડીને કહ્યું કે હે કૃષ્ણ ! આ તારો જ પ્રભાવ છે કે જે અમને હસ્તિનાપુરનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું છે. તારા પ્રભાવથી અમે યુદ્ધમાં ગાંગેય, દ્રોણ, દુર્યોધન વગેરે મહાયોદ્ધાઓ જીતી શક્યા છીએ. આ રાજલક્ષ્મી તારી જ છે, મારા પ્રાણો તારા જ છે. બીજું જે કંઈપણ છે, તે બધું તારું જ છે. હે કૃષ્ણ ! એવું શું છે કે જેથી અમે તારૂં સારું કરીએ તો પણ નિમિત્ત (કારણ) વિનાના ઉપકારી, વિશાળ હૃદયવાળા માટે તમારે મારા જેવા માણસને પોતાનો સેવક માનવો. એ પ્રમાણે બુદ્ધિમાન એવા યુધિષ્ઠિરે વિનંતી કરીને કૃષ્ણને સુવર્ણ, રત્ન, હાથી, ઘોડા વગેરે બધું ભેટરૂપે આપ્યું. તે બધી વસ્તુ જોઈને વાસુદેવે (કૃષ્ણ) યુધિષ્ઠિરને કહ્યું, હે યુધિષ્ઠિર ! તમારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy