SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૪ લાવ્યા. સમુદ્રવિજયાદિ યાદવો ઉગ્રસેનાદિ સોળ હજાર રાજાઓ, બલભદ્ર, યુધિષ્ઠિરાદિ ભાઈઓ, અર્ધ ભારતમાં વસતા બીજા પણ વિદ્યાધરો, દેવ વિદ્યાધરો, એ બધાએ ભેગા થઈને શુભ તીર્થોના જલથી ભરેલા મણિ, માણિક્ય, સુવર્ણ, રજત અને માટીવાળા કલ્પવૃક્ષની માળાથી વીંટળાયેલા, નીલકમલથી ઢંકાયેલા કળશો વડે કૃષ્ણનો ઉંચા સિંહાસન પર બેસાડીને રાજ્યાભિષેક કર્યો. કૃષ્ણના રાજ્યાભિષેક વખતે શિવાદેવી, રોહિણી, દેવકી, કુન્તી વગેરે માતાઓએ મંગલ ગીતો ગાયા. કેટલાક રાજાઓએ ઘોડાઓ ભેટ આપ્યા. એ પ્રમાણે કેટલાક રાજાઓએ હાથીઓ, કેટલાકે મણિ, માણિક્યની રાશિ, કેટલાકે કન્યાદિ કૃષ્ણને ભેટણારૂપે આપ્યા. એ પ્રમાણે તે રાજ્યાભિષેક સમયે તે સર્વ રાજાઓએ દાનનું વિતરણ કરતાં કલ્પવૃક્ષની જેમ કૃષ્ણ શોભતા હતા. ત્યારે એ પ્રમાણે બળભદ્રનો પણ બળદેવપણાનો અભિષેક થયો. એટલે કે બળભદ્રને બલદેવ તરીકે અભિષેક કરી સ્થાપન કર્યા. તે પછી રાજ્યાભિષેક થયા પછી બળદેવે અને વાસુદેવે સર્વ રાજાઓને દાન, માન, સન્માન આપવાપૂર્વક સારી રીતે સત્કાર કરીને વિદાય કરેલા તેઓ પોતાના સ્થાને ગયા. એ પ્રમાણે દેવો, વિદ્યાધરો, પૂજા કરાયેલા અને સત્કાર કરાયેલા પોતાના સ્થાનમાં ગયા. કૃષ્ણ રજા આપેલા યુધિષ્ઠિર રાજાએ બાંધવો સાથે કેટલાક રાજાઓથી પરિવરેલા બીજા દિવસે હસ્તિનાપુર તરફ પ્રસ્થાન કર્યું. પાંડવોના આગ્રહથી રામ, કૃષ્ણ, નેમિ, અનાવૃષ્ણિ, પ્રદ્યુમ્ન અને શામ્બકુમારોએ પાંડવોની સાથે પ્રયાણ કર્યું. ત્યારે પ્રીતિથી ભીના હૃદયવાળા થયેલા ચિત્રાંગદાદિ વિદ્યાધરોએ રસ્તામાં વસ્ત્રનું દાન કરતાં મહામહોત્સવ કર્યો. કુન્તીની સાથે શિવાદેવી, દેવકી, રોહિણી વગેરે યાદવ સ્ત્રીઓ સ્નેહયુક્ત ચિત્તવાળી થઈ સાથે જ ચાલી. કુન્તી સાથે માર્ગમાં આગળ ચાલતાં પાંડવ સ્ત્રીઓએ યાદવ સ્ત્રીઓની આગળ પરસ્પર આ પ્રમાણે સુંદર કથા (વાર્તાલાપ) કરવા લાગી. અમે કૃષ્ણની અઋણી કેવી રીતે થઈ શકીએ. જેને અમારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. ઇત્યાદિ વાર્તાલાપ કરતી કરતી આગળ ચાલે છે. આ બાજુ આગળ જતા વિદ્યાધરોએ પાડુની આગળ વિનંતી કરી. પાડુ રાજાએ તેઓને ઇનામ આપીને નગરજનો સાથે તેઓ પુત્ર, મિત્ર અને યાદવોની સામે ગયા. તે પાંડવોનો ઉત્સાહ જોઈને પ્રફુલ્લિત કમળ જેવા વદનવાળા એવા તેની રોમરાજી વિકસિત થઈ ગઈ. પાડુપતિ સાથે આવેલા માદ્રીએ પુત્રોને જોઈને હર્ષના આંસુ વરસાવવા વડે નૂતન વરસાદ કર્યો. માતા-પિતાને જોતાં પાંડવો શીઘ વાહનોને છોડીને હસતે ચહેરે માતા-પિતાને નમ્યા. ખીલેલા પ્રેમવાળી માદ્રીએ ગાઢ રીતે ભેટવાપૂર્વક પોતાના હાથોથી કુન્તીના ચરણે સ્પર્શ કર્યો. દ્રૌપદી પાંચેય અંગોને જમીનને અડાડીને પાડુના અને માદ્રીના ચરણોમાં નમસ્કાર કર્યા. પાંચાલી (દ્રૌપદી)એ પાંચેય અંગો વડે પૃથ્વીને ચુંબન કરતાં પાડુ અને માદ્રિના ચરણમાં નમસ્કાર કર્યા બીજી પણ પાંડવ પત્નીઓએ યથાયોગ્ય નમસ્કાર કર્યા. તે બંનેએ પાંડવ-પત્નીઓને આશીર્વાદ આપ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy