SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૩૬) સર્ગ - ૧૪ જ્વાલાના ઘટાટોપ સાથે આવીને મુગટ અને કુંડલ સાથે કમળના છેદની જેમ તેનું શિર છેદી નાખ્યું. તે ચક્ર વડે જરાસંઘનું મસ્તક છેદીને ફરીથી કૃષ્ણના હાથને શોભાવ્યો. એટલે કે કાર્ય નિષ્પન્ન કરી ફરી પાછું તે ચક્રે આવીને કૃષ્ણનો હાથ શોભાવ્યો. જેવી રીતે સેવક માલિકનું કામ કરીને ફરી સ્વામિ (શેઠ) પાસે આવી જાય છે. તેવી રીતે તે સુદર્શન ચક્ર સ્વામિનું કાર્ય કરીને કૃષ્ણના હાથમાં આવી ગયું. જરાસંઘ કૃષ્ણથી હણાયો છે, એ જાણીને આકાશમાં દેવોએ કૃષ્ણના મસ્તક પર (આનંદથી) પુષ્પવૃષ્ટિ કરી. આ નવમો વાસુદેવ ઉત્પન્ન થયો છે, એ પ્રમાણે દેવોએ ઉદ્ઘોષણા કરી. વળી તે દેવોએ મનુષ્યલોક, પાતાલલોક અને સ્વર્ગલોકમાં કૃષ્ણની જીતની પ્રશંસા કરવા વડે દેવદુંદુભિના અદ્વૈત શબ્દ વડે (અવાજ થકી) જ વિશ્વને ભરી દીધું. જરાસંઘના સેવક રાજાઓ સ્વામિ હણાયા છે. એ જાણીને કેટલાકે નેમિનું શરણું લીધું. કેટલાકે બળદેવનું શરણું લીધું, કેટલાકે કૃષ્ણનું શરણું લીધું. કૃષ્ણ પણ જરાસંઘના તે સર્વે સૈનિકોને અભય આદિ દાન વડે અત્યંત સંતોષ (આપ્યો) પમાડ્યા. કહ્યું છે કે સંસારમાં મરણ સરીખો કોઈ ભય નથી. કુંદપુષ્પ જેવા ઉજ્જવલ નિર્મળ યશવાળા કૃષ્ણ ગુસ્સે થતાં અમારું જીવવાપણું રહેશે નહિ. એ પ્રમાણે વિચારીને જરાસંઘના સેવકોએ કૃષ્ણને નમસ્કાર કર્યા અર્થાત્ તેના પગમાં પડ્યા. નેમિએ શરણે આવેલા રાજાઓને કૃષ્ણની પાસે લઈ જઈને તેઓની પીઠ ઉપર હાથ મૂકાવ્યો. થોડો કાળ ગયે છતે જરાસંઘ મંત્રીઓએ જરાસંઘના પુત્ર સહદેવને કૃષ્ણના ઉત્સગે મૂક્યો. કૃષ્ણ તે સહદેવને માગધ દેશના સ્વામિ જરાસંઘની જગ્યા પર મગધનો રાજા બનાવ્યો. કારણ કે મોટા મનવાળાનો ગુસ્સો નમસ્કાર ન કરે ત્યાં સુધી જ હોય છે. હવે કૃષ્ણની આજ્ઞાથી અનાધૃષ્ણિએ બધા સૈનિકોને લાગેલા ઘાની ચિકિત્સા કરી. પછી મૃત્યુ પામેલા બધાયનો સમુદ્રવિજયની આજ્ઞાથી અનાવૃષ્ણિએ અગ્નિ નામના શસ્ત્રથી અગ્નિસંસ્કાર કર્યો. જરાસંઘના પુત્ર સહદેવે બંધુઓની સાથે જરાસંઘનું મૃત કાર્ય ચંદનાદિ વડે કર્યું. હવે એ રડતા જરાસંઘના પક્ષવાળા બંધુપુત્ર વગેરેને બલભદ્ર, વાસુદેવ આદિએ શોકથી પાછા વાળી કંઈક સુખને હર્ષને પમાડ્યા. અહો ! બધાની આ જ પરિસ્થિતિ છે, જુઓ. જેમ કે તીર્થકરો, ગણધરો, દેવેન્દ્રો, ચક્રવર્તી, વાસુદેવ, બલભદ્ર વગેરેનું દુષ્ટ વિધિએ અપહરણ કર્યું છે તો બીજા જીવોનું તો શું કહેવું? ઇત્યાદિ વચનોથી સંતોષેલા સહદેવ આદિ જરાસંઘના પુત્રો પોત પોતાના કાર્યો કરવા માટે પ્રયત્નશીલ બન્યા. અર્થાત્ કાર્ય માટે તૈયાર થયા. પછી જયને વરેલા શ્રીકૃષ્ણ શ્રી પાર્શ્વપ્રભુની પૂજા માટે પ્રાપ્ત કરેલી જયની ભૂમિ પર શંખેશ્વર નામનું નગર વસાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy