SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૪ ૩િ૩૫) પાંડવ ચરિત્રમ્ ચક્રને આવતું જોઈને કૃષ્ણ શસ્ત્રો વડે તાડના કરી. તેવી જ રીતે બલભદ્ર હળ અને મૂશળ વડે ફટકા માર્યા. ક્રોધે ભરાયેલા અનાવૃષ્ણિએ લોખંડના હથોડાથી પ્રહાર કર્યા. સમુદ્રવિજયાદિ યાદવોએ બાણ વગેરે શસ્ત્ર વડે આવતા એવા તેને ઠપકાર્યું. યુધિષ્ઠિરે શક્તિ વડે ચક્રને માર માર્યો. ભીમે ગદા ફટકારી, અર્જુને દૈવી બાણો વડે સુદર્શનને હણ્યું. નકુલે ભાલાથી, સહદેવે બાણો વડે તાડના કરી. એ પ્રમાણે બધાય યાદવો પોતાની શક્તિ વડે તે ચક્રને હણવા લાગ્યા. તો પણ કોઈથી પણ તે અસ્મલિત તૂટ્યા વિના પાછું પડ્યા વિના તેજસ્વી અગ્નિના કણોને વરસાવતું સૂર્યમંડલની જેમ દિગ્વધૂના મુખને ચમકાવતું સામે આવતું જોઈને યાદવોએ આ પ્રમાણે વિચાર્યું કે ખરેખર આજ જગત કૃષ્ણ વિનાનું થઈ (જશે) ગયું. સમુદ્રવિજયાદિ યાદવો વડે એ પ્રમાણે વિચાર કરાતાં તે ચક્ર કૃષ્ણની છાતી પર આવી તે તુંબડું અથડાયું અને કૃષ્ણનો જમણો હાથ અલંકૃત કર્યો. ત્યારે યાદવ સેના આનંદ પામતાં શત્રુસેના નિરાશ પામતાં (થતાં) તે કૃષ્ણના હાથમાં આવેલા તે ચક્રથી વજ વડે ઈન્દ્ર શોભી ઉઠે તેમ અત્યંત શોભવા લાગ્યો.” કમળની જેમ તે ચક્રને હાથમાં લઈને કૃષ્ણ જરાસંઘને કહ્યું : “હે જરાસંઘ ! મરણ આવી ગયું છે. હવે મરણને વિશે પ્રયત્ન કર. પુણ્ય જતાં તારૂં બધું જ ગયું છે. જેવી રીતે શસ્ત્રરહિત શૂરવીર શોભતો નથી, મંત્ર વગરનો મંત્રી, ચક્ર વગરનું ગાડું, કિલ્લા વગરનું નગર, સેના વિનાનો રાજા, દાંત વગરનો હાથી, દંડ વિનાની ધજા, કલારહિત પુરુષ, તપ વિનાનો મુનિ, તેજહીન મણિ, બાણ વિનાનું ધનુષ્ય, ધાર વિનાની કૃપાણ (તલવાર), પ્રતિજ્ઞા વિનાનો સન્દુરુષ, લજ્જા વિનાની કુલવધુ, વૃક્ષ વિનાનું ઉદ્યાન, ફળ વિનાનું વૃક્ષ, દાન વગરનું ધન, રાજા વિનાનો દેશ, પુત્ર વિનાનો વંશ, સુગંધ રહિત પુષ્પ, વચન વિનાનું મુખ, મીઠા વિનાનું ભોજન, સત્ય વિનાની સરસ્વતી, શોભતા નથી. આથી પુણ્યનો સંચય કર અથવા મને નમીને (શરણે આવીને) સ્વપ્રાણની રક્ષા માટે મારી આજ્ઞાને શિરોધાર્ય કરીને સ્વસ્થાને ચાલ્યો જા. વૃદ્ધ હોવાથી તે અનુકંપા કરવા યોગ્ય છે. હજુ પણ તારું કંઈપણ ગયું નથી.” જેમ કે – હે નૃપ! વિચાર કર, હજુ પણ કંઈ ગયું નથી. તે શું સાંભળ્યું નથી? જીવતો નર ભદ્રા પામે. એ પ્રમાણે કૃષ્ણ કહેતાં જરાસંઘ બોલ્યો : “રે રે ગોપાલ બાલક ! (ગોવાળિયા) મારું ચક્ર હાથમાં આવવાથી તું શું અભિમાન કરે છે ? જેવી રીતે કૂતરો હાડકું મળતાં સંતોષ અનુભવે છે. તેમ તું પણ લોખંડનો ટુકડો મળતાં સંતોષ અનુભવે છે (પામે છે). એ રીતે તિરસ્કૃત થયેલા કૃષ્ણ પહેલાં બાણ વડે ગગનને આચ્છાદિત કરીને પછી સિદ્ધાંતમાં કહેલું વિચારીને હાથમાં ચક્રને કુંભારના ચાકડાની જેમ ભમાવીને જરાસંઘને હણવા માટે ફેંક્યું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy