SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૪ પાંડવ ચિરત્રમ્ ૩૩૪ (મનપસંદ) શીઘ્ર પૂર્ણ કરૂં.' દેવીએ કહેલું સાંભળીને કૃષ્ણે કહ્યું : “હે ભગવતી પદ્મ ! જો તું ખરેખર ખુશ થઈ છે તો તારા ભવનમાં રહેલી શ્રી પાર્શ્વપ્રભુની અદ્ભૂત પ્રતિમા મને આપ. જેથી કરીને તે જરાથી જકડાયેલા મારા સૈન્યને તેના પ્રક્ષાલના જળથી છોડાવું અર્થાત્ જાગૃત કરૂં, તૈયાર કરૂં.'’ કૃષ્ણે કહેલું સાંભળીને ફરી પદ્માવતીએ કહ્યું : ‘હે કૃષ્ણ ! તે પાર્શ્વપ્રતિમા અહીં નહીં આવે, તે પ્રતિમા વિના જ હું તમારા સૈન્યને ચેતનવંતુ કરી આપીશ. વળી જરાસંઘને સૈન્ય સાથે બાંધીને ક્ષણવારમાં જ તમારી આગળ લાવું છું. ઇત્યાદિ જે જે તમે ઇચ્છિત કહેશો તે બધું ક્ષણમાત્રમાં જ પૂર્ણ કરીશ. પરંતુ પાર્શ્વ પ્રતિમાને લાવવા માટે મને ઉત્સાહ થતો નથી.’’ તે સાંભળીને ફરી કૃષ્ણે કહ્યું : “હે દેવી ! આ બધું તું કરીશ, પરંતુ એ પ્રમાણે કરતાં અમારામાં કંઈપણ તાકાત નથી. માત્ર જગ અપવાદ (લોકનિંદા) થશે. કારણ કે દેવતાએ આ બધુ સંહારાદિ કર્યું છે. આથી જો તું પ્રસન્ન થઈ છો, તો મને પાર્શ્વ પ્રતિમા આપ. જેથી કરીને હું તારી કૃપાથી જાતે જ યુદ્ધમાં શત્રુને હણી નાખું.” કૃષ્ણના આ પ્રમાણેના આગ્રહથી અને ભક્તિથી તુષ્ટ થયેલી પદ્માવતીએ પાર્શ્વપ્રભુની પ્રતિમાને લાવી આપીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. હવે શ્રીકૃષ્ણે શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાની પૂજા કરીને સ્નાત્રજલ (પક્ષાલ) લઈને સમગ્ર સૈન્ય પર છાંટ્યું. તે જલના છંટકાવથી સૈન્ય ફરી નિદ્રામાંથી ઊઠતાં ન હોય, તેમ બેઠું થઈ ગયું. એટલે કે જાગૃત થઈ ગયું. તે ઉઠેલા સૈન્યને તૈયાર થયેલું જોઈને હર્ષથી ઉલ્લસિત મનવાળા કૃષ્ણે બીજાના સૈન્ય બળને ત્રાસ આપનારો પોતાના લશ્કરનું બળ વધારનારો પંચજન્ય શંખ વગાડ્યો. તેથી શત્રુસૈન્ય ત્રાસ પામ્યું અને યાદવ સૈન્ય આનંદિત થયું. પછી પ્રભાતકાલે સંપૂર્ણ સૈન્ય યુદ્ધ માટે તૈયાર થતાં શ્રી નેમિ જિનેશ્વરે પ્રતિવાસુદેવને વાસુદેવ હણે છે, એ પ્રમાણે જગતનો સ્વભાવ જાણીને ભગવાન જાતે જ યુદ્ધથી અટકી ગયા. તેવી જ રીતે યુદ્ધ કરવા તૈયાર થયેલા કૃષ્ણે જરાસંઘને બાણથી હણવા યોગ્ય જાણીને એક બાણથી ધજા છેદી નાખી, એક બાણથી છત્ર, બે બાણથી બે ચામર, એક બાણથી મુગટ, એક બાણથી સારથિનું મસ્તક છેદી નાખ્યું. તેથી અત્યંત ક્રોધિત થયેલા જરાસંઘે સુદર્શન ચક્રને યાદ કર્યું. દેવાધિષ્ઠિત તે ચક્ર પણ સ્મરણ કરવા માત્રથી જરાસંઘના હાથમાં આવી ગયું. તેથી વિકસ્વર થયેલા મુખકમળવાળા જરાસંઘે કૃષ્ણને કહ્યું : “હે ગોપ ! મારા શરણે આવી જા, નહિ તો હું તને આ ચક્ર વડે હણીને કંસને માર્યાનું વૈર દૂર કરીશ.” એ પ્રમાણે જરાસંઘે કહેતાં કૃષ્ણે કહ્યું : “હે જરાસંઘ ! હાથમાં લોખંડનો ટુકડો આવતાં ફોગટનું અભિમાન કેમ કરે છે આ તારૂં જ ચક્ર પુણ્ય જતાં તને જ હણશે. એ પ્રમાણેનું કહેવું સાંભળીને ક્રોધથી લાલ થયેલા જરાસંઘે હાથના આગળના ભાગ પર ચક્ર ફેરવીને કૃષ્ણ ઉપ૨ છોડ્યું. આકાશમાં સૂર્યમંડળની જેમ તેજસ્વી ચક્રને જોઈને યાદવોએ હાહાકાર મચાવી દીધો. વિદ્યાધરો પણ ચક્રને આવતું જોઈને તે માર્ગથી અહીં-તહીં વિખરાઈ ગયા. દેવોના પણ વિમાનો તેના માર્ગથી જ્યાં ત્યાં નાસી ગયા. અર્થાત્ આઘા પાછા થઈ ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy