SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૪ ૩િ૩૩). પાંડવ ચરિત્રમ્ કૃષ્ણ નેમિને કહ્યું: “હે બંધો ! આ શું થયું ? તમારા જતાં મારું આ સૈન્ય મૂચ્છ પામેલું દેખાય છે. સ્વામિ નેમિએ કૃષ્ણ કહેલું વચન સાંભળીને અવધિજ્ઞાનથી વિચાર્યું. તે જ્ઞાન વડે જ જરાસુંદરીની ચેષ્ટા જાણી.” તે જાણીને સ્વામિએ કહ્યું: “હે કૃષ્ણ ! તારું સૈન્ય જરારૂપે જરાદેવીએ પકડ્યું દેખાય છે.” કૃષ્ણ કહ્યું : “હવે શું કરવું?” સ્વામિએ કહ્યું : “પાતાલ લોકમાં ધરણેન્દ્રના જિનમંદિરમાં ભવિષ્યમાં થનારા ત્રેવીસમા જિનશ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા વિદ્યમાન છે. આથી તું ત્રણ ઉપવાસ (અટ્ટમ) કરીને તે ધરણેન્દ્રની આરાધના કરીને તે પ્રતિમાને માંગ. ખરેખર આરાધના કરેલા એવા તારા માંગવાથી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા આપશે. તેના ચરણકમલના જલના છંટકાવથી તારૂં આ સૈન્ય ક્રમપૂર્વક મૂર્છા ત્યજીને જાગૃત થઈ ઉઠી જશે.” ફરી શ્રી નેમિને કૃષ્ણ કહ્યું : “હે બંધુ ! ત્રણ દિવસ સુધી જ્યાં ધ્યાનમાં રહું, ત્યાં સુધી આ સેનાનું રક્ષણ કોણ કરશે?” નેમિનિને કહ્યું : “હે કૃષ્ણ ! તેટલો સમય શત્રુના ભયથી તારી સેનાનું હું રક્ષણ કરીશ. તું નિશ્ચિત થા.” તેવા નેમિનિના વચન સાંભળીને હર્ષિત મનવાળા કૃષ્ણ અઠ્ઠમ તપ વડે પૌષધશાળામાં જઈને પૌષધ લઈને ધ્યાનમાં તત્પર બની ધરણેન્દ્રને પ્રસન્ન કર્યો. હવે પ્રભાત સમયે જરાથી ગ્રસ્ત કૃષ્ણના સૈન્યને જાણીને હર્ષથી યુક્ત મનવાળો તે જરાસંઘ ચતુરંગ એનાથી યુક્ત બાણની વર્ષા કરતો યાદવોને જ્યાં હણવા માટે જાય છે, તેટલામાં નેમિના કહેવાથી ઈન્દ્ર મોકલેલા નેમિ રથના સારથી માતલિએ યાદવ સૈન્યની ચારે બાજુ ચારે દિશામાં વંટોળિયા (ચક્રવાત)ની જેમ જાતે જ નેમિના રથને ઘુમાવ્યો. રથમાં બેઠેલા સ્વામિ નેમિએ પણ અસંખ્યાત બાણોને સર્વત્ર ઊંચે છોડ્યા. સ્વામિએ છોડેલી તે બાણશ્રેણીને જોઈને જરાસંઘના સંબંધિ રાજાઓ તે યુદ્ધ મેદાનમાં સાક્ષીરૂપે દૂર જઈ ઊભા રહ્યા. ત્યારે કરૂણા હૃદયવાળા અરિષ્ટનેમિએ મૂકેલા બાણોથી કેટલાકના બખ્તર છેદાયા, કેટલાકના મુગટ, ધ્વજા અને બાણો છેદાયા. પરંતુ દયાળુ હોવાથી પ્રાણોને હર્યા નહિ. આ બાજુ ધ્યાનમાં લીન બનેલા કૃષ્ણ મહારાજાને ત્રીજે દિવસે ધરણેન્દ્રની આજ્ઞાથી પ્રભાપૂંજમાં રહેલી ધરણપ્રિયા પદ્માવતી પ્રગટ થઈ. દેવીઓના સમૂહથી ઘેરાયેલી તે પદ્માવતીને જોઈને ચરણમાં નમસ્કાર કરીને કૃષ્ણ સ્તુતિપૂર્વક આમ બોલ્યા અર્થાત્ કૃષ્ણ આ પ્રમાણે સ્તુતિ કરી. જેવી રીતે હું આજે ધન્ય બન્યો છું, કતાર્થ થયો છું. હે પાવને ! આજ હું પવિત્ર થયો છું. આજ મારી ઇચ્છા સફળ થઈ છે. કારણ કે તમારું દર્શન પામ્યો છું! હે દેવી! તમારા વૈભવનું મારી જીભ વડે હું કેટલું વર્ણન કરું. શક્રાદિ ઇન્દો પણ કહેવા માટે સમર્થ નથી. એ પ્રમાણેના કૃષ્ણના ભક્તિવચનથી પ્રીતિવાળી બનેલી પદ્માવતીએ કૃષ્ણને કહ્યું: “હે કૃષ્ણ જે કાર્ય માટે તમે મારા પતિને યાદ કર્યા છે, તે કાર્ય શું છે તે કહો. જેથી કરીને હું તમારું ઇચ્છિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy