SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૩૩૨) સર્ગ - ૧૪ મૂશળ વડે જરાસંઘના તે અઠ્યાવીસે પુત્રોને ચૂરી નાખ્યા. તે પુત્રોને ચૂરી નાખેલા જોઈને ક્રોધે ભરાયેલા જરાસંઘે ગદા વડે રામ (બલભદ્ર)ને છાતી પર ઘા કર્યો. તે પ્રહારની વ્યથાથી પીડાતા રામ (બલભદ્ર) અત્યંત આકુળ-વ્યાકુળ થઈને ભૂમિ પર પડી જવાથી મુખમાંથી લોહીની ઉલ્ટી થઈ. ત્યારે યાદવ સેનામાં હાહાકાર મચી ગયો. તે હાહાકાર સાંભળીને ક્રોધથી લાલ આંખવાળા અર્જુને મગધના રાજા (જરાસંઘને) અટકાવ્યો. અર્જુનના તે બાણો વડે પ્રહાર કરાયેલો જરાસંઘ જરાથી ઘેરાયેલાની જેમ જર્જરિત થયો. ત્યારે જરાસંઘે વિચાર્યું કે, અહો ! બલવાન અર્જુન જે કુરુસેનાનો અંત કરીને મારા સન્યનો પણ અંત કરનારો થયો. હવે ગદાના પ્રહારથી વિહલ (દુઃખી) બલભદ્રને જાણીને જરાસંઘના તે ૬૯ પુત્રોને યમ ઘરે પહોંચાડ્યા. પછી જરાસંઘે કૃષ્ણની પાસે આવીને આ પ્રમાણે કહ્યું : “હે ગોપાલ બાલક ! આજે આ યુદ્ધમાં હું તારા પેટમાંથી કંસ, કાલાદિન કુમારને ખેંચી કાઢીશ. આથી તું તૈયાર થા. કવચને પહેરી લે, હાથમાં શસ્ત્ર લે, શસ્ત્રરહિતને ક્યારે પણ હું હણતો નથી. તો હું જરાસંઘ જે આજે તમને હણીને મારી પુત્રી જીવ શાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરીશ.” એ પ્રમાણે શત્રુ જરાસંઘને બોલતો સાંભળીને ક્ષોભ વિના કૃષ્ણ કહ્યું : “હે રાજન! તું પણ જમાઈ કંસને મળવા માટે ઉત્સુક લાગે છે. કારણ કે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થયો છે.” * એ પ્રમાણે બંનેય પરસ્પર (સામસામા) વાણી વડે તર્જના કરીને ધનુષ્યના ટંકાર કરતાં બાણવૃષ્ટિને કરવા લાગ્યા. બાણવૃષ્ટિ વડે કરીને યાદવ સૈન્યની તર્જના કરતા શરદઋતુના વાદળની જેમ ગર્જના કરતા જરાસંઘે સૂર્યમંડળને ઢાંકી દીધું. કૃષ્ણ પણ બાણસારો વર્ષાવીને જરાસંઘની સેનાને પીછેહઠ કરાવીને જરાસંઘને વ્યાકુળ બનાવી દીધો. તે બંનેનું યુદ્ધ થતાં રામ અને રાવણનું યુદ્ધ જોનારા દેવોને તેવો જ રસ ઉત્પન્ન થયો. જરાસંઘે કૃષ્ણ પર જે શસ્ત્ર છોડ્યા હતા, તે કૃષ્ણ રસ્તામાં જ તોડી નાખ્યા. તે બંનેનું યુદ્ધ થતાં આકાશમાં દેવોએ કોલાહલ કરવા માંડ્યો. કૃષ્ણ જરાસંઘના બાણોને ખંડિત કરીને તેને વિલખો કરી નાખ્યો. પછી વિલખો પડી ગયેલો જરાસંઘ ભાલા, તલવાર, તોમરાદિ શસ્ત્ર થકી પણ ભેદી ન શકાય તેવા શત્રુઓને જાણીને પૂર્વે સાધેલી પોતે સિદ્ધ કરેલી જરાસુર સુંદરીને સ્મરીને યાદવ સેનાને હણવા માટે રાત્રિએ જ મૂકી. જરાસંઘે મૂકેલી તે જરાસુંદરીદેવી રામ (બલદેવ) કૃષ્ણ અને નેમ વિના સમસ્ત સૈન્યના અંગમાં બીજી કાલરાત્રિની જેમ પ્રસરી ગઈ. તે જરાદેવીનું સ્વેચ્છાપૂર્વક ફેલાઈ જવાથી તે લશ્કરને સંપૂર્ણ રીતે ચેતનાથી ભ્રષ્ટ કર્યું. છતાં કંઈક ચેતના હોવાથી અલ્પ શ્વાસોશ્વાસ માત્ર લેતા હતા. હવે પ્રભાતે ઉઠેલા કૃષ્ણ ત્યારે પોતાના સૈન્યને તેવા પ્રકારનું જોઈને કંઈક પડી ગયેલા મુખવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy