SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૪ ૩િ૩૧) પાંડવ ચરિત્રમ્ સોમક દૂતના મુખથી યાદવસેનાનું વર્ણન સાંભળીને વધતા ક્રોધરૂપી અગ્નિવાળો જરાસંઘ અગ્નિની જેમ બધા યાદવોને ખાઈ જવા માટે ઇચ્છી રહ્યો છે. પછી યાદવસેનામાં પ્રવેશી ગયેલા અત્યંત બલવાન, કલ્પાન્તકાલના પવનની ઉપમા સમાન જરાસંઘે તેવા પ્રકારની પણ યાદવસેનાને ક્ષણમાત્રમાં પીછેહઠ કરાવી. અરિષ્ટ નેમિએ તે યાદવસેનાને ડહોળી (મથી) નંખાતી જોઈને સારથિને કહ્યું: “હે માતલે ! આ યાદવસેનાને જરાસંઘ રાજા પીડી રહ્યો છે.” માતલિએ કહ્યું : હે દેવ ! આ તમારા ભાઈની સેનાને જરાસંઘ વડે (મથી) ડહોળી નંખાતી જોઈને આપને ઉપેક્ષા કરવી ઉચિત નથી.” કારણ કે – મમતા વિનાના એવા તમારે જો કે પાપકારી થાય તો પણ ઇન્દ્રના રથનો ઉપયોગ કરી સફળ કરો. એ પ્રમાણે માતલિના કહેતાં અનંત બલના પરાક્રમી શ્રી નેમિએ ધનુષ્ય પર બાણને ચડાવ્યું. તેમના ધનુષ્યના રણકારના શબ્દથી બધી દિશાઓ અવાજમય બની ગઈ. પછી ફરી નેમિકુમારે પોતાના મુખની ફૂંકથી (વાયુથી) શંખ વગાડ્યો. તે શંખના અવાજથી શત્રુ (જરાસંઘ) સૈનિકો મૂચ્છિત થયેલા જમીન ઉપર આળોટવા લાગ્યા. કેટલાક નાસી ગયેલા પર્વતની ગુફામાં પેસી ગયા, કેટલાક નાસી જઈને પોતાના સ્થાન (છાવણી)માં જતા રહ્યા. કેટલાકે જરાસંઘનું શરણ સ્વીકાર્યું. એ રીતે મેરૂ જેમ નિશ્ચલ જરાસંઘનું સંપૂર્ણ સૈન્ય નાસી જતાં માતલિએ નેમિને કહ્યું : “હે દેવ ! તમે આ બધીય શત્રુસેનાને જીતી લીધી છે, તો હવે યાદવશત્રુ એવા આ મદાર્ધ જરાસંઘની કેમ ઉપેક્ષા કરો છો ? આ બીજા રાજાઓના સમૂહ વડે પણ છેદાવો દુષ્કર છે. એક ધનુષ્ય બાણ) વડે આપનાથી તે છેદી શકાય તેમ છે.” માતલિએ કહેલા તેના આ વચન દયાપૂર્વક નેમિનિને સાંભળ્યા. પછી સમુદ્રવિજયના પુત્ર નેમિએ મૌન છોડીને કહ્યું : “હે સારથી! આ રાજાઓને રોકવા મારા જેવાને ઉચિત યોગ્ય નથી.” ભાઈના આગ્રહથી હું અહીંયા આવ્યો છું. સંગ્રામ (યુદ્ધ) સાથે મારે શું પ્રયોજન ? વળી આ એક શાશ્વત વસ્તુ (નિયમ) છે કે વાસુદેવ વડે જ પ્રતિવાસુદેવ હણાય છે. તે માતલિ, મારૂં કહેલું તું થોડા જ દિવસમાં જોઈશ. એ પ્રમાણે કહીને સ્વામિ (નેમિ) એ માતલિને મૌન કર્યો. પછી સ્વામિની આજ્ઞાથી માતલિએ રથને સૈન્યની ચારેબાજુ અને ચારે દિશાઓમાં ભમાવીને યાદવ સૈન્યની રક્ષા કરી. વળી ફરી બંને પક્ષ સૈન્ય સજ્જ થતાં યુદ્ધ માટે તૈયાર થયા. અભિમાનપૂર્વક જરાસંઘના ઓગણસિત્તેર (૬૯) પુત્રોએ પિતાની આગળ થઈને કૃષ્ણને રોક્યો. તેવી રીતે જરાસંઘના અઠ્યાવીસ પુત્રોએ બલભદ્રને રોક્યો. પછી કૃષ્ણ અને બલભદ્ર એ બે જણા જરાસંઘના પુત્રો સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓની સાથે યુદ્ધ કરતાં બલભદ્ર હળ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy