SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િ૨૯ સર્ગ - ૧૪ પાંડવ ચરિત્રમ્ જરાસંઘ અત્યંત શોકમાં ડૂળ્યો. કારણ તેના જેવો સહાયક ચાલી જતાં કોણ શોક ન કરે ? તે વખતે ત્યાં આવેલા શિશુપાલના આશ્વાસનથી ઘેર્યને ધરનારો જરાસંઘ ફરી તેવી જ રીતે યુદ્ધ માટે તૈયાર થયો. પછી શિશુપાલ રાજાનો સેનાપતિપણે અભિષેક કર્યો. પોતે પણ બખ્તર પહેરીને યુદ્ધના શસ્ત્રથી ભરેલા રથ પર બેસીને યાદવ સૈન્યને જીતવાને માટે પ્રાત:કાળે પ્રયાણ કર્યું. ત્યારે તેના પ્રયાણ વખતે ખરાબ શુકનોએ વારવા છતાં તે યુદ્ધના પરિણામથી અટક્યો નહિ. જેમ કે – પોતાના પગ અને વાહનનું અલન, વસ્ત્રનું ફાટવું અને ક્યારેક હાથી વગેરે વાહનનું નાસી જવું, દ્વાર સાથે ભટકાવવું, ધ્વજા અને વસ્ત્રનું પડી જવું વગેરે જનારાને માટે પ્રયાણ સમયે વિઘો (અપશુકન) કહ્યા છે. ઇત્યાદિ અપશુકનોએ વાળવા છતાં પણ જાણે યમના ગૃહની સામે જતો હોય તેમ યુદ્ધના સ્થાને ચાલવા લાગ્યો. કૃષ્ણ ક્યાં છે ? કૃષ્ણ ક્યાં છે ? ઇત્યાદિ મુખથી બોલતો ઉદ્ધત થયેલો જરાસંઘ વેગપૂર્વક યુદ્ધને માટે યાદવ સૈન્ય પાસે આવી ગયો. ફરી જરાસંઘે ચક્રવૂહને રચ્યો. ફરી તેવી જ રીતે કૃષ્ણના સેનાપતિ અનાવૃષ્ણિએ ચક્રવૂહમાં પ્રવેશ કર્યો. તે અનાવૃષ્ણિએ હાથીઓને સિંહ જેમ અટકાવે તેમ તે જરાસંઘના સૈનિકોને અટકાવ્યા. તેટલામાં ઉન્મત્ત થયેલો શિશુપાલ મરણની ઇચ્છાવાળાની જેમ કૃષ્ણની પાસે આવી ઊભો. કૃષ્ણને કહ્યું: “હે કૃષ્ણ, જો તું યુદ્ધમાં નિપુણ હોય તો શસ્ત્ર લઈને સાવધાન થા !” હસતાં હસતાં કૃષ્ણ કહ્યું : “હે શિશુપાલ ! તારી માતા માદ્રીની આગળ મેં કહેલું છે કે સો અપરાધ કરવા છતાં પણ હું તારા પુત્ર પર ક્રોધ નહિ કરું, એવી તારી માતાની આગળ મેં પ્રતિજ્ઞા કરી છે. તે પ્રતિજ્ઞા પૂર્ણ કરીને પછી હું તને શિક્ષા કરીશ. પિતાની બહેન (ફોઈ)નો પુત્ર હોવાથી તારા સો અપરાધ સહન કરીશ.” એ પ્રમાણે કૃષ્ણ કહેતાં જ લજ્જા મૂકીને ચેદિ રાજા શિશુપાલે હિસાબ વિનાના બાણો વડે તે જ વખતે પ્રત્યુત્તર આપ્યો. એટલે કે કૃષ્ણ ઉપર બાણો છોડ્યા. કૃષ્ણ તેની બાણોની શ્રેણીને છેદ્યા પછી બાણ વડે ધનુષ્યની દોરીને છેદી (તોડી) નાંખી. ત્યારે ચેદિ રાજા શિશુપાલ શીવ્ર બીજું ધનુષ્ય ચડાવ્યું. ફરી પણ તેણે કૃષ્ણ પ્રતિ બાણોને છોડ્યા. ફરી પણ કૃષ્ણ બાણ વડે બાણોને છેદી નાખ્યા. પછી રાજલક્ષ્મીના સ્થાનરૂપ ધજાને છેદી નાખી. ત્યારબાદ એક બાણથી સારથિને, એક બાણથી તલવારને, એકથી ઢાલને, એ પ્રમાણે લીલામાત્ર (રમત કરવા) થકી અનેકવાર બોધ પમાડવા છતાં પણ જેનું મરણ નજીક છે, તેવો તે બોધ ન પામ્યો. ત્યારે એક બાણ વડે ચેદિ રાજા શિશુપાલનું મુગટ સહિત અને કુંડલ સહિત શિર છેદી નાખ્યું. તે સમયે આકાશમાં આ પ્રમાણે વાણી થઈ, આ કૃષ્ણને ધન્ય છે, જેણે પિતાની બહેનના (ફોઈ)ના કહેવાથી સો અપરાધ સહીને પછી અર્ધ ચંદ્રબાણ વડે શિશુપાલનું શિર છેવું. દમઘોષના પુત્ર શિશુપાલને હણીને યદુસૈન્યથી પરિવરેલો કૃષ્ણ જરાસંઘના સૈન્ય સાથે યુદ્ધ શરૂ કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy