SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૨૮ સર્ગ - ૧૪ ગદાને ઉછળતો વજથી જેમ પર્વતો ચૂરાય તેમ શત્રુરાજાઓને ગદા વડે ચૂરી નાખ્યા. એવી રીતે નકુલ અને સહદેવ પણ યુધિષ્ઠિરની આજ્ઞાથી જરાસંઘ સેનામાં ફેલાઈ જઈને (પેસીને) તે સેનાને પ્રાણને હણનારા બાણો વડે કેટલાક શૂરવીરોને ત્રાસ પમાડ્યા. કેટલાકને યમના દાસ બનાવ્યા. કેટલાક વીરો પ્રાણનો સંશય માની હિરણ્યનાભ સેનાપતિને શરણે ગયા (થયા). હવે હિરણ્યનાભ નામના જરાસંઘના સેનાપતિએ યુદ્ધરૂપ સમુદ્રમાં યાદવરૂપી પાણીને હલાવી (મર્દી) નાખ્યું. હિરણ્યનાભ યુદ્ધભૂમિમાં ફેલાઈ જતાં સિંહના પરાક્રમને જેમ હાથી સહી શકતો નથી, તેમ યાદવો તેના પરાક્રમને સહી ન શક્યા. હિરણ્યનાભથી ડરેલા કેટલાક યાદવો નેમિ, મહાનેમિને શરણે ગયા. કેટલાક અનાવૃષ્ણિને શરણે ગયા. એ પ્રમાણે હિરણ્યનાભથી યાદવ સેનાને વેર-વિખેર કરાતી જોઈને અત્યંત પરાક્રમી ભીમ આ પ્રમાણે બોલ્યો : જેમ કે હે જરાસંઘ સેનાપતિ ! બલને શા માટે ફોગટ ગુમાવે છે. મારી પાસે આવ, તારા બલની ખાજને દૂર કરૂં. એ પ્રમાણે ભીમે બોલાવેલો હિરણ્યનાભ સેનાપતિ યુદ્ધરૂપ સાગરમાં પ્રવેશ્યો. પછી તેઓએ પરસ્પર બાણવાળું લાંબુ યુદ્ધ પ્રવર્તાવ્યું. ત્યારે શસ્ત્રો પૂર્ણ (ખાલી) થઈ ગયા પછી તેઓનું બે મલ્લની જેમ મુઠ્ઠીયુદ્ધ થયું. તે યુદ્ધમાં ભીમે અવસર પામીને વજ જેવી કર્કશ (કઠીન) મુષ્ટિના પ્રહાર વડે હણાયેલા હિરણ્યનાભે પ્રાણોને ત્યાગી દીધા. કૃષ્ણ અને બળદેવથી જેમ ચાણૂર અને મુષ્ટિક હણાયા હતા, તેવી રીતે ભીમ વડે તે હણાયો. જરાસંઘનો સેનાપતિ હિરણ્યનાભ હણાતાં તેનું સૈનિકરૂપ વન તેજ ક્ષણે યાદવરૂપી અગ્નિ વડે બળવા લાગ્યું. ત્યારે પ્રાપ્ત થયેલા જયેવાળા ભીમ ઉપર બધા યાદવોની દૃષ્ટિ પડી. ત્યારે સૂર્ય ચિંતવ્યું, ભીમ જેવો પરાક્રમી બીજો કોઈ છે ? એમ વિચારીને સૂર્ય બીજા શૂરવીરને જોવા માટે જાણે બીજા દ્વિપમાં ચાલ્યો ગયો ન હોય ? સંધ્યા સમય થતાં રાજાઓ પોતપોતાના સ્વામિની આજ્ઞા પામીને પોતપોતાની છાવણીમાં આવી ગયા. જરાસંઘ અને કૃષ્ણના યુદ્ધનો પહેલો દિવસ પૂર્ણ થયો. તે રાત્રિએ કૃષ્ણના સૈન્યમાં ખુશી પ્રવર્તી. મગધ દેશના રાજા જરાસંઘના સૈન્યમાં શોક વ્યાપી ગયો. અહો ! વિધિનો આ વિલાસ કેવો ? કહ્યું છે કે – કુમુદવન શોભા વિનાનું થાય છે. કમળવન વિકસિત (શોભાયમાન) થાય છે. ઘુવડ આનંદ તજી દે છે. ચક્રવાક પ્રીતિ (આનંદ) ધરે છે. જ્યારે સૂર્યનો ઉદય અને ચંદ્રનો અસ્ત થાય છે. ત્યારે વિધિના આ વિલાસનો જ આશ્ચર્યકારી વિપાક છે. અનાવૃષ્ણિએ પાંડવોની તાકાતનું વર્ણન કરતાં બધાય યાદવોએ પ્રીતિપૂર્વક ભેટીને પાંડવોની પ્રશંસા કરી. હવે હિરણ્યનાભ હણાઈ જતાં ધર્ય વૈભવ ખૂટી ગયો છે, તેવો મગધ દેશનો રાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy