SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૩૧૯ પાંડવ ચરિત્રમ્ કરવું એવા વિચારમાં ડૂબેલા લજ્જાવાળા અને ડરેલા તેઓ કૌરવ પુંગવ દુર્યોધનને તે જ સ્થિતિમાં મૂકીને વિષાદ મનવાળા જુદાજુદા ક્યાંય ચાલી ગયા. આવો દુર્યોધનનો મરણ વૃત્તાંત જાણીને પત્ની સાથે રહેલા ધૃતરાષ્ટ્રની પાસે આવીને સંજય કહ્યો. માતાપિતાએ કાનરૂપ ગુફામાં વજ પડવાની ઉપમા જેવો દુઃખદાયક તે વૃત્તાંત સાંભળીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એકાએક મૂર્છાભાવને પામ્યા. પછી મૂર્છાથી મીચાયેલી આંખોવાળા તેઓ કંઈક રાત્રિના ઠંડા પવનથી ચેતનાને પામીને રડતી આંખે આમ વિલાપ કરવા લાગ્યા. હા ! બેટા ! ધીરોમાં પ્રધાન ! હા માનનું ઘર ! હા ! ગુણરૂપ પૃથ્વીને વિશે બગીચા સમાન! હા ! દુઃખે કરી આક્રમણ કરી શકાય તેવા પરાક્રમી ! હા ! તલવારરૂપ દૂધથી ભીંજવેલા શત્રુમંડન. હા ! નમેલા સમસ્ત રાજાના મસ્તકની માળાથી પૂજાયેલા જેના ચરણ ! કૌરવકુલ મુગુટ ! વડીલોનો ભક્ત ! હા ! અત્યંત સૌજન્યવાળો, યશનો ક્ષીરસમુદ્ર ! હા ! દુર્યોધન ! તું અમને છોડીને ક્યાં ગયો છે ? હે દુર્યોધન ! તારું બળ ક્યાં ગયું? જેની આગળ ઇન્દ્ર પણ સંગ્રામમાં ઉભા રહેવા માટે સમર્થ નથી, તેવા તારી આ કેવી દશા થઈ ? અહો ! વિધિએ શું કર્યું? આંધળા એવા અમારા હાથમાંથી લાકડી છીનવી લીધી અર્થાત્ આંધળાની લાકડી જેવા તેને છીનવી લીધો. હે વત્સ ! તારા વિના અમારું આજે આ સમસ્ત જગત પણ શૂન્ય થઈ ગયું છે. અહો ! વિધિએ તારી પહેલાં અમને કેમ ન લઈ લીધા. પરંતુ આજે એમ જણાય છે કે વિધિની પણ આંધળાના ઘર ઉપર કરૂણા વરસતી નથી. એમ વારંવાર વિલાપ કરતા દુર્યોધનના માતા-પિતા મૂર્છાને પામ્યા. ફરી ચેતના પામેલા તેઓ પૃથ્વીતલે આળોટવા લાગ્યા. ત્યારે ગાંધારી અને ધૃતરાષ્ટ્રને પુત્રના શોકથી આ જગત હલાહલય, અગ્નિમય, મરણમય લાગ્યું. આ બાજુ પાંડવો ક્રોધે ભરાયેલા બલભદ્રને પ્રસન્ન કરીને પોતાની સેના તરફ ચાલ્યા. તેટલામાં અર્થે માર્ગે સામે આવીને સત્યકીએ પાંડવાદિ ધૃષ્ટદ્યુમ્ન શિખંડીના વધના સમાચાર મૂળથી લઈને આપ્યા. તે વૃત્તાંત સારી રીતે સાંભળીને વજપાતની ઉપમા સમાન વચન સાંભળીને શોક કરતા પાંડવોને કૃષ્ણ કહ્યું : “હે પાંડવો ! સંસાર તત્ત્વને જાણનારા તમે પણ જો શોકના સ્થાનરૂપ થશો તો પછી બીજાનું શું કહેવું ? તમારા જેવા બેઠે છતે પુત્રો અતિદુર્લભ સંભવતા નથી. તે શોકને છોડીને આપણે સેના તરફ જઈએ. જેથી કરીને ભાઈ અને પુત્રના વધથી દુઃખી થયેલી દ્રૌપદીને સાંત્વના આપીએ.” એવી નારાયણની વાણી સાંભળીને પાંડવો શોકને ઢીલો કરીને પોતાની છાવણીમાં આવી ગયા. ત્યાં જગ્યાએ જગ્યાએ મહાઆક્રન્દ સાંભળતાં પાંડવો પોતાના મહેલમાં દ્રૌપદીની પાસે આવી ગયા. દ્રૌપદી રડતાં રડતાં ભાઈ અને પુત્રોને યાદ કરીને આ પ્રમાણે બોલી : “હા વત્સા ! હા મહાવીરો ! હા ! માને હૃદયમાં રાખનારા મંદ ભાગ્યવાળી મને છોડીને તમે ખરેખર ક્યાં જઈને રહ્યા છો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy