SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૩૧૮) સર્ગ - ૧૩ હે પાંડવોના લશ્કરના સૈનિકો ! જલ્દી શસ્ત્ર તૈયાર કરો ! હમણાં તમારી ઉપર યમની જેમ ક્રોધે ભરાયેલા અશ્વત્થામાથી છૂટીને તમે ક્યાં જશો? આ વચન સાંભળીને શિબિરમાં રહેલા સર્વ સૈનિકો એકાએક ઉઠી ગયા અને ઘોંઘાટ સાથે ગભરાઈ ગયા. પછી પાંડવોની સેનામાંથી કોદંડ ધનુષ્ય પર બાણ ચડાવતા, મહાભૂજાવાળા ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી બંનેય દોડ્યા. પછી તે બે દુષ્ટ ગ્રહોની જેમ કૃપાદિને બાણવૃષ્ટિ દ્વારા અવરોધ કર્યો. પછી શૂરવીર દુર્યોધનથી પ્રેરાયેલા અશ્વત્થામાદિએ સતત બાણોની શ્રેણી થકી તેઓના ચિત્તને વ્યગ્ર કરીને અર્ધચંદ્ર બાણ વડે બંનેના મસ્તક છેદી નાખ્યા. તેઓને હણીને દ્રોણ અને ભીષ્મની વૈરવાળવાની ઇચ્છા પૂર્ણ કરી. એ પ્રમાણે રાગ અને દ્વેષની જેમ તેઓ હણાઈ જતા કર્મની જેમ તેનું સંપૂર્ણ સૈન્ય નાસી ગયું. હવે પાંચ પાંડવોની બીજી મૂર્તિ (આકૃતિ) હોય તેવા દ્રૌપદીની કુક્ષિરૂપ સરોવરમાં પુંડરિક કમળ સમાન તે દ્રૌપદીના પાંચ પુત્રો કામદેવના બાણોની જેમ દુર્જેય પાંચેય પુત્રો અશ્વત્થામાને હણવા માટે દોડ્યા. પછી ક્રોધથી લાલ થયેલા અશ્વત્થામાદિ પાંડવોની ભ્રાન્તિથી પાંડવપુત્રોની સાથે ભયંકર યુદ્ધ ચડ્યા. પછી તે બંનેનું પરસ્પર એકબીજાના પ્રાણનાશની તૈયારી રૂપ યુદ્ધ થવા લાગ્યું. તે રાત્રિને વિશે તેઓનું અત્યંત ભયંકરમાં ભયંકર યુદ્ધ થતાં પાંડવ પુત્રોએ ગાઢ પ્રહારપૂર્વક અશ્વત્થામાદિ કૌરવ વીરોનો તિરસ્કાર કર્યો. પછી તિરસ્કૃત થયેલા અશ્વત્થામાદિ શૂરવીરો દ્રૌપદીના પુત્રોને સર્વબલથી હણવા માટે તૈયાર થયા. (પુરુષાર્થશીલ બન્યા.) એ પ્રમાણે તેઓનું યુદ્ધ થતાં અશ્વત્થામાએ બાણની શ્રેણી વડે અને મંત્રથી અભિષેક કરાયેલ શસ્ત્ર વડે હણીને દ્રૌપદીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા પાંચેયને મૃત્યુ પ્રાપ્ત કરાવ્યું. પાંડવ પુત્રોની બુદ્ધિથી તેઓના મસ્તક છેદીને પ્રીતિપૂર્વક અશ્વત્થામાદિ દુર્યોધનની પાસે લઈ ગયા. ત્યારે શ્વાસમાત્ર બાકી રહેલા અતિ વેદનાના કારણે મૂર્છાથી આકુલ આંખોવાળા તે દુર્યોધને તેઓને જોયા. તે અશ્વત્થામાદિએ શ્વાસ માત્ર રહેલા દુર્યોધન સુખને પામે તે માટે દ્રૌપદીના પુત્રના મસ્તકો આનંદપૂર્વક તેની આગળ મૂક્યા અને અરણિના લાકડા વડે અગ્નિ પ્રગટાવ્યો. પછી આ પ્રમાણે કહ્યું: “હે દુર્યોધન રાજેન્દ્ર ! આંખો ખુલ્લી કરીને પાંડવોના મસ્તકો જોઈને સંતોષ પામો.” તે સાંભળીને કંઈક અલ્પ આંખો ખોલીને તે મસ્તકોને જોઈને વિલખા મુખવાળો, લાંબા શ્વાસવાળો તે દુર્યોધન એકાએક પૃથ્વી પર ફરીથી પણ તેવી જ રીતે પડ્યો. હે મૂર્ખાઓ ! તમે લોકોએ અજ્ઞાનવશ ખોટું આચરણ કર્યું છે. કારણ કે ખરેખર તમે દૂધ પીતા એવા પાંડવપુત્રોને માર્યા છે. એમાં તમારું પરાક્રમ શું? દુષ્ટ પાંડવો તો હજુ જીવતા જ છે. મારું એવું ભાગ્ય નથી કે જેને મારી આંખો હણાયેલા જુએ. એમ ધીરે ધીરે બોલતો જતો અત્યંત મૂર્છાથી દુઃખી થતો ક્રૂર અધ્યવસાયવાળો દુર્યોધન મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. કૌરવેન્દ્ર દુર્યોધનને મરેલો જાણીને અશ્વત્થામા વગેરે મહાવીરો શું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy