SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૩૧૫) પાંડવ ચરિત્રમ્ ફરીથી યુધિષ્ઠિરે કહ્યું કે અહીંયા કંઈ રહેવા માટે શક્ય છે. જો અર્જુન રોષાયમાન થાય તો તે વિદ્યા-અસ્ત્ર વડે પણ સમુદ્રને શોષવા માટે સમર્થ છે. ત્રણ જગતને તૃણ (તણખલા)ની જેમ ગણનાર તારૂં તે બાહુનું અભિમાન આજ ક્યાં ગયું છે ! જેથી કરીને અમારો તિરસ્કાર કરી (અમને અવગણીને) તું સંપૂર્ણ પૃથ્વીને ભોગવવા માટે ઇચ્છે છે ? હે આત્માને નહિ જાણનારા ! હે મૃત્યુભીરુ ! જો તું મરણથી ડરે છે તો ગોત્ર વૃદ્ધોએ કહ્યું છતાં સંધિ કેમ ન કરી? કૃષ્ણ માગવા છતાં પાંચ ગ્રામો તે કેમ ન આપ્યા ? ગુરુવચનનું ઉલ્લંઘન કરનાર તારૂં હમણાં મરણ આવ્યું છે. જીવિત રહ્યું નથી તથા તે પહેલાં દ્રૌપદીના કેશ-વસ્ત્ર ખેંચવા દ્વારા અનુચિત જે કાંઈ કાર્ય કર્યું છે, તેનું પણ પ્રાણ હરવા દ્વારા તારું પ્રાયશ્ચિત્ત ભીમ ગદા વડે આપશે. તેથી પાણીમાંથી બહાર આવીને અમારી સાથે યુદ્ધ કર. જેથી સ્વકુળનું અને બાહુબલને લજ્જા ન આવે તેવી રીતે સરોવરથી નહિ નીકળે તો અર્જુન આગ્નેય બાણ વડે કરીને સંપૂર્ણ સરોવરને શોષી લેશે. ત્યારે તું ક્યાં જઈશ ? આથી તું અમારી સાથે યુદ્ધને કર. બધા ભાઈઓને અંગીકાર કર, સ્વીકાર. જેની સાથે યુદ્ધની ઇચ્છા હોય તેને શોધી લે. તે જીતાતાં અમે બધાય જીતાઈ ગયા છીએ. પછી તે સંપૂર્ણ પૃથ્વીને ભોગવ. એ પ્રમાણે કર્ણ (કાન)રૂપી ગુફામાં વિષવૃષ્ટિની બહેન જેવી યુધિષ્ઠિરની વાણી સાંભળીને ભીમની સાથે ગદાયુદ્ધ સ્વીકાર્યું. ભીમે પણ તે સ્વીકાર્યું. પછી વાદળમાંથી સૂર્યની જેમ દુર્યોધન સરોવરમાંથી બહાર નીકળ્યો. પછી હાથીઓ ઉન્મત્ત હાથીને લઈ જાય તેમ પાંડવો ભેગા થઈને તે દુર્યોધનને રણક્ષેત્રમાં લઈ ગયા. પછી તે કચ્છબદ્ધ શ્રેષ્ઠ હાથીની જેમ મદોન્મત્ત ભીમ અને દુર્યોધન ગદારૂપ શસ્ત્રને હાથમાં ધરેલા યમના નોકરો જેવા દુઃખે કરી જીતી શકાય તેવા પોતપોતાની સેનાના લોકો વડે કુતૂહલથી જોવાતા બલભદ્રાદિ યાદવો વડે નિરીક્ષણ કરાતા યુદ્ધ મેદાનમાં લોકો વડે ચારે બાજુથી ઘેરાયેલા હતા. તે જોઈને કૌરવ પક્ષના સૈનિકો કૌરવની પ્રશંસા કરે છે. પાંડવ પક્ષના સૈનિકો મહાકાય ભીમની પ્રશંસા કરે છે. એ પ્રમાણે પોતપોતાના ભાઈઓથી પ્રશંસા પામેલા દેવો વિદ્યાધરોથી વિમાનમાંથી બેઠા બેઠા જોવાતા પરસ્પર યુદ્ધ કરે છે. પછી તેઓ ઊંચા હાથ વડે ગદાઓ લઈ સિંહનાદને કરતા ચક્રવાતની જેમ બંને ઘૂમે છે. ક્યારેક ગદાના પ્રહારથી પ્રહારને ઝીલતા, ક્યારેક બંનેય ભેગા થઈને પાછળ ફરતા. ક્યારેક યુદ્ધ કરીને ચાલતા, ક્યારેક ભૂતથી આવૃતની જેમ શિરને કંપાવીને કૂકડાની જેમ ઊંચા થઈને ગદાના પ્રહાર કરે છે. ક્યારેક ગદાથી જે ગદાની રક્ષા કરે છે. તેઓને આ પ્રમાણેનું યુદ્ધ કરતાં જોઈને હાથમાં વરમાળ લઈને ઉભેલી હિંડોળાની જેમ શું કરું, શું ન કરું, એવી મનવાળી જયરૂપ લક્ષ્મી તે એકસરખા પરાક્રમવાળાઓને જોઈને કોને માળા પહેરાવું? એવી ચિંતારૂપ સાગરે જ્યાં ડૂબી ત્યાં કૌરવેન્દ્ર દુર્યોધને ગમે તેમ કરીને ભીમની દૃષ્ટિને છેતરીને મસ્તક પર પ્રહાર કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy