SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૧૪ સર્ગ - ૧૩ ત્યારે પાંડવ સેના દુર્યોધનનું પરાક્રમ સહન કરી શકતી નથી. તેથી તે કૌરવ અને પાંડવોનું પરસ્પર યુદ્ધ દેવોને પણ સહન કરવું દુષ્કર બન્યું. હવે દુર્યોધનને કુટબુદ્ધિ આપનાર શકુનિએ મોટો હાથી નાના બચ્ચાને જેમ રગદોળે તેમ સહદેવને રગદોળી નાખ્યો. સહદેવ પણ દુર્યોધનાદિ સૈનિક સુભટો પર ભયંકર તીક્ષ્ણ બાણોને વરસાવવા લાગ્યો. તે રાજાઓએ પણ બાણશ્રેણિ વડે સહદેવને વ્યગ્ર (આકુળ-વ્યાકુળ) કરી દીધો. દુર્યોધનાદિ સૈનિક સુભટો ઉપર ભયંકર તીક્ષ્ણ બાણોને છોડતો યુદ્ધમાં દુર્ઘષ બન્યો. શકુનિ અને સહદેવ પ્રાણોની પ્રતિજ્ઞા કરેલા યુદ્ધના જુગારમાં રમતા શોભી રહ્યા છે. પછી સહદેવે યુદ્ધરૂપ જુગારમાં બાણરૂપ સોગઠા વડે કરીને શકુનિને જીતી લધો. બાણો વડે શકુનિને હણાયેલો જાણીને દુર્યોધન શ્વાસ લેતો હોવા છતાં ધમણની જેમ જડ જેવો થયો. પછી કોઈપણ રીતે ફરી ચૈતન્ય (ચેતના) પામેલો, બળ વગરનો બનેલો દુર્યોધન આકુળતાને પામ્યો. પછી સૈન્યના રથથી ઉડેલી અંધકાર પટને કરનારી રેતીના પુરથી ઢંકાઈ ગયેલા (અદેશ્ય થયેલા) શરીરવાળો તે દુર્યોધન જાતે દૂર જતો રહ્યો. તેની સેનામાંથી દુર્યોધન નાસી જતાં તે સેના નાયક વિનાની બની ગઈ. પછી કૃપ, કૃતવર્મા, અશ્વત્થામા, આ ત્રણેય દુર્યોધનને નહિ જોતાં ખેદથી આશ્ચર્ય પામેલા તેઓ દુર્યોધનને શોધવા લાગ્યા. અહીં-તહીં ભમતા તે રાજાઓએ દુર્યોધનની પદની શ્રેણીને ત્યાં નજીકમાં રહેલા સરોવર પર જોઈ. પછી તે રાજાઓએ દુર્યોધનના પગલાને અનુસરતી પાંડવ સેનાને જોઈને “દુર્યોધનને જાણતા નથી” એ પ્રમાણે દુર્યોધનના સૈનિકો ત્યાં નજીકમાં રહેલી પર્વતની ગુફામાં ક્યાંય પણ પ્રવેશી સંતાઈ ગયા. તે વખતે કોઈક વનેચરે આવીને પાંડવોની આગળ કહ્યું : “હે પાંડવો ! તમારો શત્રુ દુર્યોધન નાસી ને તમારા ડરથી આ સરોવરમાં પ્રવેશેલો છે. તે દુર્યોધનને ભીતીના કારણે તે સરોવરમાં છૂપાયેલો જાણીને ક્રોધથી લાલ આંખવાળા બનેલા પોતાની બાકી રહેલી એક અક્ષૌહિણી સેનાના સમૂહથી શોભતા પાંડવો તે સરોવરની ચારેબાજુ વીંટળાઈને ઉભા રહ્યા.” તે સરોવરના કાંઠે રહીને યુધિષ્ઠિરે દુર્યોધનને કહ્યું : “હે દુર્યોધન ! તું તારી જાતને ફોગટનો વીર માને છે. શિયાળ ક્યારે પણ સિંહ બને ખરો ? તારા જેવા શિયાળીયાએ સૈન્યના બલથી સિંહની જેમ આચરણ કર્યું. પણ ફરી શિયાળ બની ગયો. કારણ કે તે ભાગી ગયો. તારા પલાયનપણાથી નિષ્કલંકિત પિતા ધૃતરાષ્ટ્રનું કુળ કલંકિત થયું.” જેમ કે એ પ્રમાણે મિત્ર, સંબંધિ અને ભાઈઓને સારી રીતે હણીને જો તું હમણાં પોતાના પ્રાણની રક્ષા માટે પાણીમાં ડૂબે છે. પરંતુ પાણીમાં ડૂબવા છતાં પણ તારૂં જીવવાપણું ક્યારેય નથી અર્થાત્ તારું જીવન ખતમ થઈ ગયું છે. અમે સરોવરને શોષાવીશું ત્યારે તું એક મુહૂર્ત પણ પસાર નહિ કરી શકે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy