SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૩િ૧૩) પાંડવ ચરિત્રમ્ થતાં શલ્ય (કાંટાની) જેમ શલ્યને મૂળથી દૂર કરવા માટે ભીમાદિ ભાઈઓ સાથે પરિવાર સહિત યુધિષ્ઠિર યુદ્ધની ભૂમિ પર આવી ગયા. પછી બંનેય સૈન્ય પરસ્પર પોતાના સ્વામી થકી ઉત્સાહિત થયેલા યુદ્ધ કરવા લાગ્યા. જેમ કે ત્રુટતા સુભટના કંઠના હાડકાનો ઘટકાર અને છાતીમાંથી નીકળતા ધ્વનિ, ધડના તીવ્ર તાંડવવાળો ભયંકર યુદ્ધ ઉત્સવ થયો. પછી તે બંને સૈન્યોના બાણો સૈનિકોના રૂધિર રૂપી આસવ પીને પુષ્ટ થયેલાની જેમ પૃથ્વી પર આળોટે છે. પછી દુશ્મનોના કુલનો નાશ કરતા નકુલ-કૌરવોની સેનામાં પ્રસરી ગયો. તે નકુલના તીણ બાણના સમૂહો પડવાથી આકુલ-વ્યાકુલ થયેલી પોતાની સેનાને જોઈને મદ્રદેશના રાજા શલ્ય ક્રોધના આવેશથી નકુલ પ્રતિ દોડ્યા. શલ્યના અત્યંત ઉન્મત્ત બનેલા બાણોથી પરેશાન થયેલી પાંડવોની સેના સમુદ્રના તરંગો વડે નદીની જેમ પીછેહઠ કરનારી થઈ. પછી શલ્ય વડે વધ કરાતી પાંડવસેનાને જોઈને યુધિષ્ઠિરને કૃષ્ણ કહ્યું : “હે યુધિષ્ઠિર, દુશ્મન એવા શલ્ય વડે હણાતી સ્વસેનાને જોઈને યોગીન્દ્રની જેમ ઉપેક્ષા કેમ કરે છે ?' પહેલાં શલ્યરાજાએ શક્તિ નામના અસ્ત્ર વડે વિરાટના પુત્રને હણ્યો હતો. ત્યારે તે ઉત્તરકુમારની માતા સુદેષ્ણાને કહ્યું હતું કે, હે સુદેણે ! રોઈશ નહિ. તારા પુત્રને થોડા જ દિવસોના અંતે શલ્યના પેટમાંથી ખેંચી કાઢીશ. તે વાણીને પણ સત્ય કેવી રીતે કરીશ. કારણ કે તું નજીક હોવા છતાં પણ શલ્ય પર બાણશ્રેણીને છોડતો નથી ? તો તૈયાર થા, ધનુષ્યનો ટંકાર કરતો આ શલ્યને યમનો દાસ બનાવ. એવી કૃષ્ણની વાણી સાંભળીને યુધિષ્ઠિર રાજાએ મદ્રરાજા શલ્યના વધ માટે મધ્યાહ્ન સમયે પ્રતિજ્ઞા કરી. પછી તે બંનેય શલ્ય અને યુધિષ્ઠિરનું યુદ્ધ શરૂ થયું. પ્રલયકાળના દાવાનલની ઉપમા સમાન યુધિષ્ઠિરને શલ્ય તરફ દોડતો જોઈને શલ્યના રક્ષણ માટે બીજા રાજાઓ દોડ્યા. અને સૈનિકોની વચમાં પ્રવેશી ગયેલા તે રાજાઓને અર્જુને વીંખી નાખ્યા. મધ્યદિન આવતાં તે શલ્ય અને યુધિષ્ઠિરનું યુદ્ધ થતાં તેઓની બાણની શ્રેણીને જોવા માટે સૂર્ય જાતે રથને ધીરે ધીરે આકાશમાર્ગે ચલાવે છે. યુદ્ધ કરતાં તે શલ્યને બાણ વડે જીતી ન શકાય તેવો જાણીને યુધિષ્ઠિરે શક્તિ નામના શસ્ત્ર વડે નીચે પાડ્યો. ત્યારે અત્યંત પરાક્રમી ભીમ તે યુદ્ધમાં અનેક કૌરવોને મારે છે. તે વખતે તે ભૂમિ રક્ત સરિતાવાળી બનેલી ઉતરવા માટે કઠીન બની. તેવી રીતે કોઈક સ્થાને કપાયેલા હાથથી ઢંકાયેલી બની, કોઈક સ્થાન પગો વડે એ પ્રમાણે કંઈક અંગો વડે તે પૃથ્વી વિધિના યોગે કારખાના (ફેક્ટરી) જેવી બની ગઈ. શલ્યને હણાયેલો જાણીને ક્રોધથી લાલ આંખવાળો બનેલો દુર્યોધન બધા રાજાઓ સાથે પાંડવસેનાની સાથે યુદ્ધ કરવા લાગ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy