SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૧૬ સર્ગ - ૧૩ દુર્યોધનની ગદાના પ્રહારથી તાડન કરાયેલો પાપુત્ર ભીમે ચક્રવા લેતી ભૂમિને જોઈ. થોડીવાર પછી સ્વસ્થ ચિત્તવાળો ક્રોધથી લાલ આંખવાળા તે ભીમે ગદાને ઉપાડીને કૌરવની દૃષ્ટિને છેતરીને ગદાના પ્રહારથી દુર્યોધનને હૃદયમાં ઘા કર્યો. તે પ્રહારથી ઘવાયેલો દુર્યોધન ક્ષણવાર મૂચ્છ પામીને ફરી ચૈતન્ય પ્રાપ્ત કરીને ગદાને ઉપાડીને ઉભો થયો. પછી ક્રોધથી લાલ આંખવાળા થયેલા દુર્યોધને ભીમને ફરી માથામાં ગદાના પ્રહારથી ઘા કર્યા. તે ઘાથી પીડાતો જાણે બંને આંખોથી અંધ થઈશ, એવું વિચારતો ભીમ પીડાને પામ્યો. તેને પીડાને પામેલો જોઈને વિષાદ પામેલા મુખવાળા અર્જુને કૃષ્ણને કહ્યું : “હે હન્ત! હે કૃષ્ણ! હે કૃષ્ણ ! અમારે આ શું ઉપસ્થિતિ ! આ શું આવી પડ્યું ! સમુદ્ર ઉતરીને નાથનું આ ખાબોચિયામાં ડૂબવાનું, ભીષ્મને જીત્યા, દ્રોણને જીત્યા. વળી સારથિપુત્ર જીતાયા. શલ્ય નિર્મૂળ થયો અને સિંધુ રાજા હણાયા. આપણા જોતાં જ બધાનું જીવિત ગયું હોવા છતાં પણ ધીઠા દુર્યોધનથી ભીમ હણાય છે.” એ પ્રમાણે અર્જુનનું કહેલું સાંભળીને કૃષ્ણ કહ્યું: “હે અર્જુન ! ભીમથી દુર્યોધન જીતાવો મુશ્કેલ જ છે. કારણ કે આ અખાડામાં દરરોજ ગદા વડે શ્રમ કરતા લોખંડી એવા આ ભીમને પહેલા ભસ્મસાત્ કર્યો હતો. આથી આ દુર્યોધન ભીમની ગદાના પ્રહારથી પણ દુર્જય દેખાય છે. પરંતુ કોઈપણ રીતે ભીમ આ દુર્યોધનને ગદાના પ્રહારથી સાથળના ભાગ પર પ્રહાર કરે તો જય થાય, નહિ તો નહિ થાય. એ પ્રમાણેનો નિષ્કર્ષ છે.” અર્જુને વનમાલી (કૃષ્ણ)ની કહેલી વાણીને સાંભળીને દુર્યોધનની સાથળ પર પ્રહાર કરવા માટેનો ભીમને સંકેત કર્યો. કૌરવગણ દુર્યોધન પણ તે સંકેતને જાણી ગયો. તથા ભીમ અને દુર્યોધન એ બંને ગોળગોળ ભમતા પરસ્પર એકબીજાના પ્રહારને ચૂકવવા દુર્યોધનની ગદાના પ્રહારથી ડરતો દેડકાની જેમ ભૂમિ પર ઉછળતા ભીમે ગદાના પ્રહારથી દુર્યોધનની બંનેય જાંઘને માટીના વાસણની જેમ ભાંગી. પછી ભાંગેલી જાંઘવાળા ક્રોધથી આકુળવ્યાકુળ (ધુંધવાતો) દુર્યોધન પર્વતના કૂટની જેમ ભૂમિ પર પડ્યો. તેવી રીતે અસ્વસ્થ હોવા છતાં પણ ફરી ક્રોધથી બળતા દુર્યોધને ભીમ ઉપર ગદાના પ્રહારો કર્યા. ભીમ પણ તે દુર્યોધન ઉપર અત્યંત પ્રહાર કરીને સ્વસ્થ ચિત્તવાળો થયો. તે અવસ્થામાં ત્યારે દુર્યોધન ઉપર અને જયને પ્રાપ્ત કરેલા ભીમ પર પ્રીતવાળા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. ગાઢ પ્રહારથી પીડાતા બંધ આંખવાળા (મૂચ્છિત) દુર્યોધન કેમે કરીને નિઃસહાય બન્યો (મૃત્યુ પામ્યો). ત્યારે ભીમ દુર્યોધનની પાસે આવીને મસ્તકને જ્યાં પગ વડે રગદોળે છે, તેટલામાં બલભદ્ર મસ્તકનું પ્રિખણ કરતો જોઈને ક્રોધથી લાલ આંખવાળા થયેલા તેણે ભીમને કહ્યું : “હે ભીમ ! તારા પૌરુષત્વને ધિક્કાર હો. મરેલાને મારવો તેમાં શું પુરુષત્વ ! જે મ્લેચ્છ જાતિમાં પણ થતું નથી તે તે કર્યું. હું કોઈનો પણ અન્યાય ક્યારે પણ સહન નહિ કરું. બધાયના અનાચારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy