SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૩િ૦] પાંડવ ચરિત્રમ્ શૈલ્ય કહ્યું : “હે કર્ણ ! તારા માથા ઉપર કાન નથી, તારા હૃદયમાં વિવેકપણું નથી, તારા આત્મામાં ચૈતન્ય નથી, એટલે કે તું જડ જેવો છે. એ પ્રમાણે મારી બુદ્ધિ કહે છે. કારણ કે તે આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી છે. જો હું આજે જ અર્જુનને હણું નહિ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. હે કર્ણ ! વિશ્વમાં એવો કોણ છે કે જેનાથી અર્જુન જીતી શકાય? ઉત્તર ગોગ્રાહ વખતે તેં અર્જુનનું પરાક્રમ જોયું નથી શું? તે પણ તું ભૂલી ગયો છે. એ પ્રમાણે જાણવા છતાં પણ તે અર્જુનના વધની પ્રતિજ્ઞા કેમ કરી ?” ગાંધર્વેન્દ્ર, ચિત્રાંગદ વિદ્યાધરે તને બાણો વડે હણીને બાંધેલા (પકડેલા) દુર્યોધનને અર્જુને છોડાવ્યો હતો, તે પણ તું વિસરી ગયો ? એ પ્રમાણે ઘણા ઉદાહરણો કહ્યા. તેથી ક્રોધિત થયેલ કર્ણ શલ્યને આમ કહ્યું : “શ્લેચ્છવૃત્તિવાળા મદ્રશનું આ વચન અનુરૂપ છે.” કારણ કે તે કહેલું છે એમ કહીને કર્ણ મદ્રદેશના લોકોનું ચિંતવે છે. અહો ! કર્મનું વૈચિત્ર્યપણું કારણ કે રથમાં બેઠેલો સારથિ પણ આ શું બોલે છે. તે શૈલ્ય ! જો મારું કુંડલિકૃત ધનુષ્ય યુદ્ધમાં પડતાં અર્જુનની આગળ આવી રહેશે, ત્યારે તાકાત જણાશે. વધુ કહેવાથી શું ? એમ બોલતાં કર્ણ બાણવૃષ્ટિ કરતો અર્જુન તરફ દોડ્યો. નદીનો પ્રવાહ જેમ વૃક્ષોને ખેંચી જાય તેમ માર્ગમાં હજારો સુભટોનો સંહાર કરે છે. તેટલામાં શૈલ્ય કર્ણને કહ્યું: “જેવી રીતે કપિધ્વજવાળો, કૃષ્ણ સારથિવાળો રથમાં બેઠેલો આ અર્જુન ધ્યાનરૂપી અગ્નિમાં પાપના નાશની જેમ સૈન્યને હણતો આવી રહ્યો છે.” એવા શૈલ્યના વચન સાંભળીને કર્ણ ક્રોધથી સળગતો જલ્દી અર્જુનની સામે દોડ્યો. રસ્તામાં તેઓની વચ્ચે યુધિષ્ઠિર આવી પડ્યા પછી કર્ણ યુધિષ્ઠિરની સાથે ઉત્સાહપૂર્વક લડવા લાગ્યો. પછી તેઓ બંનેનું બાણોની વર્ષાથી દિશાઓ પૂરી દેતું યુદ્ધ શરૂ થયું. એ પ્રમાણે કર્ણ અને યુધિષ્ઠિરનું યુદ્ધ શરૂ થતાં અનેક સૈનિકો મરણ પામ્યા. કલ્પાંતકાલની ઉપમા સમાન કર્થે તીક્ષ્ણ બાણોની વર્ષા થકી યુધિષ્ઠિરને અત્યંત પરેશાન કર્યા અને તે યુધિષ્ઠિર ભાથામાંથી કાઢેલું બાણ ધનુષ્ય પર ચડાવીને છોડવા સમર્થ ન બન્યા. ક મૂકેલા બાણના ઘામાંથી નીકળતા લોહીથી યુધિષ્ઠિર ખીલેલા કિંસુકના પુષ્પ જેવા રક્તરંગવાળા થયા. તે યુધિષ્ઠિરને આ પ્રમાણે વિડંબના કરતો જોઈને કૃષ્ણ વાણી થકી તિરસ્કાર કરતાં અર્જુનને કહ્યું : જેમ કે તારા કોદંડ ધનુષ્યને ધિક્કાર હો અને બાહુબલની પ્રચંડ તાકાતને ધિક્કાર હો ! તારા પરાક્રમના અભિમાનને ધિક્કાર હો. વળી તારા પૌરુષત્વને ધિક્કાર હો. અખંડિત બાહુબલવાળાના જોતાં જેના શત્રુઓ વડે મોટા ભાઈ (યુધિષ્ઠિર) આ પ્રમાણે શું પ્રાણના સંશયને પ્રાપ્ત કરે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy