SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૦૬ સર્ગ - ૧૩ એ પ્રમાણે યુદ્ધમાં દુઃશાસનનો વધ કરીને જયને મેળવી તે સંધ્યા સમયે ભીમ પોતાના સ્થાનમાં ગયો. ત્યારે જ સૂર્ય દુઃશાસનના વધને જાણીને દુઃખથી પીડાતાની જેમ અસ્ત પામ્યો. પછી પહેરેગીરનો નિષેધ થતાં બંને સેના પોતપોતાની છાવણીમાં પહોંચી ગઈ. હવે સૈન્યમાં આવેલા ભીમ હર્ષ સાથે દ્રૌપદીને ભેટીને દુઃશાસનના વધના બધા સમાચાર કહ્યા. કર્ણ રાજા પણ પોતાના સૈન્યમાં આવ્યો. દુઃશાસનના વધનો સર્વ વૃત્તાંત કહ્યો. ફરી કોર્ટે કહ્યું કે, હે રાજન્ ! પાંડવોની સેનામાં અર્જુન મહાવીર છે, તે હણાઈ જતાં તેનું જ સૈન્ય હણાયું જાણવું, તે જીવતા બીજા હણાતાં તેનું કંઈપણ ગયું નથી. તે હણાતાં તેનું સૈન્ય શબ જેવું થઈ જશે. તે મારા બાણરૂપ અગ્નિમાં પહેલી જ આહુતિ બનશે. પરંતુ સારથિના બલ વડે જય પામશે. વળી તેના જેવો મારો કોઈ સારથિ નથી. તેથી મને માતલિ સરખો શલ્ય સારથિ આપ. જેથી અર્જુનને હણીને તારો બધો શોક મૂલથી ઉખેડી નાખું. પછી મદ્ર દેશના રાજા એવા શલ્યને બોલાવીને ગૌરવપૂર્વક કૌરવરાજા દુર્યોધને હાથ જોડીને કર્ણના સારથિપણે રહેવા માટે પ્રાર્થના કરી. ત્યારે શલ્ય કહ્યું : “હે રાજન્ ! તમે અયોગ્ય કેમ બોલો છો ? ક્યાં હું રાજકુલનો ? અને ક્યાં આ હીનકુલમાં જન્મેલો પુત્ર ? એનું હું સારથિપણું કેવી રીતે સ્વીકારું?” કહ્યું છે કે એનો હું સારથિ બનીને શું હું શરમિંદો ન બનું? ઘુવડ અને કાગડાઓનું કલહંસનું દાસત્વ શું હાસ્યને માટે ન થાય? તે વચન સાંભળીને દુર્યોધને કહ્યું : “હે મદ્રરાજા ! એમ ન બોલ. સંકટમાં મિત્રની વાણી ઔચિત્ય વિનાની છે, એમ ન વિચારવું. કારણ કે ઘણું વિચારવાથી મિત્ર માટે અનર્થ પણ થાય. આથી તું પણ મારા કાર્યમાં કર્ણનું સારથિપણું સ્વીકારી લે.” શલ્ય કહ્યું : “આ આપનું વચન હું સ્વીકારીશ. પરંતુ યુદ્ધમાં મારું ઇચ્છા મુજબનું બોલવું કણે સહન કરવું.” કણે કહ્યું: “તમે કહેલું હું બધું સહીશ.” ફરી કર્યે કહ્યું: “હે રાજેન્દ્ર ! દુર્યોધન ! હું પ્રભાત સમયે પૃથ્વીને અર્જુન વિનાની ન કરું તો હું આપની આગળ અગ્નિમાં પ્રવેશ કરીશ.” એવી પ્રતિજ્ઞા કરીને પોતાના ઉતરવાના સ્થાને ગયો. સોળમો દિવસ પસાર થયો. ગમે તેમ કરીને રાત્રિ પણ પસાર કરીને કણે શૈલ્યને સારથિ બનાવીને સેનાપતિપદ અંગીકાર કર્યું. સૂર્યોદય થતાં બંનેની સેનાઓ કુરુક્ષેત્રની ભૂમિ પર યુદ્ધને માટે આવી ગઈ. પછી ફરી તેઓનું પરસ્પર ભયંકર યુદ્ધ શરૂ થયું. જેમ કે વીરના પ્રહારથી મૂચ્છ પામેલા ચિત્તવાળો પડ્યો છતાં પણ બીજાની ખુલ્લી પડેલી તરવારો હુંકાર કરતી અસ્પષ્ટ શબ્દ કરી કહેતી હતી. “હે અર્જુન ! ક્યાં છે ? અર્જુન ક્યાં છે? એ પ્રમાણે મોટેથી બોલતા હૈર્યપૂર્વક મદ્રદેશના રાજાએ કર્ણને કહ્યું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy