SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૩૦૫ પાંડવ ચરિત્રમ્ જેમ વિલખો પડી ગયો. દેવ પણ આમ કહીને ખેદ પૂર્વક અદશ્ય થઈ ગયો. બે પ્રહર સુધી દ્રોણપુત્રે (અશ્વત્થામાએ) યુદ્ધ કર્યું. એ પ્રમાણે બાર પ્રહરના અંતે યુદ્ધ બંધ થતાં બંનેય સેનાપતિઓએ કરેલા શ્રમથી પોતપોતાની છાવણીમાં આવી ગયા. પંદરમો દિવસ પસાર થઈ ગયો. હવે સોળમા દિવસે દુર્યોધને દ્રોણ હણાતાં કર્ણનો સેનાપતિના પદ પર અભિષેક કર્યો. પછી તે વીર હાથી જેવા કર્થે યુદ્ધ માટે જતા યથારુચિ યાચકોને દાન આપવા માંડ્યું. તે નવા વાદળની જેમ અત્યંત વરસતા યાચકરૂપી સરોવરો કમળ લક્ષ્મીથી વ્યાપ્ત થયા. એ પ્રમાણે દાન આપીને કર્ણરાજા યુદ્ધ મેદાનમાં ગયો. પાંડવો પણ દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન સેનાપતિને આગળ કરીને લશ્કર સાથે આવી ગયા. એ પ્રમાણે બંનેય સેનાપતિઓ સંગ્રામ ભૂમિએ આવતાં રણશિંગુ ફૂંકાયું. પછી બંનેય સામસામા પવનથી પ્રેરિત સમુદ્રના તરંગોની જેમ પરસ્પર સુભટો સ્વેચ્છાપૂર્વક મળે છે. કેટલાક સુભટોની તલવારો અળતાથી રંગાયેલા જયરૂપ લક્ષ્મીના ચરણની જેમ શત્રુના રૂધિરથી ખરડાયેલી શોભે છે. કેટલાક સુભટો પર અપ્સરાઓએ વરસાવેલ પુષ્પો પવનના કારણે બીજે પડ્યા. બાણોના સમૂહથી ઘણા વીરોનો સંહાર કરતા કર્ણ સાક્ષાત્ જાણે ધનુર્વેદ ન હોય તેમ યુદ્ધ આર્યું. સમસ્ત વિશ્વનો સંહાર કરવા માટે પ્રલયકાળની ઉપમા જેવો દુઃશાસન ધનુષ્યનો ટંકાર કરતો પાંડવ સૈન્યમાં પ્રસરી ગયો (ફરી વર્યો). તે સૈન્યમાં ફરી વળતાં પ્રસરી જતાં) માનસરોવરમાં ઐરાવણ હાથીની જેમ પાંડવોના સૈન્યમાં અવગાહી ગયો. એ પ્રમાણે પાંડવ સૈન્યમાં ઘૂસી ગયેલા દુઃશાસનને પરાક્રમી ભીમે જોયો. પછી તે બંને જણે ધનુષ્યનો ટંકારવ કરતાં યુદ્ધ કરવા લાગ્યા. તેઓના બાણો અહીં-તહીં પડ્યા. ભીમના બાણો દુઃશાસનને અને દુઃશાસનના બાણો ભીમને વ્યથિત કરવા લાગ્યા. એ પ્રમાણે દુઃશાસન સાથે યુદ્ધ કરતાં ભીમને દ્રૌપદીના કેશ અને વસ્ત્રનું ખેંચવાપણું યાદ આવ્યું. તેથી ક્રોધરૂપ મહાસમુદ્રના તરંગોથી પ્રેરિત ભીમ, સારથિને હણીને મનોરથ (ઇચ્છા) સાથે ગદાના પ્રહારથી રથને ભાંગીને દુઃશાસનને ભૂજા વડે પકડીને ભૂમિ પર લાવ્યો. પછી કહ્યું કે : “હે કર્મ ચંડાલ ! હે કુરુગોત્રરૂપ વિષવૃક્ષ ! રે દુરાત્મન્ ! રે ક્ષત્રિય કુલને કલંકિત કરનારા ! રે અકીર્તિરૂપ કદલી મૂલકંદ ! હે દુર્નયનો નિધિ ! દ્રૌપદીના વાળને અને વસ્ત્રને ખેંચનાર તારો હાથ બતાવ. હું અન્યાય કરનારને શિક્ષા આપું. એ પ્રમાણે કહીને ભૂમિ પર પાડીને છાતી પર પગ મૂકીને બે હાથો વડે દુઃશાસનના હાથને મૂલથી કાપી ઉખેડી નાખ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy