SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૦૪ આ સર્ગ - ૧૩ તેને વાદળની જેમ અર્જુને રોક્યા. તેઓનું યુદ્ધ થતાં અર્જુને ધ્વજ સારથિને ઉછાળી દીધો. ઘોડાઓ વિહળ થઈ ગયા. એવા પ્રકારની બાણવર્ષા કરી. એ પ્રમાણે અર્જુનના બાણથી ઘવાયેલા મનવાળા ક્રોધથી લાલચોળ બનેલા અશ્વત્થામા મંત્રશક્તિથી નારાયણીય અસ્ત્ર કલ્પાંતકાળના અગ્નિ જેવા વિશ્વને બાળી નાખવામાં સમર્થ પાંડવ સૈનિકોનું દહન કરવા માટે છોડ્યું. અગ્નિની જ્વાલારૂપ (જેવું) નારાયણી અસ્ત્ર જોઈને સૈનિક લોકોએ વિચાર્યું કે શું પાતાળમાંથી અગ્નિ નીકળ્યો છે (ઉઠ્યો છે) અથવા ઈશ્વરની આંખમાંથી અગ્નિ ઉત્પન્ન થયેલો છે (અગ્નિ ઉઠ્યો છે) અથવા સમુદ્રની મધ્યમાંથી વિશ્વને પ્રસવા માટે વડવાનલ ઉઠ્યો છે ! અથવા સૂર્યના કિરણોએ જ્વાલાપણું પ્રાપ્ત કર્યું છે ? સૈનિકોએ આ રીતે અનેક વિકલ્પો કર્યા. તે અસ્ત્ર જોઈને રથમાં બેઠેલા કૃષ્ણ ઊંચો હાથ કરી કહ્યું કે : “હે લોકો ! શસ્ત્રો છોડો છોડો, રથોને મૂકો મૂકો તથા ભક્તિથી નમ્ર થઈને આ બ્રાહ્મણોને નમો. જેથી વિશ્વને બાળનારૂં કામદેવનું અસ્ત્ર ક્ષણમાં શાંત બની જાય-ઠરી જાય. આ પ્રમાણે કૃષ્ણના કહેવાથી સૈનિક લોકોએ રથથી બધા આયુધો અને અસ્ત્રો તજી દીધા. ભીમે આયુધોને નહિ મૂકતાં કૃષ્ણ, અર્જુન બેઉએ બલાત્કારે બહુ પકડીને મૂકાવ્યા. પછી તે અસ્ત્ર શાંત થયું. તે જોઈ આશ્ચર્ય પામેલા દ્રોણ પુત્રે કાર્શનવ નામનું બીજું શસ્ત્ર યાદ કર્યું. તે અસ્ત્રની અગ્નિવાલાથી લેવાયેલા હાથીઓ દાવાનલથી વ્યાપ્ત પર્વતોની જેમ શોભે છે. સળગતી જવાલાવાળા બધા રથો, ઘોડાઓ, સુભટો, સેવકો, અગ્નિથી વ્યાપ્ત સોનાથી બનાવેલાની જેમ જોયા. તે નારાયણીય અસ્ત્રને વિશ્વનું દહન કરવામાં સમર્થ જાણીને તેના નિવારણ માટે વારુણ અસ્ત્રને અર્જુને છોડ્યું. પુષ્કરાવર્ત મેઘના જેવા તે અસ્ત્ર તે જ ક્ષણે બધું જ મુનિ ધ્યાન વડે જેમ કર્મને નાશ કરે છે, તેમ શાંત પાડી દીધું. તે નારાયણીય અસ્ત્ર ઠંડુ થયેલું જાણીને અશ્વત્થામા ગ્રહથી પ્રસાયાની જેમ, ચોરો વડે લૂંટાવાની જેમ અથવા ખેદ (દુઃખોથી ભરાયેલા મનવાળો લાંબાકાળ સુધી ઊભો રહ્યો. ફરી દ્રોણપુત્ર અશ્વત્થામાં કૃષ્ણને અને અર્જુનને જોઈને અધિકથી અધિક ક્રોધથી લાલ થયેલો દુઃખી થાય છે, ગારૂડીને જોઈને જેમ સર્પ તપે છે તેમ તે પછી ક્રોધથી બળતા મનવાળો અશ્વત્થામાં જ્યાં ચિંતા કરે છે, ત્યાં આકાશમાં દેવવાણી થઈ. જેમ કે ક્રોધથી અંધ હે ઉત્તમ બ્રાહ્મણ ! આવો ખેદ શા માટે કરે છે ! દેવો પણ આ કૃષ્ણ અને અર્જુનને જીતવા માટે સમર્થ નથી. પૂર્વજન્મમાં એઓએ કંઈપણ તપ કર્યો છે, જેથી કરીને લોકમાં જીતી ન શકાય એવા બાહુબલવાળા બંને થયા છે. તે દેવવાણીથી અશ્વત્થામા છલાંગ મારતા પડી ગયેલા દીપડાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy