SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૩િ૦૩) પાંડવ ચરિત્રમ્ જેમ કે હે રાજન્ ! તે આ જન્મ સુધી આ સત્યવ્રત ધાર્યું છે. સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરી છે. આ સત્યવ્રત વૃદ્ધ ગુરુ બ્રાહ્મણના મૃત્યુ માટે જ માત્ર થયું. એ પ્રમાણે ભારદ્વાજ એવા દ્રોણ ક્રોધથી બીજું પણ બોલવા જતાં તે જ વખતે આકાશમાં અદશ્ય (દેવ)વાણી થઈ. હે બ્રાહ્મણ ! ક્રોધને છોડ. સમતારૂપ અમૃત વડે આત્માને સિંચ. અનાદિકાલના રૌદ્રધ્યાનને છોડી દદયમાં ધર્મધ્યાનમાં સ્થિર થા. તે બુદ્ધિમાન ! તારા આયુષ્યનો ક્ષય આવી ગયો છે. એટલે તારું આયુષ્ય અલ્પ રહ્યું છે. સાવધાન થા. કારણ કે તું સમ્યક્તધારી છો. હરહંમેશ નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે. તે પુણ્યથી બ્રાહ્મલોકની સુખરૂપ લક્ષ્મી તારી રાહ જુએ છે. એવી આકાશવાણીથી જાગેલા દ્રોણાચાર્ય ભગવનની ભયંકરતાનો વિચાર કરતાં કષાયોનો તિરસ્કાર કરતાં અઢાર પાપસ્થાનોનો વિચાર કરતાં બાહ્ય અને આંતરશત્રુઓને દૂર કરતાં પંચપરમેષ્ઠિ મહા નવકારમંત્રનું પરાવર્તન (સ્મરણ) કરતાં અરિહંતાદિઓને નમસ્કાર કરતા તે જ દિવસે અનશન કરી દ્રોણગુરુ મૃત્યુ પામી પાંચમાં બ્રહ્મ-દેવલોકમાં ગયા. તેને મૃત્યુ પામેલા જાણીને પિતાના વૈરથી અશ્વત્થામાએ કેશ(વાળ)ને ખેંચીને ધાન્યના પૂળાની જેમ ધૃષ્ટદ્યુમ્નનું મસ્તક કૃપાણથી છેદી નાખ્યું. એ હણાતાં કૌરવસેનામાં લોકના આક્રંદથી ડરેલાની જેમ બધીય બાણવિદ્યા અદશ્ય થઈ ગઈ. ત્યારે કૌરવ સેનામાં બીજી બાજુએ દ્રોણના શોકરૂપ અંધકાર છવાઈ જતાં મધ્યાહ્ન હોવા છતાં રાત્રિ જેમ લાગવા લાગ્યું. જેવી રીતે સૂર્ય-ચંદ્રથી રહિત આકાશ શોભતું નથી. જેવી રીતે લોચન (આંખ) વિનાનું મુખ શોભતું નથી, તેવી રીતે ભીષ્મ અને દ્રોણાચાર્ય રહિત કૌરવની સેના શોભતી નથી. સાડા ચૌદ દિવસના અંતે દ્રોણગુરુ મૃત્યુ પામ્યા. સાડા ચૌદ દિવસ પસાર થઈ ગયા. દિવસના મધ્યભાગે દ્રોણનું મૃત્યુ થતાં કાંટાની જેમ દ્રોણ નહિ રહેવાથી (મૃત્યુ પામવાથી) પાંડવો અત્યંત હર્ષ પામ્યા. ત્યારે કૌરવ સેનામાં શોક સમુદ્ર જેવો થયો. તે કૌરવસેનાને શોકમાં ડૂબેલી જાણીને અને પિતાના વધને જોઈને ક્રોધિત થયેલો દ્રોણપુત્ર અશ્વત્થામા મહાક્રોધથી આકાશને જાણે જોતો, દેવોનો તિરસ્કાર કરતો (બ્રશ કરતો) પૃથ્વીને ખોદતો, પર્વતોને જાણે ચલાવતો, સમુદ્રને શોષી લેતો, સૂર્યને મલિન કરતો, ચંદ્રને મથી નાખતો. ગ્રહોનો નિગ્રહ કરતો, પાતાલમાંથી શેષનાગને ખેંચી કાઢતો જાણે ન હોય, તેવી રીતે પાંડવની સેનામાં પેસી ગયો. બાણની વર્ષા કરતો દ્રોણપુત્ર (અશ્વત્થામા) પાંડવના સૈનિકોનો તિરસ્કાર કરતો સૈન્યમાં ફરી વળ્યો. તે સંગ્રામમાં દ્રોણપુત્ર ફરી વળતાં શત્રુઓએ પ્રહારોથી ત્રાસી ગયેલાની જેમ પ્રાણને છોડી દીધા. કહ્યું છે કે : અશ્વત્થામાના બાણોની રાશિને સહન કરવા કોણ સમર્થ છે ? તેના ધનુષ્યથી છોડાયેલા બાણો શત્રુ રાજાઓની સાત્ત્વિકતા જોવાને માટે જાણે તેઓના હૃદયમાં પ્રવેશે છે, તે આ પ્રમાણે – ઉનાળાના સૂર્યની જેમ સૈનિક રૂપ પાણીનું શોષણ કરતા એવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy