SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૦૨ સર્ગ - ૧૩ જાણે આકાશમાં સૂર્યના કિરણો ફેલાઈ ગયા. બંનેય આકાશના આંગણમાં વ્યાપી ગયા. કેટલાક વીરોએ બાણો વડે આકાશમાં મંડપ બનાવી દીધો. કેટલાક સુભટો એ મંડપની નીચે લાંબી નિદ્રા લેતાં અત્યંત શોભે છે. કેટલાક શ્વેત ઢાલમાં પડેલી તલવારરૂપ લાકડીઓ ચંદ્રબિંબમાં પડેલી જાણે રાહુને જીત્યા જેમ શોભે છે. દ્રોણની મોટી સેનામ સમુદ્રની મધ્યમાં રહેલા અર્જુને વડવાનલની જેમ તેની સેનારૂપ પાણીને ક્ષણમાં જ સૂકવી નાખ્યું. તેમાં વાદળની જેમ નૂતન સેના બાણોનો વરસાદ વર્ષાવે છે. હંસો વડે સર્વ રીતે નાની નીકો છોડી દેવાય છે, તેમ બાણો છોડે છે. કોદંડ ધનુષ્યને ધરનારા સેનાનો સંહાર કરનારા દ્રોણાચાર્યને યુદ્ધમાં રાજાઓ બ્રાહ્મણરૂપે યમ માને છે. જેમ કે પાંડવોના સૈનિકો કલ્પાંતકાળની સમુદ્રની ભરતીની જેમ સમસ્ત વિશ્વતલને પોતાના બાણો વડે ભીંજવતા તે તે બાણોની શ્રેણીરૂપ પુલ થકી આકાશને ચુંબન કરવા થકી ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યને અલના પહોંચાડી. તે બંને પરસ્પર સરખા જાણે ન હોય તેમ દ્રોણ-ધૃષ્ટદ્યુમ્નનું યુદ્ધ લાંબો કાળ ચાલ્યું. તેઓનું આ પ્રમાણે યુદ્ધ થતાં જ્યેષ્ઠ-અષાઢના સૂર્યના કિરણોની જેમ દ્રોણાચાર્ય બાણો વડે અધિક ત્રાસ આપનારા થયા. દ્રોણના બાણો સૈનિકોને દુઃખે કરી સહન કરનારા થયા. ત્યારે તે યુદ્ધમાં કાળ જેવો સેનાનો સંહાર કરનારો માલવ રાજાનો હાથી કોઈક વીરોમાં શ્રેષ્ઠ વીરથી હણાયો અને મર્યો. તે જોઈને સેનાના લોકોએ મોટા અવાજે પોકાર કર્યો કે અશ્વત્થામા (હાથી) હણાયો છે અને મૃત્યુ પામ્યો છે. તે વાણી દ્રોણના કાનના મૂળ સુધી જતાં (દ્રોણના કાને પડતાં) દ્રોણે પોતાના હૃદયમાં અશ્વત્થામા નામનો પોતાનો પુત્ર મર્યાની શંકા કરી. ભીમ અર્જુનાદિ બાંધવો અને કૃષ્ણ પણ તેવી જ રીતે બોલ્યા. તે પણ વાણી દ્રોણગુરુએ સાંભળી. યુધિષ્ઠિર પણ ધીમા અવાજે કંઈક તેવી રીતે બોલ્યાઃ “હા હા ! અશ્વત્થામા હણાયો છે.” એ પ્રમાણે યુધિષ્ઠિરનું બોલેલું સાંભળીને મારો પુત્ર અશ્વત્થામા હણાયો છે, એ પ્રમાણે નિશ્ચિત જાણીને યુધિષ્ઠિરના વચનથી આ વાણી અસત્ય નથી. કારણ કે યુધિષ્ઠિર બોલ્યા હોવાથી સત્ય છે. પછી દ્રોણ શું કરે? પુત્ર વગરનું જીવન કેવું? અર્થાત્ પુત્ર વિના જીવવું શું ? જીવવાની આશા નીકળી ગયા પછી શસ્ત્રોથી પણ શું? એ પ્રમાણે ચિંતવીને દ્રોણાચાર્ય સર્વ શસ્ત્રો તે જ વખતે તજી દીધા. શસ્ત્ર ત્યજી દીધેલા દ્રોણને કૃષ્ણ જોયા. તેથી કૃષ્ણ ધૃષ્ટદ્યુમ્નનને કહ્યું: “હે ધૃષ્ટદ્યુમ્ન ! શું જુએ છે ? તારા પિતાના ઘાતક યમ જેવા બ્રાહ્મણ (દ્રોણ)ને માર.” તે જ વખતે તીક્ષ્ણ બાણો વડે હણાયેલ દ્રોણ ભૂમિ પર પડી ગયા. તેને પડી ગયેલા જોઈને યુધિષ્ઠિરે ફરી વાણી ઉચ્ચારી : “હે દ્રોણ ! માલવ દેશના રાજાનો અશ્વત્થામા નામનો હાથી હણાયો છે. પરંતુ તમારો પુત્ર નહિ. તમે શા માટે શસ્ત્રો ત્યજી દીધા છે.” તે સાંભળીને ક્રોધિત થયેલા દ્રોણગુરુ આ પ્રમાણે બોલ્યા : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy