SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૩૦૧ પાંડવ ચરિત્રમ્ આગળ આવતા સુભટો દેખાયા. અને તેવી રીતે પોતપોતાના સ્વામિની કીર્તિ વડે પરમ આત્મીયપણાને બતાવે છે. કુરુસેનાને મંથેલી પાંડવ સેનામાં ભીમપુત્ર ઘટોત્કચ ઊભો થયો અને અનેક પ્રકારે માયાયુદ્ધને કરતો આ પ્રમાણે આગળ વધ્યો. જેમ કે પત્થરો વડે રથોને ચૂરતો, વૃક્ષો વડે હાથીઓને હણતો કલ્પાંતકાલના વાવાઝોડા જેવા વેગ સાથે ક્રોડો સુભટો મારતો આગળ વધ્યો. ત્યારે વરસાદના વાદળ જેમ ગ્રહની શ્રેણીને અદશ્ય કરી દે છે. તેમ એકલાએ જ સંપૂર્ણ કુરુસેનાનો નાશ કર્યો. ઘટોત્કચ યુદ્ધ માટે તૈયાર થતાં પાંડવો ખુશ થયા. ડહોળી નાખેલી કુરુસેનામાં શત્રુઓનું જીવન સંશયરૂપ થયું. યુદ્ધ જોનારાઓને કૌતુકરૂપ બન્યું. કલ્પાંતકાળ જેવા તે ઘટોત્કચને અંગરાજા કર્ણ (અંગેશે) અટકાવ્યો. પછી કર્ણ અને ઘટોત્કચ પરસ્પર લડવા લાગ્યા. ઘટોત્કચના બાણોએ કર્ણના બાણોને વચ્ચે છેદી નાખ્યા. કર્ણ કાલપૃષ્ઠ નામના ધનુષ્ય દ્વારા જેટલા બાણો મૂક્યા તેનાથી હજારગણા ધનુષ્ય વડે ઘટોત્કચે તે બાણોને પાડી દીધા. તે વખતે ઘટોત્કચના બાણો શરીરમાં, રથ ઉપર, રથના ધજાદંડ ઉપર, ઘોડાઓ પર, સારથિ ઉપર, સૈન્ય ઉપર સરખી રીતે પડ્યા. તે ઘટોત્કચના બાણોની વૃષ્ટિ જોઈને ક્રોધથી લાલચોળ બનેલો અંગેશ્વર કર્ણ ઘટોત્કચના વધ માટે દેવે આપેલી અર્જુનના વધ માટે રહેલી શક્તિને ફેંકી. જેમ કે સ્કુરાયમાન અગ્નિના કણિયાની (જેમ) અત્યંત તે ક્રોધથી અર્જુનના હર્ષની સાથે તેણે ઘટોત્કચને હણ્યો. ત્યારે હણાયેલા ઘટોત્કચને જાણીને પાંડવોના સૈન્યમાં જરાક ખેદ થયો અને ત્યારે કૌરવોની સેના ફરીથી જીવંત બની હોય તેવી થઈ. સુભટો ઉપર સુભટો, ઘોડાઓ ઉપર ઘોડાઓ, હાથીઓ ઉપર હાથીઓ, રથ ઉપર રથો પડે છે. એ પ્રમાણે રાત્રિએ ચારે પહોર બંને સૈન્યોનું પરસ્પર યુદ્ધ થયું, તો પણ મદથી ઉન્મત્ત થયેલા સુભટો, શાંતિને ન પામ્યા. આ બાજુ સૂર્યોદય થતાં તૈયાર થયેલા દ્રોણ યુદ્ધ મેદાનમાં બાણવૃષ્ટિ કરતા યુદ્ધભૂમિમાં ફરી વળ્યા, ફેલાઈ ગયા. તે વખતે વિશ્વમાં ઉપકાર કરનારા, સજ્જનોને પ્રિય, વિશ્વને આનંદિત કરનારા વિરાટ અને દ્રુપદ યુદ્ધભૂમિ પર આવ્યા અને દ્રોણ પર તેઓએ બાણો છોડ્યા. તે બેને દ્રોણે ક્ષણમાત્રમાં હણી નાખ્યા. દિવસ-રાત્રિ કરી આઠ પહોર સુધી યુદ્ધ થતાં ચૌદમો દિવસ થયો. હવે પંદરમા દિવસની શરૂઆતમાં પૂર્વદિશામાં સૂર્યોદય થયો. તે પછી બંનેય સૈન્યો તૈયાર થઈ કુરુક્ષેત્રની ભૂમિ પર આવ્યા ત્યારે તે બંને સેનાના પરસ્પર બાણો એવી રીતે છૂટ્યા કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy