SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૦૦) સર્ગ - ૧૩ સાયકી ભૂરિશ્રવાથી હણાય છે. આથી અર્ધચંદ્ર બાણથી ભૂરિઝવાનો હાથ છેદી નાખ.” આપણા આત્મીય સાત્યકીનું રક્ષણ કરવું જ જોઈએ. તેવા કૃષ્ણના વચન સાંભળીને અર્જુને સાત્યકીના રક્ષણ માટે બાણો વડે ભૂરિશ્રવાનો તલવાર સાથે હાથ છેદ્યો-કાપી નાખ્યો. પછી સાત્યકીએ ભૂરિશ્રવાને હણી નાખ્યો. ભૂરિઝવાને મૃત્યુ પામેલો જાણીને અંગ દેશના રાજા કર્ણ (અંગેશ) કુંડલી કરેલા ધનુષ્યનો ધનુષ્યટંકાર કરતો પાંડવ સેનામાં પ્રવેશી ગયો. તેટલામાં (અત્યંત) પરાક્રમી ભીમ હાથ વડે રથને ઉછાળતો. ગદાના ઘાતથી હાથીઓને હણતો, ઘોડાઓને પગના પ્રહારથી દૂર ધકેલતો, સુભટોને મુઠી વડે મશકની જેમ ચૂરતો કર્ણની સામે દોડ્યો. જેમ કે સહ્યાદ્રી અને વિંધ્યાચલની જેમ ઊંચા કર્ણ અને ભીમ ઈષ્યને ધરતાં અને યુદ્ધને કરતા શોભતા હતા. પુરુષના પૌરુષ (તાકાત)ને નસીબના અવળાપણાએ દુષ્ટ બુદ્ધિવાળા કર્ણની સેનાને ભીમે ગદાથી અસ્ત-વ્યસ્ત કરી નાખી. ત્યારે જ કર્ણ બીજા રથમાં બેસીને ભીમની ધજાને તોડી નાખી. પછી બાણોની શ્રેણીથી ભીમને મથીને (વલોવીને) કર્ણ ચિંતવે છે. અહો ! મેં પ્રતિજ્ઞા કરેલી છે કે કુન્તીના પુત્રોમાં અર્જુન વિના બીજાઓને નહિ મારું, એ પ્રમાણે પૂર્વે પોતે કરેલી પ્રતિજ્ઞાને યાદ કરીને ભીમને માર્યો નહિ. કહ્યું છે કે મહાત્માની પ્રતિજ્ઞા ક્યારેય પણ તૂટતી નથી. આ બાજુ અર્જુન દિવસના અંતે જયદ્રથને જુએ છે. તે જયદ્રથને જોઈને અર્જુનનું શરીર ક્રોધથી કાંટાવાળું થયું. સિંધુ દેશનો રાજા જયદ્રથ પણ અર્જુનને જોઈને ક્રોધથી લાલ થયો. પછી વીરોમાં અતિશ્રેષ્ઠ તે બંનેનું ક્ષણમાત્ર સામસામા બાણો દ્વારા યુદ્ધ થયું. દુર્યોધનાદિથી રક્ષણ કરાતો હોવા છતાં પણ જયદ્રથનું મસ્તક અર્જુને અર્ધચંદ્ર બાણ વડે છેદી નાખ્યું. તેનું છેદાયેલું મસ્તક લાલ અડતાવાળા રાહુની મૂર્તિની જેમ ભૂમિ પર પડ્યું. એ પ્રમાણે રુડુ મુવાળી પૃથ્વીને કરતો અર્જુન જયને પ્રાપ્ત કરી દિવસના અંતે પોતાની સેનામાં પહોંચી ગયો. એ પ્રમાણે બંનેય સેના પહેરેગીરે વાળતાં પોતપોતાની છાવણીમાં આવી ગઈ. જેમ કે ચૌદ દિવસ સુધી એ પ્રમાણે ઉત્કટ યુદ્ધ કરતાં પાંડવોએ કૌરવોની સાત અક્ષૌહિણી ખત્મ કરી. ચૌદમા દિવસે સિંધુરાજા જયદ્રથ મરતાં લજ્જાથી નીચે નમી ગયેલા ખભાવાળા દ્રોણાચાર્ય રાત્રિએ યુદ્ધ માટે સેનાને આદેશ આપ્યો. તેથી સજ્જ થયેલી કુરુસેના અચાનક ભીલની ધાડની જેમ પાંડવ સેના પર તૂટી પડી. પછી બંનેય સૈન્યના વીરસુભટોનું ભયંકર યુદ્ધ થયું. હાથીઓનાં દંતશૂળ પર પડતા તલવારોના ઘાના ખટાખટ અવાજ સાંભળીને મહાવતથી પ્રેરિત હાથીઓની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy