SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૨૯૯) પાંડવ ચરિત્રમ્ પ્રિયાને કહ્યું : “વીરપુરુષોના યુદ્ધમાં મરણની શી ચિંતા ! જીત થતાં રાજ્ય મળે છે. મરણ થતાં દેવાંગના મળે છે ઇત્યાદિ કહીને પ્રિયાને ખુશ કરી, સંતોષી.” તેરમો દિવસ પસાર થઈ ગયો. ચૌદમા દિવસે દ્રોણાચાર્ય અર્જુનની જયદ્રથને હણવાની પ્રતિજ્ઞા સાંભળીને તૂટી ગયેલા હૃદયવાળા તેઓ શીઘ રણમેદાનમાં આવી ગયા. જયદ્રથના પ્રાણના રક્ષણ માટે અનેક રાજાઓથી રક્ષાયેલો હાથી શકટયૂહમાં પ્રવેશી ગયો. પાંડવો પણ ધનુષ્યના ટંકારવથી શત્રુના સમૂહને ક્ષોભિત કરતાં રણભૂમિમાં આવી ગયા. એકબીજા અલના પામવાથી બંનેય સેનાઓ જોરથી લડે છે. હવે દ્રોણ અને અર્જુન એકબીજાને જીતવાની ઇચ્છાવાળા હોવા છતાં પણ સ્નેહથી હાથમાં બાણ લીધા નહિ. ત્યારે અર્જુન ગુરુ (વડીલ) હોવાથી અને ગુરુવારના સ્નેહથી દ્રોણને પ્રદક્ષિણા આપીને પછી શકટયૂહમાં અર્જુને જંગલનો હાથી જેમ જંગલમાં પ્રવેશ કરે છે તેમ પ્રવેશ કર્યો. તે ભૂહને અર્જુને વેરવિખેર કરી નાખ્યો. બધા રાજાઓ તેના બાણના વરસાદના વેગને સહી ન શક્યા. વાવાઝોડાને જેમ વૃક્ષો સહી શકતા નથી, તેમ પુત્રના શોકરૂપી અગ્નિથી તપી ગયેલા અર્જુનનો ક્રોધરૂપી અગ્નિ શત્રુઓના શોણિતથી સિંચવા છતાં પણ શમ્યો નહિ, શાંત થયો નહિ. એ પ્રમાણે અર્જુને ડહોળી નાંખેલી પોતાની સેનાને જોઈને મહાયોદ્ધો દુર્યોધન અર્જુન સાથે ભયંકર યુદ્ધ ચડ્યો. અર્જુન તેની સાથેનો વિલંબ જાણીને દુર્યોધનને છોડીને નદીના પ્રવાહના વેગની જેમ યુદ્ધ મેદાન પ્રતિ ઇચ્છા પ્રમાણે જાતે ચાલ્યો. ક્રોધથી પ્રદિપ્ત આંખથી જોતો અર્જુન ક્રોડો સૈનિકોને હતો તે રણમાં પ્રસરી ગયો. ત્યારે કંસારી (કૃષ્ણ) નામના સારથિએ દૂરથી જયદ્રથને સુભટો વડે અત્યંત ઘેરાયેલો સેવા કરાતો જોતાં જ બીજે ચાલી ગયો. રથમાં બેઠેલો અર્જુન મહારથિને મારતો જયદ્રથને જોવાની ઇચ્છાથી દૂર ચાલ્યો ગયો. તે દૂર જતાં નજીકમાં રહેલા દ્રોણાચાર્યના બંધનના ભયથી શંકાવાળા યુધિષ્ઠિરે સાત્યકીને સત્યવિક્રમની પાસે રાખ્યા. સાત્યકીએ દ્રોણની દૃષ્ટિ ચૂકવીને તે બૃહમાં પ્રવેશ કર્યો. અહીં-તહીં ભ્રમણ કરતા સાયકીએ ભૂરિશ્રવા રાજાને જોયો. પછી સાત્યકી અને ભૂરિશ્રવા રાજાના અત્યંત ભયંકર યુદ્ધનો આરંભ થયો. તે બેઉના પરસ્પર રથ ધ્વંસ થયા. સારથિને હેરાન-પરેશાન કર્યા. બંનેના સંપૂર્ણ શસ્ત્રો ભાંગી ગયા. માત્ર તલવાર અને ઢાલધારી તે બેઉ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. દ્રોણાચાર્યે પણ યુધિષ્ઠિરને પકડવા માટે બૂહથી બહાર નીકળીને લાખો મનુષ્યોને માર્યા. ત્યારે દ્રોણ વડે ક્રોધથી મથી નંખાતા સૈનિકોના કોલાહલથી રણ ભયંકર થયું. આ બાજુ દુર્યોધનના સુભટ ભૂરિશ્રવા યુધિષ્ઠિરના સેવક સાયકીને વાળથી પકડીને જ્યાં શિરચ્છેદ કરવા માટે તૈયાર થયો, તેટલામાં કૃષ્ણ અર્જુનને કહ્યું : “હે અર્જુન ! તારા જોતાં આ તારો સેવક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy