SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૯૮ સર્ગ - ૧૩ જેમ કમોસમના વાદળનું પાણી ધાન્યને બગાડે છે, તેમ તે ધનુર્ધારીના બાણોએ અનેક રાજાઓને દુઃખી બનાવ્યા. શલ્ય, કર્ણ, કૃપ (કૃપાચાર્ય), દ્રોણ, અશ્વત્થામાદિથી પરિવરેલા લડવા તૈયાર થયેલા દુર્યોધને બાણો વડે શત્રુના લાખો સૈનિકો પર બાણવૃષ્ટિને કરતા તેવા તે અભિમન્યુને જીતવો દુર્જય જાણીને વાઘ જેમ શિયાળને અટકાવે તેમ તેણે (દુર્યોધને) જાતે અટકાવ્યો. પાંડવો સંસતકો સાથે લડે છે. શલ્યરૂપ કર્ણાદિ ભાઈઓ સાથે, દુર્યોધન અભિમન્યુ સામે લડે છે. એ પ્રમાણે યુદ્ધ કરતાં કર્ષે અર્ધ ચંદ્રબાણ વડે અભિમન્યુના બાણને તોડી નાખ્યું. કૃપાચાર્યે સારથિને અને કૃતવર્માએ રથને ભાંગી નાખ્યો. અશ્વત્થામાએ મંડલનો અગ્રભાગ તોડી નાખ્યો. પછી ક્રોધિત થયેલા અભિમન્યુએ ગદાના ઘાત વડે દુઃશાસનનો રથ પીસી નાખ્યો. તેથી દુઃશાસનના પુત્ર મહારથિ આદિ બધા ભેગા થઈને અભિમન્યુને બાણના પ્રહાર વડે જર્જરિત કરી નાખ્યો. ચક્રવ્યુહની વચ્ચે જવા છતાં પણ માર્ગ નહિ મળવાથી ઘા પડવાથી જર્જરિત તે જમીન પર પડી ગયો. ત્યાં દુરાત્મા જયદ્રથે પોતાની કીર્તિ સાથે અભિમન્યુનું શિર છેદી નાખ્યું. ત્યારે બંનેના સૈન્યમાં હાહાકાર મચી ગયો. અહો ! અકાર્ય થયું. કસમયે નહિ થવાનું થઈ ગયું. બાળ હોવા છતાં પ્રૌઢ પરાક્રમી, પ્રહારથી જર્જરિત તે પાપી જયદ્રથે શિરચ્છેદ કરી નીચે પાડ્યો. તે લોકની વાત સાંભળી બધાય સૈનિકો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. તે દુઃખને સહન નહિ કરી શકતો સૂર્ય અસ્તને પામ્યો. બંને પક્ષના સૈનિકો પહેરેગીરના કહેવાથી પોતપોતાની છાવણીમાં ચાલી ગયા. અર્જુન ત્રિગર્લેશ્વરના રાજા સંસતક રાજાઓને હણીને જય પ્રાપ્ત કરી અભિમન્યુને મળવાની ઇચ્છાવાળો સૂર્યાસ્ત સમયે આવી ગયો. ત્યાં આજંદપૂર્વક પોકાર કરતાં સૈન્યને શોકસાગરે ડૂબેલાની જેમ જોયા. કોઈક પુરુષે અર્જુનના પુત્રના વધના સમાચાર કહ્યા. તે સાંભળીને દુઃખથી ઘેરાયેલા મનવાળો રાજાઓના આવાસે આવીને યુધિષ્ઠિરને નમીને સંસમક રાજાના વધને કહીને અભિમન્યુના સમાચાર પૂછ્યા. યુધિષ્ઠિરે પણ ચક્રવ્યુહના વૃત્તાંતને અને જયદ્રથથી પુત્રના વધના સ્વરૂપને સંપૂર્ણ કહ્યું. તે સાંભળીને શોકથી આકુળ-વ્યાકુળ થયેલા મનવાળો અર્જુન અન્તઃપુરમાં પ્રવેશીને (જઈને) રડતી સુભદ્રાને તે તે વચનો વડે આશ્વાસન આપીને કહ્યું - હે સુન્દરી ! તારી પુત્રવધૂ ગર્ભવતી છે. તેનો પુત્ર આપણા બંનેની આંખોને આનંદ આપનારો થશે. તું ચિંતાને કર નહિ તથા પ્રભાતે તારા પુત્રને મારનારને જો હણું નહિ તો નિશ્ચિત અગ્નિમાં પ્રવેશીશ.” સૂર્યાસ્ત સમયે પુત્રના ઉર્ધ્વ દેહ સંબંધી કાર્ય પૂર્ણ કરીને સમેટીને થાક વગરના બનેલા અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy