SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ પાંડવ ચરિત્રમ્ ૩૦૮ હે અર્જુન ! પોતાના આત્માથી પણ અધિક દ્રોણ ગુરુએ ધનુર્વિદ્યા પહેલાં તને આપી છે. ઇન્દ્રલોકમાં ગયેલા દ્રોણ જાણશે તો નક્કી ગુરુ લજ્જાને પામશે. ઇત્યાદિ વચનો વડે કૃષ્ણથી તિરસ્કૃત થયેલા અર્જુન ઇર્ષ્યાથી ભરેલા મૂર્તિમંત માનવીની જેમ કર્ણ તરફ દોડ્યો. હવે કર્ણ યુધિષ્ઠિરને છોડીને અર્જુનની સામે ગયો. કર્ણને આવતો જોઈને કૃષ્ણે અર્જુનને કહ્યું : “હે અર્જુન આ કર્ણ છે. હે અર્જુન ! શ્વેત ઘોડાવાળો અને શલ્ય સારથિવાળો આ નિશ્ચિંત કર્ણ આવી રહ્યો છે.’ નાગકક્ષ ધ્વજવાળો, સાક્ષાત્ જાણે વી૨૨સથી ભરેલો જણાય છે. તમારા બંનેનું આજન્મ બાણના અભ્યાસનું તારતમ્યપણું હવે તમારા બેઉની ઉત્પન્ન થયેલી ચતુરાઈમાં દેખાશે. હે અર્જુન! રાહુથી ગ્રસાયેલા સૂર્યના તેજની જેમ કર્ણથી રોકાયેલું તારું તેજ ના હણાઓ. એમ કહીને અર્જુનની આજ્ઞાથી કૃષ્ણે કર્ણ તરફ રથ ચલાવ્યો. રથમાં બેઠેલા મહાબાણાવલી ક્રોધથી લાલ, દિવસ ઉગતાં પહેલાં કર્ણ અને અર્જુન બંનેય ચંદ્ર અને સૂર્યની જેમ શોભે છે. ક્રોધથી લાલ આંખવાળા કર્ણે અર્જુનને કહ્યું : “હે અર્જુન! આટલા કાળ સુધી આપણા બંનેનો શસ્ત્ર અભ્યાસ શીખવા માત્ર જ રહ્યો છે, તેનું ફલ તો આજે મળશે. આથી હે અર્જુન! બોલ કહેવાય છે કે દ્રોણ ગુરુએ(તને) આપેલી બાણવિદ્યાને ભૂલ નહીં. તે ગુરુને લજ્જા પમાડીશ નહીં. યુગાંતકાલના સૂર્ય જેવા મારા હાથ તારા મહિમારૂપ સમુદ્રને પી જઈને આજે જ પાણ્ડકુળનો નાશ કરવા ઇચ્છે છે.’ અર્જુને કહ્યું : “હે કર્ણ ! સજ્જન પુરુષો પોતાના ગુણો પોતે જ કહે તે લઘુતાનું કારણ બને છે. પરાક્રમીઓનું પરાક્રમ એના બાહુમાં રહે છે, વાણીમાં નહિ. મોટા અવાજ વડે કહેવાથી શું થાય?’ હવે બંનેનું પરસ્પર બલાબલ જણાશે, એમ કહીને બંને જણા ધનુષ્ય પર બાણ ચડાવે છે. સમુદ્રમાંથી ઉઠતા તરંગોની જેમ સૂર્યના બિંબમાંથી નીકળતા કિરણોની જેમ કર્ણના બાણમાંથી છૂટતા બાણો શત્રુઓ ૫૨ આક્રમણ કરે છે. બધાય કુરુરાજાઓના જીવિત સાથે અર્જુને પણ ધનુષ્યની દોરી ખેંચી. પછી તેને મૂકેલા બાણો પ્રાણને હરનારા વિશ્વમાં વ્યાપી ગયા. તેવી રીતે કર્ણના બાણો વડે વિશ્વ વ્યાપ્ત થયું. તે આ પ્રમાણે. બાણવર્ષાથી માર્ગ, રથ, સારથી અને ધજા પણ દેખાતી નથી. એટલું જ નહિ, અર્જુનનું શરીર પણ પ્રસરી ગયેલી બાણવર્ષાથી ઢંકાઈ જઈ અદૃશ્ય થયેલું દેખાતું નથી. કર્ણની અંધકારની જેમ પ્રસરી ગયેલી શ્રેણીને સૂર્યના કિરણો જેમ અંધકારને ભેદી નાંખે છે, તેમ અર્જુનના બાણોએ તે બાણશ્રેણીને ભેદી નાખી. તે બાણની શ્રેણીથી અંધ જેવો થયેલો કર્ણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy