SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૯૬ સર્ગ - ૧૩ રાજા પાછો વળીને પોતાના સ્થાનમાં ગયો. યુધિષ્ઠિરને બાંધીને હું લાવું છું, એવી પ્રતિજ્ઞા કરાયેલા દ્રોણને સાંભળીને (જાણીને), યુધિષ્ઠિરની રક્ષા માટે ધૃષ્ટદ્યુમ્ન, ભીમ અને નકુલાદિને મૂકીને યુધિષ્ઠિરની આજ્ઞાથી સૈન્યસમૂહથી પરિવરેલો સસંતકોને જીતવાને માટે બારમા દિવસે કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુન આવ્યો. ત્યારે જ કૌરવોની પણ સેના તેવી જ રીતે ત્યાં આવી. શંખના અવાજથી ઉત્સાહિત થયેલા પરસ્પર સર્વે અહંકારપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. તે મોટું યુદ્ધ થતાં જયલક્ષ્મી દ્વિધામાં પડી ગઈ. ધૃષ્ટદ્યુમ્ન સૈન્ય સાથે હાથી ઉપર બેઠેલા સૈનિકોથી પરિવરેલો કુરુસેનામાં પ્રવેશી ગયો અને સમુદ્રમાં રવૈયાની જેમ તે કુરુસેનાને મથી નાખી, વલોવી નાખી. પોતાની સેનાને વલોવી નાખેલી જાણીને દ્રોણે પાંડવોની સેનામાં જાતે જ પ્રવેશ કર્યો. પોતાની તાકાતથી તૃણસમાન માનતો તીક્ષ્ય બાણોને વરસાવ તો તે સેનાને વલોવી નાખી. પાંડવોની સેનાના બાણઘાતથી જર્જરિત કરતા તે સેનામાં પ્રસરી ગયા. સુપ્રતિક ગજ પર બેઠેલો ભગદત્ત રાજા પણ દ્રોણની પાછળ પાંડવ સૈનિકોની સાથે યુદ્ધ કરે છે. સુપ્રતિક હાથીએ પણ પાંડવોની સેનામાં પ્રવેશીને તે સેનાને ગભરાવી નાખી. આકુળ-વ્યાકુળ કરી નાખી. જેમ કે કેટલાક સામે આવેલા સુભટોને તેણે સૂંઢથી આકાશ તરફ ઉછાળ્યા. તે જાણે જીવંત અપ્સરાઓને આપવા માટે જાણે ન (ઉછાળ્યા) હોય ! યમના જેવા સુપ્રતિક હાથી યુદ્ધના રણમાં ચાલતા માર્ગમાં સામે કોઈપણ થયો નહિ, સામે આવ્યો નહિ. કારણ કે આ ગંધહસ્તિ હાથીઓને ત્રાસ પમાડતો, ઘોડાઓને સૂંઢથી ઉછાળતો, રથોના સમૂહને સૂકા પાંદડાના સમૂહની જેમ ચૂરતો, બહુ બલવાનોને સૂંઢમાં લઈને આકાશમાં ફેંકતો તે રણભૂમિમાં કોઈનાથી પણ વાળી નહિ શકાયેલો ઇચ્છા પ્રમાણે ફરી રહ્યો છે. એ પ્રમાણે હાથીએ વલોવેલી પાંડવ સેનામાં જબ્બર કોલાહલ ઉત્પન્ન થયો. તે અવાજને અર્જુને સાંભળીને, સંસતક રાજાઓને હણાયેલાના જેવા કરીને તેઓને બાજુ પર ત્યજીને સુપ્રતિક હાથી પર બેઠેલો પ્રાગૂ જ્યોતિષશ્વર ભગદત્તની સામે દોડ્યો. હાથી પર બેઠેલા ભગદત્ત પણ યુદ્ધ મેદાનમાં અર્જુનની તરફ થયો. પછી ભગદત્ત સાથળ વડે હાથીને પ્રેરતા પોતાની મહાવત કલાને બતાવતો અર્જુન તરફ દોડ્યો-દોડે છે. પછી બંનેય બાણના પ્રહાર વડે પરસ્પર યુદ્ધ કરે છે. ત્યારે ભગદત્તના બાણો અર્જુનની તરફ નિષ્ફળ ગયા. બાસો નિષ્ફળ જવાથી ભગદત્ત વિલખો થઈ ગયો. ધનુષ્યનો ટંકારવ કરતા અર્જુને બાણોની શ્રેણી વડે હાથી સાથે પ્રાજ્યોતિધ્વર ભગદત્તને હણી નાખ્યો. ત્યારે આકાશમાં દેવોએ અર્જુન પર પુષ્પવૃષ્ટિ (વર્ષા) કરી. તે રાજ હાથી સાથે ભગદત્ત હણાતાં તેનું સૈન્ય નિરાશ (વિલખું) બન્યું. ત્યારે દ્રોણનું દુઃખ સહવા અસમર્થ સૂર્ય પણ અસ્ત થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy