SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૨૯૫) પાંડવ ચરિત્રમ્ શત્રુઓ જીતી લીધા છે, તેનો શોક કરવો યોગ્ય નથી. જો તારી આજ્ઞાથી યુદ્ધમાં અર્જુન સહિત યુધિષ્ઠિરને બાંધીને તને આપું તો હું દ્રોણ” એમ કહીને દુર્યોધનને ખુશ કર્યો. હવે સામે પડેલા કાર્યમાં ફરી તૈયાર થા. એ પ્રમાણે ગુરુ દ્રોણાચાર્ય ઉત્સાહિત કરેલો ફરી યુદ્ધ માટે તૈયાર થયેલા દુર્યોધને તે દ્રોણાચાર્યને ત્યારે જ સેનાપતિ બનાવ્યા. કહ્યું છે કે, હાથીના વેપારમાં હાથીનો વેપારી સમર્થ થાય છે. પ્રભાતે વ્યુહરચનાના રંગથી રંગાયેલા દ્રોણ યુદ્ધને માટે કુરુક્ષેત્રની ભૂમિ પર જાતે જ આવ્યા. ગાંગેયની દુર્દશાથી દુભાયેલા મનવાળા અને જયની આશાથી આનંદિત પાંડવો પણ સેનાની સાથે દ્રોણ ગુરુની સામે યુદ્ધભૂમિમાં આવી ઊભા રહ્યા. પછી બંને સૈન્યોનું પરસ્પર યુદ્ધ ચાલુ થયું. પરસ્પર બંને સૈન્યના બાણો વડે ક્ષણમાત્રમાં માથાઓ કપાયા, તો પણ તેવી જ રીતે ક્રોધિત ધડો પણ પરસ્પર લડવા લાગ્યા. બાણો બાણોની સાથેના પ્રહારથી ઉછળતા હતા. ક્યારેક હાથી હાથીની સાથે લડતા તેઓના માથાઓ આકાશમાં ઉછળતા હતા. કેટલાક વીર સુભટો દુશ્મનોની તલવાર વડે માથાઓ કપાતા છતાં યુદ્ધથી વિરામ ન પામ્યા. એ પ્રમાણે પરસ્પર મોટું યુદ્ધ થતાં દ્રોણાચાર્યે અર્જુનને બાણકલામાં પોતાનાથી અધિક હોંશિયાર જાણી આચાર્ય પોતાના આપેલા સંસ્કાર માનવા લાગ્યા. બંનેય સૈન્ય શસ્ત્રઘાતથી જર્જરિત લાલ લોહીમાં વિકસેલા કકેલિ ફૂલના વનની જેમ શોભતા હતા. બંનેય સેના પરસ્પર લડીને એક સરીખા પરાક્રમી જય અને અજય વિના સંધ્યા સમયે પોતપોતાની છાવણીમાં ગયા. અગિયાર દિવસ ચાલી ગયા. યુધિષ્ઠિરની રક્ષા કરનાર અર્જુનની પાસે રાત્રિએ દુર્યોધનની આજ્ઞાથી અહંકારના પર્વત જેવા સંસતક નામના ત્રિગર્ત દેશના રાજાએ આવીને આ પ્રમાણે કહ્યું : “હે અર્જુન ! તું સામાન્ય વરની જેમ સૈન્યની પાછળ ઉભેલો ઉદાસીનની જેમ શું યુદ્ધ કરે છે ? તું જગતમાં એક અજોડ વીર છે. તારો બાહુ વૈભવ (બલ) વિશ્વમાં અજોડ સંભળાય છે. તેથી સૈન્યથી વિખૂટા થઈને કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ પર પ્રભાતે અમારા સૈન્ય સાથે યુદ્ધ કર ! જો તું યુધિષ્ઠિરનો ભાઈ અર્જુન હોય તો (યુદ્ધ કર.)” હવે અર્જુને સંસપ્તક રાજાના આ વચન સાંભળીને ઉત્તર આપ્યો કે, હે સંસતકો ! તમારી વાણી કેળાના સ્થંભ જેવી હમણાં ન થાય. કારણ કે મારા બાણો સૈનિકના પ્રાણોના સ્વાદ માટે તરસ્યા છે. તેઓ તમારા રક્તરૂપ દારૂ પીને કંઈક સંતોષ પામશે. આથી હું એકલો કુરુક્ષેત્રની ભૂમિ પર આવીશ. તમારે બધાએ ભેગા થઈને અત્યંત બલવાન સેનાની સાથે પ્રાતઃકાલે જલ્દી આવી જવું. એ પ્રમાણેના અર્જુનના વચન સાંભળીને આનંદથી ભરાયેલા શરીરવાળા સંસતક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy