SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૯૪) સર્ગ - ૧૩ મોટાભાઈ યુધિષ્ઠિરને રાજ્ય પાછું આપવું તે તારા માટે ન્યાય બરાબર છે અને તારે જાતે જ પહેલાની જેમ ઇન્દ્રપ્રસ્થમાં રહેવું તે યોગ્ય છે. ફરી પણ નજીકમાં રહેલા લોકને તજીને એકાન્તમાં દુર્યોધનને કહ્યું કે : “વત્સ ! અધિક બલવાન સાથે બુદ્ધિધારીઓને યુદ્ધનિષેધ કહ્યું છે. આથી તું પણ યુદ્ધ કર નહિ. પાંડવોની સાથે યુદ્ધમાં તારો જય નહિ થાય. જન્મકાલથી શું તે ભીમ અને અર્જુનની તાકાત જોઈ નથી? તથા ચિત્રાંગદ વિદ્યાધરથી અર્જુને તને છોડાવ્યો હતો તે ભૂલી ગયો ? તેવી રીતે વિરાટનગર ઉત્તર દિશામાં ગાયોને ગ્રહણ કરતા મોહ અસ્ત્ર વડે મોહિત કરીને તારા શસ્ત્ર અને વસ્ત્રોને લઈ લીધા હતા તે પણ ભૂલી ગયો ? વર્તમાનમાં પણ એણે વારુણ સરને છોડીને એક જ બાણ વડે પાતાળમાંથી પાણી લાવ્યો હતો, તે પણ શું નથી જોયું ? આથી હું કહું છું કે હે ભદ્ર ! જો તારે જીવવું હોય અને તેવી રીતે જો રાજ્ય જોઈતું હોય તો યુધિષ્ઠિરની સાથે સંધિ કરી લે.” એ પ્રમાણે વારંવાર વારવા છતાં પણ પાપાત્મા દુર્યોધન તે યુદ્ધના પાપથી પાછો પડ્યો નહિ અર્થાત્ અટક્યો નહિ. તેથી પિતામહ ગાંગેયે તેની ભવિતવ્યતા વિચારીને મૌનનો આશ્રય લીધો. ફરી સ્નેહથી પ્રેરાયેલા ધૃતરાષ્ટ્રાદિ જ્ઞાતિવર્ગને અલગ અલગ કહીને બધાની આગળ કૃષ્ણનું સ્વરૂપ કહેતા કહે છે. આ કૃષ્ણ જરાસંઘને હણીને સંપૂર્ણ પૃથ્વી ગ્રહણ કરી લેશે. ત્રણ ખંડનો અધિપતિ વાસુદેવ થશે. તમારે બધાયને પણ એની આજ્ઞાને પાળવી પડશે. ઇત્યાદિ શિક્ષાને આપીને સંસારથી વિરામ પામવા પાપકર્મની આલોચના કરીને સમતારૂપ અમૃતનો સ્વાદ લેતાં શ્રી ભદ્રગુણાચાર્ય પાસે દીક્ષા લીધી. હવે નિર્ભય બનેલા ગાંગેયે મોહરાજાની સાથે યુદ્ધ શરૂ કર્યું. ત્યાં પહેલા જ્ઞાનરૂપ ચક્ર વડે મિથ્યાત્વની સેનાનો અને અન્યનો નાશ કરતાં સમતારૂપ શક્તિ વડે રાગદ્વેષ રૂપ ઉન્મત્ત એવા હાથીને ભેદતા, ધ્યાનરૂપી ભાલા વડે દાબી શકાય તેવા ઇન્દ્રિયરૂપ ઘોડાઓને ઉપદ્રવ વિનાના કરતા ક્ષમાદિ બાણો વડે ક્રોધાદિ યોદ્ધાના સમૂહને મારતા શ્રદ્ધારૂપ કવચ પહેરેલા અંગવાળા, મોહમલ્લને જીતેલા, સ્નેહશલ્યને કાઢી નાંખનારી પિતામહે ભદ્રગુપ્તાચાર્ય પાસે આરાધના કરી. તે આરાધનાનું વર્ણન પંદરમા સર્ગમાં કહીશ–કહેવાશે. હમણાં જે ચાલે છે તે જ કહું છું. ફરી સંગ્રામનું વર્ણન કરીએ છીએ. પછી તત્ત્વમાં એક મનવાળા એક એક મુનિને વંદન કરીને અસ્ત્રો સાથે સર્વ પાંડવ કૌરવો પોતાના આવાસે ગયા. હવે પ્રભાત થતાં ગાંગેયના વધથી પડી ગયેલા મુખવાળા દુર્યોધનને જોઈને દ્રોણાચાર્યે દુર્યોધનને કહ્યું : “હે રાજન્ ! સત્ત્વશાળી હોવા છતાં વિષાદીની જેમ કેમ દેખાય છે ? જગતમાં એક અજોડ વીર, વીરવ્રતમાં રહેલા શાન્તનું પુત્ર ગાંગેયનું શું વિચારવું ! જેણે બાહ્ય અને અંતરંગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy