SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ રિ૯૧) પાંડવ ચરિત્રમ્ મૂળ જેવા ભીષ્મને જાતે જ તારા હાથે બાણ મારવા થકી નાશ કર. ઉખેડી દે.” કૃષ્ણના તે નિર્દેશને કોઈપણ રીતે ઇચ્છા વિના સ્વીકારીને અર્જુન શિખંડીના રથમાં ચડી ગયો. પછી શિખંડીની પીઠ પાછળ ઉભા રહેલા અર્જુને લજ્જા-ભક્તિ અને સ્નેહ સાથે લોખંડનું બાણ છોડ્યું. તે લોખંડના બાણ વડે મર્મભાગમાં હણાયેલા ગાંગેય રથના મળે પડતા આ પ્રમાણે બોલ્યા : “હે સૂત ! આ શિખંડીના બાણો નથી. શિખંડીના બાણથી હું ક્યારે પણ મૃત્યુ નહિ પામું. પરંતુ આ મર્મભેદી ન દેખાતા અર્જુનના બાણો છે. એ પ્રમાણે જ્યાં કહે છે, તેટલામાં ધનુષ્યને છોડીને બાણ વિનાનો, લજાયુક્ત વિનમ્ર બની ગયેલા શરીરવાળો પિતામહ પર વધેલા નેહવાળો અર્જુન પિતામહની સમીપે આવીને ઉભો રહ્યો. એવી રીતે અર્જુન બીજા પણ પાંડવો અને કૌરવો દુર્યોધનાદિ બાણપ્રહારથી જર્જરિત થયેલા પિતામહ ગાંગેયની ચારેબાજુ આવી ઉભા રહ્યા, યાને ઘેરી વળ્યા.” ત્યાં ઉભા રહેલા તેઓ અત્યંત રડવા લાગ્યા. તેથી ગાંગેય બધાની દેખતા આ પ્રમાણે બોલ્યા કે “અહો ! મેં આ શું કર્યું. બાળપણમાં જ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવા છતાં પણ સંયયનો સ્વીકાર કર્યો નહિ. હવે હું શું કરીશ ?” એમ જ્યાં બધાની આગળ વારંવાર બોલે છે, ત્યાં આકાશમાં મિત્ર વિદ્યાધર વાણી ઉચ્ચારી, “હે ગાંગેય ! ગુરુએ કહેલી વાણીને ભૂલી ન જા.” દુર્યોધને પિતામહની પાસે આવીને ભીષ્મને પૂછ્યું : “હે તાત ! આકાશમાં રહેલા વિદ્યાધરો ગુની કઈ વાણી યાદ કરાવે છે ?” ગાંગેય બોલ્યા : “મેં નાનાના ઘરે (મામાના ઘરે) રહેતાં બાળપણમાં જ ચારણમુનિ પાસેથી શ્રાદ્ધ (શ્રાવક) ધર્મરૂપ પહેલું સમ્યક્ત ગ્રહણ કર્યું છે. તે કૃપાળુએ મને એવી રીતે જિનધર્મ સમજાવ્યો કે જેથી બાળ હોવા છતાં પણ મને અર્થ (દ્રવ્ય) અને કામની ઇચ્છા થઈ નહિ. તે દિવસથી લઈને પ્રાણીવર્ગને હું મારા આત્માની જેમ જોઉં છું. સાધુ ભગવંતની જેમ સત્ય અને પવિત્ર વાણી બોલું છું. તેવી રીતે પરધનમાં મારૂં ચિત્ત બધી જ રીતે પરામુખ રહે છે. એટલે કે પરધન પર મારી દૃષ્ટિ જતી નથી. બ્રહ્મચર્ય વ્રત તો આજીવન સુધીનું સ્વીકાર્યું છે. બધી જ સ્ત્રીઓ મારે તૃણવ્રત છે (ઘાસ બરાબર છે). પરિગ્રહનો નિગ્રહ કર્યો છે. સંતોષને પ્રિય કર્યો છે. જૈન ધર્મથી વાસિત ચિત્તવાળા પ્રાણીઓને કંઈ પણ દુષ્કર નથી. હું જૈન ધર્મનું આચરણ કરતો રહ્યો હતો. ત્યાં સુધીમાં બધાના સંગનો બધી રીતે ત્યાગ કરવાની ભાવનાવાળું મન હોવા છતાં પવનવેગ મામા પાસેથી બધી કલાઓનું મેં શિક્ષણ લીધું છે. તો પણ પકર્મમાં મગ્ન મારા દિવસો પસાર થાય છે.” કયા પકર્મને તે કહે છે : દેવપૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાયમગ્નતા, સંયમ (ઇન્દ્રિયોનો સંયમ) આહાર ત્યાગરૂપ તપ અને દાન, એ પ્રમાણે પ્રતિદિન ગૃહસ્થોએ કરવાના છ કાર્યો છે. ' એ પ્રમાણે દિવસો પસાર થાય છે. હવે એક વખત (દિવસ) નાનાની સાથે ત્રિકાલજ્ઞાની મુનિચંદ્ર નામના મહામુનિને વંદન કરવા માટે વનમાં હું ગયો. ત્યાં મુનિને વંદન કર્યું. તેઓશ્રીએ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy