SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૨૯૦). સર્ગ - ૧૩ મદથી ઉન્મત્ત શત્રુના સમૂહને રાજાઓએ ભેદી નાખ્યા, વિદ્યાધરના જયને નષ્ટ કર્યો. જયની ઇચ્છાવાળા સેંકડો ચતુર યોદ્ધાઓએ હોંશિયાર હજારો ઘોડાઓનો નાશ કર્યો. હાથમાં રહેલા બાણોના સમૂહથી રથોને ભાંગી નાખ્યા. રથોને ભાંગવાથી કોલાહલ વધી ગયો. બલવાન સુભટોએ સિંહનાદ કર્યો. ભયંકર સિંહનાદથી જ્યાં લોહીની નદી વહી રહી છે. એ પ્રમાણે પરસ્પર યુદ્ધ થતાં કોઈક સૈનિકે શત્રુ સૈનિકને લોખંડના ભાલાની અણી પર ઝીલ્યો અને ઊંચો કર્યો. તેથી આ ભાલાની ઉપર રહેલ નર્તકના નાચ જેવો લાગ્યો. ઉન્મત્ત હાથી પર બેઠેલા કોઈક સૈનિકે હાથીને પ્રેરતાં હાથી પર બેઠેલા કે ઘોડા પર બેઠેલા કે રથમાં બેઠેલા કોઈથી પણ અલના ન પામ્યો. કોઈક રથિ વિરોધીની સામે ક્રોધથી દોડતા માર્ગની વચ્ચે રુધિરની નદી અર્ગલા (અટકાયત) રૂપ બની. તે યુદ્ધ થતાં બાણના સમૂહના મારથી ગાંગેય કાંઈક જર્જરિત થયા. કેટલાક યુદ્ધથી પાછા પડ્યા. કેટલાકને છેદતા પિતામહ યુદ્ધ કરે છે, પરંતુ તે ગાંગેયની સામે યુદ્ધમાં પાંડવોનો કોઈ સેનાપતિ સામે આવતો નથી. એ રીતિએ રણભૂમિમાં ભમતા ફરતા રથમાં બેઠેલો શિખંડી ભીષ્મની સામે આવ્યો. તેની પાછળ બીજા બાણવાળા ભીમ, ગાંગેય, અર્જુનાદિ મહારથિઓ રથમાં બેઠેલા દોડ્યા. અત્યંત બલવાન હાથમાં ધનુષ્યવાળા ગાંગેયે શિખંડીને આગળ જોઈને તે જ ક્ષણે પિતામહનો યુદ્ધ આરંભ મંદ થયો. કહ્યું છે કે :- ક્રોડો સુભટોના સમૂહના સંહારથી થાકવાળા થયેલા (થાકી ગયેલા) એ પિતામહે દયાલાવી ધનુષ્યને વિશ્રામ આપ્યો. પછી મંત્રથી સ્થિર થયેલા અગ્નિની જેમ અથવા રત્નસાનુમાન (પર્વત) જેવા સ્થિર અચલ ગાંગેયને બધા પાંડવોના સૈનિકોએ જોયો. તેને સ્થિર જોઈને કૃષ્ણથી પ્રેરાયેલા શિખંડીએ તીક્ષ્ણ બાણો ફેંક્યા. શિખંડીના દર્શનથી મળેલી આંખોવાળા ગાંગેયે શિખંડીના બાણના પ્રહારને મદોન્મત્ત હાથીની જેમ જરાપણ ગણકાર્યા નહિ અથવા ગભરાયા નહિ. તે અવસરે આનંદ પામેલા દુષ્ટદ્યુમ્નાદિ બધાય વીરોએ પોતાની બધી તાકાતથી તે પિતામહને બાણ વડે ઘાયલ કર્યા. તે અતિ ભયંકર પ્રહારોને જોઈને ગાંગેય કોપથી અધરને કંપાવતા ફરી ધનુષ્ય પર બાણ ચડાવ્યું. ત્યારે ગાંગેયના રક્ષક દુર્યોધને અને દુઃશાસને વેગથી બાણોનો વરસાદ વરસાવ્યો. તે બાણો વડે દિશાઓ ઢંકાઈ ગઈ–દેખાતી નથી, એ પ્રમાણે વિદિશાઓ પણ દેખાતી નથી, એ પ્રમાણે આકાશ દેખાતું નથી. એ પ્રમાણે ભૂમિ પણ દેખાતી નથી, પરંતુ કેવલ લોકોને બાણોથી ભરાયેલું જગત દેખાય છે. તેવા પ્રકારનું તે પ્રલયકાળની ઉપમા સમાન યુદ્ધ જોઈને અર્જુનને કૃષ્ણ કહ્યું : “હે અર્જુન ! સૈન્યના ક્ષયની ઉપેક્ષા કેમ કરે છે ? શિખંડીની પાછળ ઉભો રહીને કુરુવંશની લક્ષ્મીરૂપ લત્તાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy