SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ (૨૮૯ો પાંડવ ચરિત્રમ્ રાત્રે પાંચ પાંડવોએ અને કૃષ્ણ પણ પરસ્પર મંત્રણાને કરી. જ્યાં સુધી ગાંગેય યુદ્ધમાં ધનુષ્ય ધારણ કરે છે, ત્યાં સુધી આપણો જય દૂર રહો. પરંતુ જીવવાની આશા પણ દુર્લભ દેખાય છે. આ પ્રમાણેનું પાંડવોનું કહેલું સાંભળીને કૃષ્ણ કહ્યું : “હે યુધિષ્ઠિર ! ગાંગેયને હણવા માટે મારા બાહુ જાતે તલસી રહ્યા છે. પરંતુ તે તે સોગન વડે અર્જુનથી અટકાવેલો હું શું કરું ? અર્થાત્ સોગન આપીને અર્જુને મને અટકાવ્યો છે. તેથી હું શું કરું ? હમણાં જ તમારી આજ્ઞા હોય તો પ્રાતઃ ભૂમિને ગાંગેય વિનાની કરી દઉં.” કૃષ્ણ કહેલું સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું : “હે કૃષ્ણ ! તારા હાથમાં બાણ જોઈને ઇન્દ્ર પણ યુદ્ધ કરવા સમર્થ નથી, તો પછી ગંગાપુત્ર ગાંગેયની તો વાત શી ?” પરંતુ તમારા વડે આગળ પ્રેમપૂર્વક ગાંધારીના પુત્રના સમૂહના વધથી ઉદ્ભવેલી કીર્તિ તમે અમને દક્ષિણારૂપે આપો છો. હવે તે કૃષ્ણ કંઈક બીજો ઉપાય બતાવો. જેનાથી વિશ્વમાં અજોડ રથી ગાંગેય જીતી શકાય. તે સાંભળીને કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું : “હે યુધિષ્ઠિર ! આ લોકમાં સંભળાય છે, તે વિખ્યાત છે.” જેમ કે :- સ્ત્રીઓ પર, પૂર્વ સ્ત્રીઓ પર, ગરીબ પર, ડરેલા પર, નપુંસક પર, શસ્ત્રરહિત પર ભીષ્મના સરો (બાણો) પડતા નથી, એટલે કે તેઓની ઉપર બાણ મારતા નથી. તેથી સવારે દ્રુપદ રાજાના નપુંસક પુત્ર શિખંડીને યુદ્ધ મેદાનમાં આગળ રાખીને ઉભા રહેવું. તેઓ પર ગાંગેય બાણો નહિ છોડે, તેથી અર્જુનના બાણ વડે ગાંગેય મૃત્યુને પામશે. એવા કૃષ્ણના વચન સાંભળીને હર્ષિત થયેલા બધાય પાંડવો ઉઠીને પોતપોતાના સ્થાનમાં ગયા. નવ દિવસ પસાર થયા. હવે દશમે દિવસે અત્યંત શક્તિશાળી શિખંડીને રથમાં બેસાડીને આજુબાજુ ભીમ અને અર્જુનના રથો રહ્યા અને વચ્ચે શિખંડીના રથને કરીને ગાંગેયના વધની ઇચ્છાથી સંગ્રામભૂમિમાં બધાય સેનાપતિઓ આવી ગયા. સૂર્ય અને ચંદ્રની મધ્યે જેમ બુધ તેમ શિખંડી શોભવા લાગ્યો. હવે ગાંગેય અને અર્જુનનું પરસ્પર યુદ્ધનું વર્ણન કરતાં કહે છે. બાણોનો સમૂહ દૃષ્ટિના માર્ગને રોકે છે. એટલે કે એટલા બધા બાણો છવાઈ ગયા છે કે જેથી બાણ પાછળનું દષ્ટિ જોઈ શકતી નથી. સુભટો એટલા બધા આવી ગયા છે કે જેથી માર્ગ રોકાઈ ગયો છે, જડતો નથી. જેમ કે – સુભટોએ ક્રોડો હાથીઓના કુંભસ્થલને ભેદી નાખ્યા છે. તેથી તટ હાથીના શિરથી રચાયેલું શોભે છે. | વિશાળ છાતી, જાંઘવાળા સુહસ્તિના શરીરથી રચાયેલ આ ઘટનાથી ડરી ગયેલાઓએ કરેલા અવાજથી પર્વતની ગુફાઓ ભરાઈ જતી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy