SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૯૨ સર્ગ - ૧૩ ધર્મલાભ આપ્યો. પછી તેમને વૈરાગ્યને વધારનારી અમૃત જેવી પુણ્ય કરાવનારી ધર્મદેશના આપી. દેશના પૂર્ણ થયા પછી મેં પૂછ્યું : “હે મુનિ ! મોહરૂપ અંધકારને દૂર કરનાર સૂર્યરૂપ સર્વવિરતિ એટલે કે સંયમ (દીક્ષા) મને ક્યારે મળશે ?” ત્યારે મુનિએ કહ્યું : “હે સરળ સ્વભાવી! સત્યવતી તારી માતા થશે. ત્યારે તે તેના પુત્રના આગ્રહથી લાંબાકાળ સુધી ઘરવાસમાં રહીશ. કહ્યું છે કે :- વિશાળ મનવાળાને પરોપકાર એ જ પોતાનો સ્વાર્થ છે. તું પિતાની પ્રીતિ માટે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવા છતાં ગૃહસ્થ ધર્મમાં રહ્યો હોવા છતાં પણ ભીખવ્રત લેવાના કારણે ભીખ એવા નામથી પ્રસિદ્ધ થઈશ. દુઃખી દુર્યોધનના યુદ્ધમાં અર્જુનના બાણના ઘાથી જર્જરિત થયેલો તું મારા અન્તવાસી ભદ્રગુપ્તસૂરિની પાસે અત્યંત શ્રદ્ધાળુતાથી દ્રવ્ય ઘાની વ્યથાને સહન કરતાં એક વર્ષનું માત્ર આયુષ્ય રહેશે, ત્યારે પ્રવજ્યા લઈશ. પછી સંયમી બનેલો સમ્યગુ આરાધના કરીને, સમતામાં ડૂબેલા મનવાળો, ભાવશલ્ય દૂર કરનારો તેજ દિવસથી લઈને વર્ષના અંતે તું અશ્રુત સ્વર્ગલોકમાં જઈશ.” એમ કહીને મુનિ બીજે વિહાર કરી ગયા. આ તારો વૃત્તાંત છે. હે દુર્યોધન ! આકાશવાણી કરી આ મારા ચતુર વિદ્યાધર મિત્ર વિદ્યાધરો દીક્ષાનો સમય સ્મરણ કરાવે છે. યાદ કરાવે છે. હે ગાંગેય ! તમે સાવધાન થાઓ. તમારો દીક્ષાનો સમય આવ્યો છે. બાણના ઘાથી જર્જરિત ગાંગેયની દીક્ષાની તીવ્ર ઇચ્છા જાણીને બધા પાંડવો અને કૌરવો દુઃખથી ઘેરાયેલા જોરથી પોકાર કરવા (૨ડવા) લાગ્યા. તેઓના દુઃખને સહી નહિ શકનારો સૂર્ય બીજા દ્વીપમાં ચાલ્યો ગયો અર્થાત્ અસ્ત થઈ ગયો. દશમો દિવસ પસાર થઈ ગયો. તે દિવસનો થોડો ભાગ રહે છતે પાંડવ અને કૌરવોએ ભેગા થઈને ગાંગેયને ઉપાડીને ઊંચકીને ભદ્રગુણાચાર્યે અલંકૃત કરેલી નજીકમાં રહેલી પર્વતની ગુફામાં વિનયવાન એવા તેઓ લઈ ગયા. આ વૃત્તાંત સંજયના મુખથી સાંભળીને ધૃતરાષ્ટ્ર પણ રડતા રડતા ભીષ્મની પાસે આવ્યા. પાંડવો અને કૌરવોએ ઘણા ઉપચારો કરતાં ગાંગેય બોલ્યા : “હે વત્સ ! મારું આયુષ્ય આટલું જ છે. ઉપચારથી સર્યું. હવે ધર્મ ઉપચારથી (સંભળાવવાનું) કરો. જેથી કરીને પરલોકમાં સદ્ગતિ થાય. હે વત્સો ! આધાર વગરના મારા માથામાં ખૂબ જ વેદના થાય છે. તે સાંભળીને કૌરવ સુખના કારણભૂત રૂનું બનાવેલ માથાનું ઓશિકું પગનું ઓશિકું પડખાના ઓશિકા લઈ આવ્યો. ત્યારે ગાંગેયે માથું હલાવીને તેનો નિષેધ કરીને હસતા મુખથી અર્જુન પર દૃષ્ટિ નાખી. અર્જુન પિતામહની ઇચ્છા જાણીને ત્રણ કંકપત્રને બાણ પર મૂકીને પીઠ પાછળ મૂક્યા. જેથી કરીને મસ્તક સુખપૂર્વક રહે તેમ અર્જુને કર્યું. તેથી ગાંગેય ખુશ થયા.” ફરી યુધિષ્ઠિરે પિતામહને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું : “હે તાત ! જો તમારી આજ્ઞા હોય તો હું વીંટીના સ્પર્શવાળા પાણીથી આ તમારા છીદ્રવાળા શલ્યોને દૂર કરું અને ઘાને રૂઝવવાનું કરું. હે તાત ! અંગમાં આવા શલ્યો (વા) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy