SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૨૮૪) સર્ગ - ૧૩ આ શલ્ય નામનો આપનો મામો અને માદ્રીનો ભાઈ આપને છોડીને વારવા છતાં પણ ત્યાં ગયો અને તમારો વિરોધી થઈને ફરી સામે આવેલો. બંધુક નામના વૃક્ષ જેવા સુંદર ઘોડાવાળા રથમાં બેઠેલો સીતા ધજાથી મંડિત દુશ્મન માટે શલ્ય જેવો આપનો મામો શલ્ય જાણો. આ લાલ ઘોડાવાળો રથ દુશ્મનના ચૈતન્યને (જીવન) હણનારો અને કોલ ધ્વજવાળા રથમાં બેઠેલા જયદ્રથ નામના રાજાને તમારે જાણવો. આ શાંત પંચકલ્યાણી ઘોડાવાળા રથમાં બેઠેલા યુપધજાવાળા ભૂરિશ્રવા નામના રાજા દેખાય છે. આ સુપ્રતિક ગજ (હાથી) પર બેઠેલા મોટા સ્તંબેરમ ધ્વજા વાળા ગાજતી કીર્તિવાળો ભગદત્ત નામના રાજા છે. એ પ્રમાણે અનેક સુશર્માદિ મહારાજા ઘોડે ચડેલા રથમાં બેઠેલા અને કેટલાક હાથી ઉપર બેઠેલા તમારા આગળ યુદ્ધને માટે ઉપસ્થિત થયા છે. આટલા શૂરવીરો આપની આગળ મૃત્યુને પામશે, વરશે. આવી કૃષ્ણની વાણી સાંભળીને દયા છોડીને અર્જુન રથમાં આગળ બેસીને યુદ્ધ માટે તૈયાર થયો. ફરી દયાના સ્વભાવવાળા અર્જુને વડીલ ભાઈઓ આદિને જોઈને કૃષ્ણને કહ્યું : “આ વડીલ ભાઈઓને મારવા માટે મારું મન રાજી થતું નથી, ઉત્સાહવાળું થતું નથી. તેવા રાજ્યથી શું ! લક્ષ્મીથી સર્યું. આવી મારી તાકાતથી શું? આ વિદ્યાથી શું? જેથી ગુરુ અને ભાઈઓને હણીને પાપથી ખરડાવવાનું જે ગાંગેય પિતામહના ઉત્સંગમાં ક્રીડા કરતાં (ખેલતાં) મારા આટલા દિવસ પસાર થયા છે. તે બ્રહ્મચારી ગાંગેય પર મારા બાણો કેવી રીતે ફેંકુ.” આ દ્રોણ બાણવિદ્યા શીખવાડનાર છે, જેણે ખુશ થઈને મને સર્વ બાણકલા આપી શીખવાડી) છે. તેવા તે બાણકલાના આચાર્યને હું કેમ હણું ? ગુરુના વાત્સલ્યના કારણે બંધુથી પણ અધિક છે, તે મારા ગુરુબંધુ અશ્વત્થામાને યુદ્ધ મેદાનમાં કેવી રીતે હણું? હે કૃષ્ણ ! આ ગુરુબંધુ આદિને હણવા માટે મારા બાણો લજ્જા પામે છે. આવા વચનો સાંભળીને કૃષ્ણ કહ્યું : હે વીર મુગુટ ! હે અર્જુન ! ક્ષત્રિય ધર્મથી ઉલ્ટો તારો આ કૃપાનો અંકુર કેવો ? અર્થાત્ તારી આ દયા કેવી ! કહ્યું છે કે કૃપા-દયાભાવથી ક્ષત્રિય ધર્મ રહેતો નથી. ક્ષત્રિય ધર્મનું આ લક્ષણ છે, તે જાણો. કહ્યું છે કે – ગુરુ, પિતા, પુત્ર, ભાઈઓએ જો શસ્ત્ર હાથમાં લીધા હોય તો શંકારહિત હણવા તે ક્ષત્રિયનો ધર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy