SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ (તેરમો સર્ગ) તે બંને સૈનિકોએ ભેગા થઈને યુદ્ધનો સિદ્ધાંત નક્કી કર્યો. અસ્થાયી યુદ્ધ વિરામ, શસ્ત્ર વિનાનાઓને અને સ્ત્રીઓને હણવા નહિ. હવે મોટા રથમાં બેઠેલા ભીમ અને અર્જુને, ધુષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવીને સેનાની આગળ આવ્યા. સેનાની આગળ રહેલા અર્જુને કુરુસેનાને જોઈને તેના સ્વરૂપને જાણવાની ઇચ્છાથી કૃષ્ણને પૂછ્યું : “હે કૃષ્ણ ! આ કુરુસેનામાં કોણ કોણ સુભટો છે ? તે કેવી રીતે જાણી શકાય ?' કૃષ્ણ કહ્યું : આ તાલધ્વજવાળો છે, તે દુશ્મનના સમૂહનો નાશ કરવામાં સમર્થ છે. જગતમાં અજોડ વીર મહારથી અને શ્વેત ઘોડા જોડાયેલા રથમાં બેઠેલા ગંગાનો પુત્ર ગાંગેય છે. આ લાલ રંગના ઘોડાવાળા રથમાં બેઠેલા, કલશ ધજાવાળા, યુદ્ધમાં આગળ મહારથી આપના ગુરુ અખંડ કીર્તિવાળી દ્રોણાચાર્ય છે. આ બાણવાળો દુર્યોધન નીલવર્ણવાળા ઘોડાથી જોડાયેલ સુવર્ણ રથમાં શોભતો, સર્પ ધજાવાળો વીરસમૂહથી પરિવરેલો મહારથી આપનો શત્રુ જાણવો. આ દુઃશાસન લાંબી ધજાવાળા તે પીળા ઘોડાવાળા રથમાં બેઠેલો ક્રૂર કર્મ કરવાવાળો દ્રૌપદીના ચીર (વસ્ત્ર) ખેંચવા માટે લાલાયિત દુર્યોધનનો નાનો ભાઈ વિશેષ કરીને તમારે જાણવો. તે આ સૌબલ લાલ અને પીળા ઘોડાથી શોભતા રથવાળો ધવલ ધજાવાળો ભુવનમાં એક વીર અને અભિમાની જાણવો. આ દ્રોણ પુત્ર અશ્વત્થામા લાલ ઘોડાવાળા રથમાં બેઠેલો સિંહપૂછ ધજાવાળો મહારથી, તમારા મુખ તરફ વારંવાર જુએ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy