SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૨૮૫ પાંડવ ચરિત્રમ્ ભાઈ ભાઈ ત્યાં સુધી છે, જ્યાં સુધી શત્રુભાવ ધરતા નથી, પરાભવ કરતા નથી. જો પરાભવ કરે ત્યારે તો બલવાનોએ તેનું નક્કી શિર છેદવું. અગ્નિ હાથનો સ્પર્શ, સિંહ શિયાળનો અવાજ સહન કરતા નથી, તેવી રીતે ક્ષત્રિયો શત્રુની ડખલ ક્યારેય પણ સહન કરતા નથી. આથી ક્ષત્રિય ધર્મ તે છે જેમાં શત્રુ એવા ભાઈઓને પણ હણતા તારા જેવો વિશ્વમાં અજોડ ધનુર્ધારી હોવા છતાં પણ તારા ભાઈની લક્ષ્મી શત્રુ હરી (લઇ) જાય છે, તે પણ તારી જ મોટી લજ્જા બને છે. તારે જ શરમાવા જેવું છે. આથી જ દયાભાવને છોડી હાથમાં બાણ લઈને તમે શત્રુના સમૂહનો નાશ કરવા માટે યોગ્ય છો. હે અર્જુન ! આ તારા શત્રુઓ પોતાના પાપના કારણે જ ક્ષયને પામશે, તું તો માત્ર તેઓના વધમાં નિમિત્ત માત્ર જ થઈશ. ધનુર્ધારી મારવા આવનારને માટે જ છે. આથી હે અર્જુન ! હાથમાં બાણોને લે અને જલ્દી ધનુષ્ય પર ચડાવ, નહીં તો આ શત્રુઓ તારા ભાઈઓને હણી દેશે. ઇત્યાદિ કૃષ્ણનું કહેલું સાંભળીને યુદ્ધ માટે ઉત્સાહિત (તૈયાર) થયેલો અર્જુન હાથમાં બાણ લેતો યુદ્ધને માટે ઉભો થયો. પાંડવો અને કૌરવોના બંનેના સૈન્યમાં રહેલા ધનુર્ધારી સૈનિકોના ધનુષ્યમાં રહેલા દોરીના ટંકારવથી ભયંકર અવાજો નીકળ્યા. બંને સૈન્યના યોદ્ધાઓએ પોતપોતાના શંખો વગાડ્યા. તેનો શબ્દ સાંભળતા બધાય સૈનિકો તૈયાર થયા. હવે યુધિષ્ઠિરે રથથી ઉતરીને પગે ચાલીને, ભીષ્મને દ્રોણને અને કૃપાચાર્યને નમસ્કાર કર્યા. લજ્જાથી નીચે નમેલા તે ગુરુઓએ પણ તે યુધિષ્ઠિરને આશિષ આપવાપૂર્વક અભિનંદન આપ્યા. પછી કહ્યું : “હે વત્સ ! તમારી અમારા ઉપર ભક્તિ છે. અમારો પણ આપના ઉપર સ્નેહ છે, પરંતુ અમે શું કરીએ ?” હે વીર ! કૌરવોએ ઘણી ભક્તિ કરીને અમને ખુશ કર્યા છે. કૌરવોને છોડવાનું સહન કરી શકીએ તેમ નથી. અમારાથી લોકલાજથી કૌરવોને છોડવાનું શક્ય નથી. આ યુદ્ધમાં તમારો જ જય થશે. એમાં લેશ પણ શંકા નથી. જેના સૈન્યમાં ન્યાયધર્મ રહ્યો છે, તેનો જ જય થાય છે. એ પ્રમાણે ગુરુવાણી ધારીને ફરી આવીને પોતાના રથમાં બેઠા. પછી બંને પક્ષના (સૈન્યના) સૈનિકોએ ધનુષ્ય ઉપર બાણો ચડાવ્યા. ગાંડીવ ધનુષ્ય હોવા છતાં પણ ધનુષ્યના ખેંચવાથી ઉઠેલ ટંકારના શબ્દમાત્રથી શત્રુઓના પ્રાણી જવા જેવા થઈ ગયા. આકાશમાં વિદ્યાધરો અને ભૂમિ પર મનુષ્યો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. જેમ કે ઘોડાવાળા-ઘોડાવાળા સાથે, બાણોવાળા બાણોવાળા સાથે, બલવાનોના સિંહનાદ વડે ભ્રમથી શોભાયમાન જગત થયું (અને બળવાળાઓના લલકાર સાથે થતા યુદ્ધથી જગત એકાએક આકુળ-વ્યાકુળ થઈ ગયું.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy