SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 26 ઉર ઉદ્ગાર - જીવનનો આધાર પશુ થઈ માનવ જગતમાં ફરે છે સમય તો ક્ષણે ક્ષણે હંમેશા સરે છે. સૂર્યના ઉદય અને અસ્તની વચ્ચે જીવનનો પ્રવાહ વહી રહ્યો છે. જીવનની મહામૂલી પળો મૃત્યુની સન્મુખ આત્માને ખેંચી રહી છે. પરિવર્તિત સંસારનો એક અકાટ્ય નિયમ છે જ્યાં જન્મ ત્યાં મૃત્યુ છે. જન્મ અને મૃત્યુની વચ્ચે મળેલા અવસરને ધર્મારાધના દ્વારા સફળતા પ્રાપ્ત કરવી એજ માનવ જન્મનું ફળ છે. આત્મશુદ્ધિ કરવાનો અને મોક્ષ પ્રાપ્તિના કારણભૂત જ્ઞાની પુરુષોએ સ્વાધ્યાયને પ્રધાનપદ આપ્યું છે. સ્વાધ્યાયના અમૂલ્ય અવસરને ઝડપી લઇ પાંડવ ચરિત્રનો ગુર્જર ભાષામાં અનુવાદ કરી કર્તાએ સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ જીવો પર મહોપકાર કર્યો છે. મૃદુભાષી પ્રવચનપ્રભાવક, શ્રી જીરાવલા પાર્શ્વનાથ ૨૪ તીર્થંકર તીર્થ સ્થાપક લબ્ધિવિક્રમ-સ્થૂલભદ્રસૂરિ પટ્ટપ્રદ્યોતક પૂ.આ.ભ.શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સાહેબે અનેક સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન, સજ્ઝાયો એવં ઉપદેશ રત્નાકર, ષોડષક્, વીતરાગ સ્તોત્રાદિનો ગુર્જર અનુવાદ કરી સ્વાધ્યાયનો અમૂલ્ય ખજાનો સ્વાધ્યાય પ્રેમી ને પૂરો પાડ્યો છે. જૈનેતરના મહાભારતની જેમ જૈનોનું પણ એક જૈન મહાભારત છે તેવો જૈનોમાં કેટલાક લોકોને ખ્યાલ નથી. તેથી પાંડવ ચરિત્ર યાને જૈન મહાભારતનો ગુર્જરાનુવાદ પુસ્તક રૂપે પ્રગટ કરતાં અમો આજે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. Jain Education International પ્રાંતે પુસ્તકના વાંચન દ્વારા મહાભિમાન અને સ્વજનો પ્રતિ સ્વાર્થીરાગના દુષ્પરિણામોનો વિચાર-મંથન કરી આત્માને સંસારના વિનશ્વર પદાર્થોના મોહના કારણે થતા વિષય કષાયોથી મુક્ત કરી પરમ પદને પ્રાપ્ત કરનારા બનો. એજ અભિલાષા સહ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ૨૪ તીર્થંકર તીર્થના ટ્રસ્ટી ગણ. મોડાસા - ગુજરાત For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy