SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 25 આચાર્ય મ.સા. સરળ હૃદયી, મૃદુભાષી, સરળ ભાષાના વ્યાખ્યાનકર્તા છે, અભણ હોય કે બાળક હોય, સૌને સરળ શબ્દોમાં તત્ત્વોનો મર્મ સમજાવે છે અને આચાર્ય મ.સા.નું કહેવું છે કે : વૈજ્ઞાનિક યુગ મેં જીનેકા બસ ઉસકો અધિકાર મિલા, જિસકો જીવનમેં વિકાસના આધ્યાત્મિક આધાર મિલા.” આ.મ.ની ભીતરમાં સરસ્વતીનો અખૂટ ખજાનો, વિદ્યાનો ભંડાર ઠાંસી ઠાંસીને ભરેલો છે. જે એમના અંતર આત્માને સ્પર્શ કરી લે છે. એમનો આ સંસારમાં બેડો પાર થઈ જાય છે. પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ અને પ્રવચનશાલીતાનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીએ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં જિનસ્તવન, સઝાય, ભક્તામર સ્તોત્ર, રસાકરપચ્ચીસી, સકલાત, ચિંતામણિસ્તોત્ર વગેરેની ગુર્જર કાવ્યમય સ્વરચનાઓ કરવા સાથે વીતરાગસ્તોત્રનો કાવ્યમય ગુજરાતી અનુવાદ, ષોડશક ગ્રન્થનો અનુવાદ, લબ્ધિકલ્પઝરણાં, વિચારવૈભવ, પાવનકીધાં ધામ, સંસ્કૃતસ્તુતિ, ગુરુઅષ્ટક, પાંડવ ચરિત્રનો અને ઉપદેશ રત્નાકરનો ગુજરાતી અનુવાદ ભાગ ૧-૨ વગેરે વિવિધ રચનાઓની ભેટ એમણે શાસનને ધરી છે. આવા આચાર્ય ભગવંતના ચરણકમળોમાં કોટિશઃ કોટિશઃ નમન ! “જિનકી આત્માકો ચરણોંકી જરૂરત નહીં, ઔર બહારી ચમનકો નજરોંકી જરૂરત નહીં. ઇનકી તારીફ મેં હમ ક્યા શબ્દ બયાં કરેંજો સૂરજ ખુદ હૈં ઉનકો ઉજાલોં કી જરૂરત નહીં.” - રેશ્મા રાજેશભાઈ લલવાણી શ્રી રાજાજીનગર (બેંગ્લોર) મધ્ય વર્ધમાન તપની 100 ઓળીના અનુમોદનના સમારોહ પ્રસંગે અનુમોદન કર્તા રેશ્માબેન રાજેશકુમાર લલવાણી. વિ.સં. ૨૦૬૫, ભા.વ.૧૧, (ગુજરાતી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy