SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 24 જ સિતારો બની ચમકી ઊઠે છે એમ જ આચાર્ય શ્રી કલ્પયશસૂરીશ્વરજીનાં માતા કાંતાબહેન અને પિતા મહાસુખલાલભાઈએ પ્રભુદર્શન, પૂજા, ગુરુભક્તિ, ધર્મશ્રવણ આદિ અમૂલ્ય સંસ્કારોનું સિંચન કર્યું હતું. પરિણામે ૧૯ વર્ષની નાની ઉંમરમાં મહાન ઉપધાન તપની આરાધના કરી છે. પૂ. આચાર્ય શ્રી સાધુતામાં રહીને ક્રિયાશુદ્ધિ સાથે વીશ સ્થાનક તપ, વર્ષીતપ, જ્ઞાનપંચમાદિ અને વર્ધમાનતપની ઓળીમાં આગળ વધતાં વધતાં ૭૦ વર્ષની ઉંમરે વર્ધમાન તપની ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ કરી ચૂક્યા છે. ધન્ય છે આવા તપસ્વીને ધન્ય છે આવા શાસનરત્નને. ભારતીય સંસ્કૃતિમાં સંન્યસ્ત થવું એ સૌથી મોટો યોગ છે. ગીતામાં શ્રીકૃષ્ણ પાંડવોને સંબોધિત કરતાં કહે છે : "यं सन्यासमिति प्राहुयोगं तं विद्धि पांडव : " અર્થાત્ જે સંન્યાસ છે એજ યોગ છે. એ દૃષ્ટિએ આચાર્ય મહારાજ ૩૯ વર્ષથી યોગીજીવન જીવી રહ્યા છે. એમનું જીવન જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગનો સમન્વય છે. ગીતામાં યોગીને તપસ્વી, જ્ઞાની અને પુરુષાર્થી કરતાં પણ ઊંચો કહ્યો છે. વિ.સં. ૨૦૨૫માં બૃહત્ત તીર્થસ્થાપક દક્ષિણકેશરી પૂ.આ.ભગવંત શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.નું સાંનિધ્ય પ્રાપ્ત થયું. પૂજ્યશ્રીની દિનચર્યા, તપાનુરાગિતા, નિખાલસતા, મધુરભાષિતા, વિનમ્રતાદિ ગુણોએ એમને સંયમનો રસ ચખાડ્યો એટલે કે સંયમનો રસાસ્વાદ કરવા આકર્ષિત કર્યા. સંસારની અસારતાનું દર્શન કરતાં કરતાં વૈરાગ્યભાવ એના હૃદયના અણુએ અણુમાં ઓતપ્રોત થઈ ગયો. છેવટે વિ.સં. ૨૦૨૪નું પૂજ્યશ્રીનું ચાતુર્માસ વાપીમાં થયું અને પૂજ્યશ્રીના સાંનિધ્યમાં રહી ચાતુર્માસ આરાધના કરી એમણે દીક્ષા અંગીકાર કરી, સાથે જ વાપીનિવાસી અશોકકુમાર (હાલમાં અમિતયશસૂરીશ્વરજી મ.સા.)ની પણ દીક્ષા થઈ. આજે પણ આચાર્ય મહારાજ ગુરુ આજ્ઞાનું પાલન કરતાં કરતાં જ્ઞાન, ધ્યાન, તપાદિ ધર્માનુષ્ઠાનમાં રત રહી મધુર પ્રવચન દ્વારા અનેક સંઘોમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં જય વિજયનો ધ્વજ લહેરાવી રહ્યા છે. આચાર્ય મ.સા.ની દિવ્યવાણીએ હજારો, લાખોને સાધનાના રાજમાર્ગ પર પ્રસ્થાપિત કર્યા છે. એમના જાદુઈ હાથોના સ્પર્શે ન જાણે કેટલીય વ્યક્તિઓમાં નવી ચેતનાનો સંચાર કર્યો. એમના પ્રેરક જીવને અનેકોની દિશાનું રૂપાંતર કર્યું. એમની પાવન સંનિધિ અધ્યાત્મનાં નવાં કિરણો પ્રસરાવતી રહી છે. તેથી આચાર્યશ્રી સાધક જ નહીં, સાધકોના અનુશાસ્તા છે. આચાર્યશ્રી બ્રહ્મર્ષિ છે, કારણ કે સાધનાના નવા નવા પ્રયોગોની શોધ કરે છે. તેઓ દેવર્ષિ છે, કારણ કે તેઓ સૌને જ્ઞાનનો પ્રકાશ વહેંચી રહ્યા છે. તેઓ રાજર્ષિ છે, કારણ કે તેઓ એક ધર્મસંઘના અનુશાસ્તા છે અને મહર્ષિ છે, કારણ કે તેઓ સતત મહાનની શોધમાં પ્રયત્નશીલ રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy