SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ રિ૭૬) સર્ગ - ૧૨ પહેલાં તો દિશાઓ શ્યામમુખવાળી બની ગઈ હતી. સૈન્યની ઊડતી ધૂળથી ઢંકાયેલા સૂર્યવાળા દિવસે લોકોએ તારાનો સમૂહ જોયો. તેવી રીતે તે જ દિવસે બધી દિશાઓમાં દિલ્દાહ જોયો તથા તે જ દિવસે આકાશમાં ભૂત, પ્રેત નાચ કરતા હતા તથા પૃથ્વી કંપાયમાન થઈ હતી. શિયાળીયાઓ રડતા હતા. જમણી બાજુએ ગધેડું ફૂંક્યું. પવન સામો વાતો હતો, તેના પ્રસ્થાન વખતે ઘોડા અને હાથીઓએ મળત્યાગ અને પેશાબ કર્યા. આવા પ્રકારના અપશુકન જોઈને દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ગાંગેય, દુઃશાસન આદિના સૈન્યો અંદરોઅંદર પરસ્પર આ પ્રમાણે બોલતા હતા. આવા અપશુકનના કારણે અટકાવવા છતાં પણ કર્ણથી ઉત્સાહિત દુર્યોધન અમોએ વાળવા છતાં પણ દુષ્ટ અધ્યવસાયના કારણે યુદ્ધથી અટક્યો નહિ. એક દુષ્ટાત્મા જરાસંઘ એવી રીતે બીજો પાપાત્મા દુર્યોધન પણ એ બેઉ પોતાના અને બીજાના કુળનો ખરેખર સંહાર (નાશ) કરશે. અપશુકનોએ વાળવા છતાં પણ અસંખ્ય બલ સૈન્યથી યુક્ત સૈન્યનો સાગર પૃથ્વીને જાણે ભીંજવતો જતો હોય તેમ ચાલ્યો. તેની આગળ કુરુસેનાપતિ દુર્યોધન, ક્રોડ સૈનિકથી ઘેરાયેલો (પરિવરેલો) રસ્તામાં સેનાપતિની જેમ આગળ ચાલ્યો. દુર્યોધનની સાથે જરાસંઘ સંપૂર્ણ સેના સહિત પ્રભાત સમયે જ નક્કી કુરુક્ષેત્રમાં આવશે, એવી દૂતે કહેલી વાણી સાંભળીને સર્વ યાદવો અને પાંડવો અત્યંત હર્ષને પામ્યા. કારણ કે યુદ્ધ થતાં સુભટો ખુશ થાય છે. સૈનિકો યુદ્ધ ઇચ્છે છે, વૈદ્યો રોગથી પીડાતા લોકને ઇચ્છે છે, બ્રાહ્મણો ઘણા મરણને ઇચ્છે છે અને નિગ્રંથ સાધુઓ સુકાળ, ક્ષેમકુશળ ઇચ્છે છે. કૃષ્ણ તે દૂતને ઇનામરૂપ દાન આપ્યું કારણ કે મહાન પુરુષનો પ્રેમ નિષ્ફળ જતો નથી. દૂતે કહેલું સાંભળીને તૈયાર થયેલા કૃષ્ણ સૈન્ય સાથે સરસ્વતીના કાંઠે છાવણી કરીને સુખપૂર્વક ત્યાં રહ્યા. હવે પાંડવો સૈનિકો સાથે પોતાની સેનાને તૈયાર કરીને કૃષ્ણની સેનાની આગળ આવીને ઉભી રહી, ત્યારે જરાસંઘના સૈનિકોએ અત્યંત ડરી જવાથી પ્રત્યંત પર્વતની નજીકમાં પોતાના માટે આવાસો બનાવ્યા. જરાસંઘનો પણ આવાસ એક પર્વતની ઉપર બનાવ્યો. કર્ણાદિ વીરોના, શલ્યાદિ રાજાઓના, ગાંગેયાદિ મહારથીઓના, સેનાની ટુકડીઓના આવાસો, પોતપોતાની ધજાઓ (ચિહ્નો)થી શોભતા યથાયોગ્ય સ્થાને બનાવ્યા. દુર્યોધનનો આવાસ હાથી, ઘોડા, રથાદિ સૈન્ય સમૂહથી પરિવરેલો, રાજસમૂહથી પરિવરેલો, ગ્રહો વડે પરિવરેલો શ્વેત સૂર્યની જેમ કુરુક્ષેત્રના કિનારે શોભતો હતો, એ પ્રમાણે સંપૂર્ણ રાજસમૂહથી પરિવરેલા જરાસંઘે એક દિવસ ઇન્દ્ર મહારાજાની સરીખી (જેવી) પોતાની સભામાં બેઠેલા મગધ દેશના રાજાએ બધા રાજાઓની આગળ કહ્યું : “હે બહાદુર સૈનિકો ! રામકૃષ્ણ વગેરે યાદવોએ સૈન્યની આગળ પાંડવોને આગળ કર્યા છે. મારા સૈન્યના શ્રેષ્ઠ સુભટોને યુદ્ધમાં કોળિયો કરતાં (હણતાં) પાંડવોથી રક્ષણ કરનારા કોણ થશે ?” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy