SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૨ પાંડવ ચરિત્રમ્ તે સાંભળીને સભામાંથી ઉઠીને હાથ જોડીને દુર્યોધને કહ્યું : “હે રાજેન્દ્ર ! તમે મારી આ વાત સાંભળવા માટે યોગ્ય છો. કારણ કે તમારા જેવા બલવાનોમાં માણિક્ય જેવા, ઇન્દ્ર જેવા, મારી પાછળ હોવાથી પણ આ ગોપાલ બાલકૃષ્ણ કોણ ? આ બિચારા કાગડા જેવા પાંડવો ? આપની આજ્ઞાથી એકલો પણ હું યાદવ અને પાંડવોને જીતી લઈશ. આથી હે રાજેન્દ્ર ! મારા ઉપર ઉપકાર કરીને પાંડવ અને કૌરવના યુદ્ધમાં મને આજ્ઞા આપો. હું જ પાંડવોની સાથે યુદ્ધ કરીશ. મને આજ્ઞા આપીને તમે સાક્ષી થાઓ. તમારા દેખતાં જ હું આ ભૂમિને પાંડવો વિનાની કરીશ.” જરાસંઘે કહ્યું : “હે મહાવીર ! તારામાં બધું જ છે. મને વિશ્વાસ છે, એ પ્રમાણે કહીને આજ્ઞા આપી.” વિદાય કરેલો દુર્યોધન પોતાના ઉતારાના સ્થાને આવી ગયો. ત્યાં આવીને પોતાના સુભટોને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “હે પિતામહ ગાંગેય ! હે દ્રોણગુરુ ! હે કર્ણબંધુ! પ્રભાત સમયે સંગર સાગર જાઉં છું. તે અગાધ યુદ્ધ સાગરને તમારા બાહુબલ રૂપ સેતુ (પુલ) વડે જ ઉતરાશે. જેવી રીતે ચંદ્ર જેવા શીતળ વસંત ઋતુમાં મલયાચલના (ચંદનના) પવન વડે કરાયેલા સહાયવાળો કઠિન હોવા છતાં પણ મુનિઓના ચિત્તને શું ચંચલ નથી બનાવતો ? કામથી શું વિહૂલ નથી કરતો ? તેવી રીતે હું પણ આપની સહાયથી યુદ્ધ સાગરમાં દુશ્મનોને જીતીશ. શ્રદ્ધાવાળા એવા મેં પાપુત્રોના વધ માટે પહેલાં રાજગૃહીમાં અને હાલમાં યુદ્ધ સમયે જરાસંઘને પ્રાર્થના કરી છે. તેમની આજ્ઞા લઈને ધનુર્ધારી આપને તેના સ્વરૂપને બતાવ્યું છે. તે રાજેન્દ્ર! આપણા સૈન્યમાં કેટલા અર્ધરથિ સુભટો છે, કેટલા રથીઓ છે, કેટલા મહારથીઓ છે.? અને કેટલા વીરોત્તમ એવા અતિથિઓ છે. ? આ સાંભળીને ભીખે કહ્યું: “હે રાજનું દુર્યોધન! શું તું ધનુર્ધારીના રહસ્યને જાણતો નથી ? જેથી વારંવાર પૂછે છે. આ રણમેદાનમાં આ કર્ણ પ્રમાદિ અને કૃપાલુ છે. તે કારણે એ મને અર્ધરથિ ભાસે છે.” કહ્યું છે કે – જે હજાર, દશહજાર અને એક લાખને રણયુદ્ધમાં નક્કી હણે છે. તે અનુક્રમે રથિ-મહારથી અને અતિરથી કહેવાય છે. બે કાન વડે આ વચન સાંભળી કર્ણ દુર્યોધનને કહે છે. “હે ગાંગેય ! જ્યાં સુધી આપની આગળ કોઈ અતિરથી પ્રાર્થના કરે નહિ ત્યાં સુધી પાંડવોની સામે યુદ્ધમાં ધનુષ્ય બાણ ધારણ કરીશ નહિ.” એ પ્રમાણે કહીને પોતાની તાકાતથી જગતને ઘાસ સમાન માનતો કર્ણ ક્રોધથી અંધ થયેલો સભામંડપમાંથી ઉઠીને સ્વગૃહે જવા લાગ્યો. ઘરે જતાં કર્ણનો હાથ પકડીને ગાંગેયે કહ્યું : “હે રાજન ! અવસર ન હોવા છતાં પણ આ કેવી તારા મુખપર કાલિમા ? જે તું આ અવસરે ક્રોધથી લાલ આંખવાળો થઈ ગૃહે જાય છે. જો હું શ્રેષ્ઠ ધનુવાળો છું તો પણ તારા વિના શું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy