SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૧ (૨૬૫) પાંડવ ચરિત્રમ્ પ્રમાણે કહ્યું : “પહેલાં તો મેં દ્રુપદ રાજાનો પુરોહિત નામે ઈન્દ્રને મોકલ્યો હતો, તેનું કહ્યું કર્યું નહિ પછી અહીંથી કુળના નાશથી ડરનારો સંજય આવ્યો. યુધિષ્ઠિરે તેને પણ કહ્યું, તે પણ દુર્યોધને ન માન્યું. કુરુરાજાના કુળના નાશથી ભીરૂ એવો હું પાડવોની સાથે વિચાર કર્યા વિના દૂતરૂપે જાતે જ આવ્યો છું, જો તમે મારૂં કહેલું કાંઈક કરો તો હું આપને કાંઈક કહું ?” તે સાંભળીને દુર્યોધને કહ્યું: “હે ગોવિંદ ! તારી ઇચ્છા હોય તે કહે.” ત્યારે કૃષ્ણ કહ્યું : “મારા કહેવાથી એઓનું (પાંડવોનું) પહેલા ગ્રહણ કરેલું રાજ્ય પાછું આપ. જો નહિ આપે તો આ પાંડવો તારા પ્રાણ સાથે સંપૂર્ણ ભૂમિને લઈ લેશે. ભાઈઓની સાથે આ કેવો વિરોધ ? તે જ રાજ્ય શ્રેષ્ઠ છે, જે ભાઈઓ સાથે ભોગવાય છે. યુધિષ્ઠિરાદિ ભાઈઓ વીરોમાં શ્રેષ્ઠ મહાપુણ્યોદયે મળ્યા છે. એની સાથે વિરોધ કેવો ? તેઓ પણ મર્યાદાપૂર્ણ થયા. પછી પોતાની ભૂમિને માંગે છે. હૃદયમાં સારી રીતે ઘણું વિચારીને રાજ્યને આપ. જો રાજ્ય નહિ આપે તો આ પાંચ ગામોને તારે તે પાડુપુત્રોને આપવા જોઈએ.” કુશસ્થલ, વૃકસ્થલ, માકન્દી, વારણાવત એ ચાર અને આ પાંચમું હસ્તિનાપુર. આ પાર્ટુપુત્રોને આપવા દુર્યોધને કહ્યું : “હે કૃષ્ણ ! અતિ તીક્ષ્ણ સોયના અગ્રભાગ વડે જે ભેદાય તેના અધભાગ જેટલી ભૂમિ યુદ્ધ વિના નહિ આપું.” વળી ફરી કૃષ્ણે કહ્યું : “હે દુર્યોધન ! કુલક્ષય જોતાં તે પાંડવો મારા કહેવાથી એટલા ગામો વડે પણ તારી સાથે સંધિ કરશે.” દુર્યોધને કહ્યું: “હે કૃષ્ણ ! તું વારંવાર ફોગટ શા માટે બોલે છે? યુદ્ધ વિના હું ભૂમિ નહિ આપું.” તેથી ક્રોધથી લાલ આંખવાળા કૃષ્ણ કહ્યું : “હે દુર્યોધન! નજીકમાં તારું મરણ આવ્યું છે. તેના ક્રોધથી અને મારા ક્રોધથી તું જીવવાની આશા છોડી દે.” પછી કણે પણ કહ્યું: “હે રાજન્ ! કૃષ્ણના કહેવાથી પાંચ ગ્રામ તેઓને આપો.” દુર્યોધને કહ્યું : “સોયના અગ્રભાગ જેટલી પણ ભૂમિ નહિ આપું. ભાવિમાં જે થવાનું હોય તે થાય.” ફરી કૃષ્ણે કહ્યું : “આ રાજ્ય મસ્તક સાથે આપશે તો પાંડવ-કૌરવોનો સંયોગ યુદ્ધ મેદાનમાં થાઓ.” દુર્યોધને કહ્યું : “તે પાંડવો તે જ કુરુક્ષેત્રમાં ભૂમિ આપશે.” કૃષ્ણ કહ્યું: તું વાણીની કપટથી છેતરાયો છે. તારા પ્રાણ સાથે રાજ્ય ગયું.” એમ કહીને કૃષ્ણ એકદમ અચાનક ઊભા થઈને બહાર નીકળી ગયા. પછી કૃષ્ણના ક્રોધથી આકુળ (દુઃખી) થયેલા ગાંગેય, ધૃતરાષ્ટ્ર વગેરે સભાજનો કૃષ્ણને શાંત પાડવા માટે તેની પાછળ ગયા. ત્યાં જઈને કૃષ્ણને કહ્યું : “હે હરે! ખેદ પામેલા હોવા છતાં પણ મહાત્માઓ સામાન્ય જન ઉપર ક્રોધ કરતા નથી. ચંદ્રમાથી અગ્નિ વરસે ખરી ? અથવા શું અગ્નિવર્ષા થાય ? ત્યાં સુધી પાંડવો દૂર રહો. તમે એકલા હોવા છતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy