SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૬૪ ૨૬૪) સર્ગ - ૧૧ છે, રાજ્યને ધિક્કાર છે. જેના માટે પુત્ર પિતાને હણે છે, પિતા પુત્રને હણે છે, મિત્ર મિત્રને, બંધ બંધુને હણે છે, આવા સંસારસુખને ધિક્કાર હો. આવી ભાવના ભાવતો જ્યાં રહ્યો છે, ત્યાં કોઈએ આવીને વિનંતી કરી. હે રાજન્ ! કુરુકુલ મુગટ ! ધર્મપુષ્ટ ! હે વિદુર ! તમારા ઉદ્યાનમાં વિશ્વકીર્તિ નામના ચાર જ્ઞાનને ધરનારા મુનિ પધાર્યા છે, તે સાંભળીને હર્ષિત થયેલો વિદુર તેને દાનથી સત્કારીને પરિવાર સાથે મુનિને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવે છે. હર્ષથી ઉલ્લસિત મનવાળા વિદુરે સાધુઓને વંદન કર્યા. મુનિએ પણ ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યા. પાસે બેઠેલા પરિવાર સાથે વિદુરને જાણીને મુનિએ પણ સંસારની અસારતા બતાવતા દેશના આપતાં કહ્યું કે : “જંતુઓની રક્ષા (દયા) કરવી, જિનેશ્વરની પૂજા કરવી. ભક્તિપૂર્વક આગમને સાંભળવા, સાધુઓને નમવું, અભિમાનને કાઢવું, સુસાધુનો આદર કરવો, માયાને હણી નાખવી અને ક્રોધનું શમન કરવું. લોભરૂપ વૃક્ષને ઉખેડી નાંખવું, ચિત્તની શુદ્ધિ કરવી, ઇન્દ્રિયરૂપ ઘોડાઓનું દમન કરવું, કારણ કે તે મોક્ષનો ઉપાય (ભટણું) છે.” સંસારરૂપ વનને કષાયવિષરૂપ નીક વડે કરેલું સિંચન પ્રાણોને હણનાર છે, તો પણ આશ્ચર્ય છે કે જીવો વિષયરૂપ વૃક્ષોને સેવે છે. આવા પ્રકારની ગુરુદેશના સાંભળીને પછી ઊઠીને અંજલિ જોડીને વિદુરે ગુરુને કહ્યું કે : હે મુનિ ! આપની દેશનાને સાંભળીને મારું મન મુક્તિમાર્ગમાં ભાતા સમાન આપના કરકમલ વડે સંયમની યાચના કરે છે.” પછી મુનિએ કહ્યું : “હે રાજન, આ માટે તે સમય ફોગટ ગુમાવીશ નહિ.” પછી વિદુર તો તે મુનિપતિને નમીને પોતાના નગરમાં આવ્યો. મોટા ભાઈને પૂછીને અને તેવી જ રીતે માતાને પૂછીને વિશ્વકીર્તિ મુનિની પાસે વિદુર દીક્ષા લીધી. હવે એક દિવસ થોડા સામંતો સાથે પરિવરેલો કૃષ્ણ જાતે હસ્તિનાપુર આવ્યો. કૃષ્ણના આવવાના અવસરે દુર્યોધને પતાકાથી મંડિત હસ્તિનાપુર કરીને જાતે સામો આવીને કૃષ્ણનો પ્રવેશ કરાવ્યો. પછી મહેલમાં લાવીને જાતે જ સ્વાગતાદિ ક્રિયાને કરી. સ્વાગત ક્રિયા પછી મણિચૂડ વિદ્યાધરે બનાવેલ મણિઓથી શોભતી સભામાં દુર્યોધનાદિ બધા રાજાઓએ આવીને યથાયોગ્ય સ્થાને કૃષ્ણને બેસાડ્યા. ભીખ, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, કર્ણ, દુઃશાસનાદિ રાજવંદો વડે પરિવરેલા ઉચ્ચ સિંહાસન પર બેઠેલા તે કૃષ્ણને લોકો દેવોથી પરિવરેલા દેવરાજ(ઇન્દ્ર)ના જેવા જુએ છે. હવે બધાના જોતાં ધૃતરાષ્ટ્ર કૃષ્ણને કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારા આવવાથી અમે સનાથ બન્યા છીએ, અમે અમને ધન્ય માનીએ છીએ. હાલ તો તમારી વાણી વડે અમારા કાનને પવિત્ર કરવા તમે લાયક છો.” તે સાંભળીને દાંતના કિરણો વડે દિશાઓને પ્રકાશિત કરતા કૃષ્ણ આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy